SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૫] દ્વિતીય અણુવ્રત-મૃષાવાદવિરમણ ४७ ' વસુરાજાની કથા શક્તિમતી નગરીમાં ક્ષીરકદંબક નામે એક ઉપાધ્યાય રહેતા હતા. તેની પાસે તે ઉપાધ્યાયનો પુત્ર પર્વત, રાજાનો પુત્ર વસુ અને એક બ્રાહ્મણનો પુત્ર નારદ, એ ત્રણ જણ સાથે ભણતા હતા. એક વખતે તેઓ ઘરની અગાશી ઉપર ભણતાં ભણતાં થાકી જઈને સૂઈ ગયા હતા, તેવામાં કોઈ બે ચારણમુનિ આકાશે જતાં તેમને દેખીને બોલ્યા કે, “આ ત્રણ વિદ્યાર્થીઓમાં એક સ્વર્ગગામી છે અને બે નરકગામી .” આ વચન ઉપાધ્યાયના સાંભળવામાં આવ્યું, તેથી પાઠકે તેમની પરીક્ષા માટે પ્રાતઃકાળે એક એક પિષ્ટનો કૂકડો તે ત્રણેને આપીને કહ્યું કે, “હે વત્સ! જ્યાં કોઈ જુએ નહીં ત્યાં જઈને આ કૂકડાને મારી નાખજો.” આ પ્રમાણે સાંભળી વસુ અને પર્વત તો કોઈ શૂન્ય સ્થાને જઈ તેને હણીને પાછા આવ્યા, પણ બ્રાહ્મણપુત્ર નારદ હતો તેણે એકાંતે જઈને વિચાર કર્યો કે, “ગુરુએ કહ્યું છે કે, જ્યાં કોઈ જુએ નહીં ત્યાં જઈને હણજે, તો તેવું સ્થાન તો ત્રણે જગતમાં નથી; કેમકે સર્વજ્ઞ અને સિદ્ધ પુરુષોને શું અગમ્ય છે! જ્ઞાનીને અગોચર કોઈ વસ્તુ નથી. વળી આ કૂકડો મને જુએ છે અને હું તેને જોઉં છું, તેથી ગુરુએ જરૂર અમારી પરીક્ષા કરવાને માટે જ આ બતાવ્યું લાગે છે.” આ પ્રમાણે વિચારી તે કૂકડાને હણ્યા વગર અક્ષત લઈને ઘેર પાછો આવ્યો. ગુરુએ કહ્યું કે, “વત્સ! તેં મારી આજ્ઞા પ્રમાણે કેમ ન કર્યું?” તે બોલ્યો-“ભગવન્! હૃદયમાં વિચારો. મેં આપનાં વચન પ્રમાણે જ કર્યું છે.” આમ કહીને પછી તેણે પોતાનો અભિપ્રાય બઘો જણાવ્યો. તે સાંભળી ગુરુએ નિશ્ચય કર્યો કે, “આ નારદ દયાને લીધે સ્વર્ગે જવાનો છે અને પેલા બે નરકગામી થવાના છે. તો હવે જેઓ નરકમાં જવાના છે તેમને ભણાવીને શું કરવું?' ઇત્યાદિ વૈરાગ્ય ઘારણ કરીને ઉપાધ્યાયે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી લોકોએ ઉપાધ્યાયને સ્થાને તેના પુત્ર પર્વતને સ્થાપિત કર્યો અને અભિચંદ્ર રાજાના પદ ઉપર વસુકુમાર રાજા થયો. - એક વખતે કોઈ પારધીએ મૃગ ઉપર બાણ નાખ્યું. તે બાણ વચમાં અલિત થઈ ગયું. તેથી પારઘીએ પાસે આવી હસ્તસ્પર્શ કર્યો, એટલે ત્યાં સ્ફટિકની એક શિલા જોવામાં આવી. પછી તેણે રાજાની પાસે તે વાત કહી. રાજાએ તે શિલા મંગાવીને પોતાના સિંહાસન નીચે મૂકી, જેથી તેનું સિંહાસન જમીનથી અધ્ધર રહ્યું હોય તેમ જણાવા લાગ્યું. તે જોઈ લોકોએ જાણ્યું કે, “આ રાજા સત્યવાદી છે, તેથી તેનું આસન અધ્ધર રહે છે. અનુક્રમે તેવી પ્રસિદ્ધિ લોકમાં સર્વત્ર પ્રસાર પામી. એકદા નારદ પર્વતને મળવા આવ્યો, તે વખતે પર્વત વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તેમાં એમ આવ્યું કે, “અજવડે યજ્ઞ કરવો.” તેનો અર્થ પર્વત એવો કહ્યો કે, “અજ એટલે બકરો, તેના વડે હોમ કરવો. તે સાંભળી નારદે કહ્યું કે, રે પર્વત! તું એ પદનો અર્થ ખોટો કરે છે, તેનો ખરો અર્થ એવો છે કે, અજ એટલે ત્રણ વર્ષની જૂની ડાંગર કે જે ઊગે નહીં, તે વડે હોમ કરવો. ગુરુએ પણ આપણને એમ જ શીખવ્યું છે. માટે અરે બાંધવ! તું કેમ ભૂલી ગયો?” તે સાંભળી પર્વતે ગર્વથી કહ્યું કે, “હું કહું છું તે જ ખરું છે, તેથી જેનું ખોટું પડે તેની જિહ્યા છેદી નાખવી.” એવી પરસ્પર પ્રતિજ્ઞા કરી, અને તે વિષે વસુરાજાને પૂછવું, ને જે વસુરાજા કહે તે સત્ય માની લેવું એમ ઠરાવ્યું. આ ખબર પર્વતની માતાને પડી, એટલે તે પુત્રના મૃત્યુથી કંપતી વસુરાજા પાસે ગઈ અને સર્વ વૃત્તાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy