SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૪] હિંસા અને અહિંસાનું ફળ ૪૫ આ પ્રમાણે ગુરુએ કહેલી દેશના સાંભળી ચંદ્રકુમારે અપરાધી જીવોની હિંસાનો પણ ત્યાગ કર્યો. માત્ર તેનો રાજાના આદેશથી ભંગ ન થાય એટલી છૂટ રાખી. આ પ્રમાણે વ્રત ગ્રહણ કરી તેણે તે નગરના રાજાની સેવા કરવા માંડી. એક વખતે વનમાં રાજાના સુભટોએ કોઈ ચોરને પકડ્યો. રાજાએ ચંદ્રકુમારને કહ્યું કે, ‘હે ચંદ્રકુમાર! તું આ ઉગ્ર ચોરને મારી નાખ.’ તે વખતે ચંદ્રે પોતાને યુદ્ધ સિવાય કોઈ પણ પ્રાણીને ન મારવાનો નિયમ જણાવ્યો. તેથી હર્ષ પામી રાજાએ તેને પોતાનો અંગરક્ષક (હજૂરી) કર્યો અને અનુક્રમે એક દેશનો સ્વામી બનાવ્યો. અહીં ચંદ્રકુમારના મોટા ભાઈ સૂરકુમારે યુવરાજ પદવીથી પણ અસંતુષ્ટ થઈ, પરામુખ થઈને સૂતેલા પિતાની ઉપર રાત્રે શસ્રનો પ્રહાર કર્યો. રાજાનો ઘાત કરીને ભાગતાં તેને રાણીએ જોયો, તેથી ‘આ રાજધાતક ચાલ્યો જાય છે માટે તેને પકડો.' એવો ત્યાં કોલાહલ થઈ પડ્યો. ઘાયલ થયેલો રાજા પોતાના પુત્રને ઓળખીને વિચાર કરવા લાગ્યો કે सौरभ्याय भवत्येके, चंदना इव नंदनाः । कुलोच्छेदे भवंत्यन्ये, बालका इव वालकाः ॥ १ ॥ ભાવાર્થ—“કેટલાક પુત્રો ચંદનના વૃક્ષની જેમ સુગંધને માટે થાય છે અને કેટલાક પુત્રો વાળક (વાળા)ની જેમ કુલના ઉચ્છેદને માટે થાય છે.’’ આ પ્રમાણે વિચારીને રાજાએ સૂરકુમારને દેશપાર કર્યો અને ચંદ્રકુમારને બોલાવી રાજ્ય ઉપર બેસાર્યો. શસ્ત્રના ઘાની પીડાથી સૂરકુમાર ઉપર રૌદ્ર ધ્યાન કરતાં રાજા મૃત્યુ પામીને ચિત્તો થયો. સૂરકુમાર ફરતો ફરતો તે વનમાં આવ્યો. પૂર્વના વૈરથી ચિત્તાએ તેને મારી નાખ્યો; પછી તે ભિલ્લ થયો. તે જ વનમાં શિકાર કરતાં તે ભિલ્લને ચિત્તાએ પુનઃ મારી નાખ્યો. તેના સગાસંબંધીઓએ મળીને ચિત્તાને પણ મારી નાખ્યો. પછી બન્ને મરીને ડુક્કર થયા. પરસ્પર વૈર રાખતાં તે બન્નેને પારધીએ હણી નાખ્યા. મરીને બન્ને ગજેંદ્ર થયા. કોઈએ તેઓને પકડીને ચંદ્રરાજાને અર્પણ કર્યાં. ચંદ્રરાજાની આગળ પણ તે બન્ને યુદ્ધ કરવા લાગ્યા. રાજાએ સુદર્શન કેવળીને તેમના વૈરનું કારણ પૂછ્યું. એટલે કેવળી ભગવંતે તેમને વૈર થવાનું પૂર્વોક્ત કારણ કહ્યું. તે સાંભળી ચંદ્રરાજાએ ચિંતવ્યું કે, ‘અહો! વિચિત્ર કર્મરૂપ નટે ભજવેલું આ ભવનાટક કેવું છે, જેમાં ટંક રાજા થાય, અને રાજા રંક થાય! અઢાર સાગરોપમના આયુષ્યવાળો દેવતા` પણ ક્ષણમાં ખર કે શ્વાન બને છે. મહામોહરૂપ નિદ્રાવાળા પ્રાણીઓ જેનો આશ્રય કરવાથી સંસારરૂપ કૂવામાં પડે છે અને સદ્ગતિના માર્ગને જોતા નથી, તેનું કારણ મિથ્યાત્વરૂપ ગાઢ અંધકાર જ છે.' આવા પ્રકારના ઉત્તમ ચિંતવનથી વૈરાગ્ય પામી પોતાના પુત્રને રાજ્ય સોંપી ચંદ્રરાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. નિરતિચાર ચારિત્ર પાળી તે રાજર્ષિ એકાવતારી દેવપણાને પામ્યા. પેલા બન્ને હાથી મરીને પહેલી નરકે ગયા. જેમણે ગૃહસ્થપણામાં દેશથી પણ આદ્ય (અહિંસા) વ્રત ઉત્કૃષ્ટ પરિણામે અંગીકાર કરીને પાળ્યું તેવા સર્વ જીવની દયામાં તત્પર ચંદ્રકુમાર નામે રાજર્ષિ અનુક્રમે મોક્ષસુખને પામ્યા છે.’’ II પંચમ સ્તંભ સમાપ્ત ૧ આઠમા દેવલોક સુધીના દેવતા ત્યાંથી ચ્યવીને તિર્યંચ પણ થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy