SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ (જાંબ ૬) વ્યાખ્યાન ૭૫ દ્વિતીય અણુવત-મૃષાવાદવિરમણ હવે મૃષાવાદ નામે બીજું વ્રત કહે છે. सूक्ष्मबादरभेदाभ्यां, मृषावादं द्विधा स्मृतम् । तीव्रसंकल्पजं स्थूलं, सूक्ष्मं हास्यादिसंभवम् ॥४॥ ભાવાર્થ-“મૃષાવાદ નામે બીજું વ્રત સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદવાળું છે. તેમાં જે તીવ્ર સંકલ્પથી થાય તે સ્કૂલ (બાદર) અને હાસ્ય વગેરેથી થાય તે સૂક્ષ્મ.” તેમાં શ્રાવકે સૂક્ષ્મ મૃષાવાદને વિષે યતના કરવી અને સ્કૂલનો તો અવશ્ય કરીને ત્યાગ જ કરવો, કારણ કે તે આ લોકમાં પણ અપકીર્તિ વગેરેના હેતુભૂત છે. સ્થૂલ મૃષાવાદ કન્યા વગેરે સંબંઘી અસત્યને કહે છે. બીજું જે અણુવ્રત છે તેમાં ક્યારેય પણ અસત્ય બોલવું નહીં. તેમાં પણ વિશેષ કરીને પૃથ્વી, કન્યા, ગાય, ઘનની થાપણ અને સાક્ષીમાં તો અસત્ય બોલવું જ નહીં. તે વિષે કહ્યું છે કે-“કન્યા, ગાય અને ભૂમિ સંબંઘી અસત્ય, કોઈની થાપણ ઓળવવી, અને ખોટી સાક્ષી પૂરવી–એ પાંચ સ્થૂલ અસત્ય કહેવાય છે.” તેમાં કન્યા સંબંધી અસત્ય આ પ્રકારે છે–જે વિષકન્યા ન હોય તેને દ્વેષને લીધે “આ વિષકન્યા છે' એમ કહેવું, વળી દુઃશીલા હોય તેને રાગ વડે સુશીલા કહેવી, ઇત્યાદિ કન્યાસંબંધી અલિક-અસત્ય કહેવાય છે. તેમાં ઉપલક્ષણથી દાસદાસી વગેરે સર્વ દ્વિપદ સંબંધી અસત્યનો સમાવેશ કરવો. હવે ગાયસંબંઘી અસત્ય આ રીતે છે–અલ્પ દૂઘવાળીને ઘણા દૂઘવાળી કહેવી, ઘણા દૂઘવાળીને અલ્પ દૂઘવાળી કહેવી છે. આ ઉપરથી બીજા સર્વ ચતુષ્પદ વિષે જાણી લેવું. ભૂમિ સંબંધી અસત્ય આ રીતે છે. પારકી ભૂમિને પોતાની કહેવી, ઊખર (ખારવાળું) ક્ષેત્ર હોય તેને ઊખર વગરનું કહેવું, એ ભૂમિસંબંધી અસત્ય. તેમાં સર્વ ઘર, હાટ, મકાન વગેરે અપદ પદાર્થોનું ગ્રહણ કરવું. અહીં શિષ્ય શંકા કરે છે કે, ઉપલક્ષણથી આપ બીજા દ્વિપદ, ચતુષ્પદ ને અપદ પદાર્થોનું ગ્રહણ કરવાનું કહો છો તો મુખ્ય વૃત્તિએ જ તે ત્રણ વિષય અસત્યના કેમ ન ગણાવ્યા? ગુરુ ઉત્તર આપે છે કે—કન્યા વગેરે અસત્ય લોકમાં પણ વિશેષ કરીને નિંદનીક છે. વળી કન્યાદિ અસત્યથી ભોગાંતરાય, દ્વેષવૃદ્ધિ વગેરે દોષો ફુટ રીતે જણાય છે. વળી કોઈએ સુવર્ણ વગેરેની થાપણ મૂકેલી હોય તે ઓળવવાથી મહાપાપ લાગે છે. જો કે, થાપણ ઓળવવાનો અદત્તાદાનમાં સમાવેશ થાય છે પણ તેમાં “તેં મૂકી જ નથી.' એમ ના પાડવી પડે છે, તેથી વચનની પ્રાધાન્યતા છે, માટે તેને મૃષાવાદમાં ગણેલ છે. પાંચમો ભેદ જે કૂટ સાક્ષી છે તે લેણદેણ વગેરેમાં જે ખરો સાક્ષી હોય તે લાંચ કે દ્વેષભાવથી ખોટી સાક્ષી પૂરે તેને ઘણું પાપ લાગે છે, અને તેથી વસુરાજાની પેઠે બન્ને ભવમાં અનર્થની પ્રાપ્તિ થાય છે. જેમ વસુરાજાને માત્ર “અજ' શબ્દના અર્થની સાક્ષીમાં કૂટસાક્ષી દોષ લાગ્યો હતો, તે કથા આ પ્રમાણે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy