SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ -કલી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ ક્ષત્રિય પ્રબંધ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં એક પ્રોષિતભર્તુકા* ક્ષત્રિયાણી હતી. તેને ઘેર એક મુનિ કોઈ કોઈ વખત આહાર લેવા આવતા હતા. એક વખતે તે ક્ષત્રિયાણીએ મુનિને પૂછ્યું કે “મુનિરાજ! મારો સ્વામી ક્યારે આવશે?” મુનિ બોલ્યા નહીં. પણ તેણે ઘણો આગ્રહ કર્યો, ત્યારે મુનિએ વિચાર્યા વગર કહી દીધું કે, “આજથી પાંચમે દિવસે આવશે.” દૈવયોગે પાંચમે દિવસે તે ક્ષત્રિય આવ્યો, એટલે મુનિનું વચન સત્ય થયું. તે દિવસે મુનિ પણ સહેજે આહાર લેવા તેને ઘેર આવ્યા. એટલે પેલી ક્ષત્રિયાણીને અને મુનિને સામસામું હસવું આવ્યું. તે જોઈ ક્ષત્રિયને શંકા આવી, તેથી હાથમાં ખગ લઈને ઊભો થયો અને મુનિને હાસ્યનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ જે યથાર્થ હતું તે કહી આપ્યું એટલે ક્ષત્રિયે પરીક્ષા કરવા માટે મુનિને પૂછ્યું કે, “આ ઘોડી સગર્ભા છે તેને શું અવતરશે?” મુનિએ કહ્યું–‘વછેરી આવશે.' તેથી તત્કાળ તે ક્ષત્રિયે ખગથી તે ઘોડીનું ઉદર વિદાયું, તેમાં વછેરી જોઈને તે શંકારહિત થયો. આ હિંસાકૃત્ય જોઈ મુનિએ તત્કાળ અનશન કર્યું. પેલા ક્ષત્રિયે મુનિને ખમાવ્યા. મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. ઇતિ ક્ષત્રિય પ્રબંધ. વળી રાત્રે મોટે સ્વરે પાઠ કરવો નહીં. જો કદી કાંઈ કામ પડે તો મંદસ્વરથી જ બોલવું. ખુંખારો કે હોંકારો પણ રાત્રે કરવો નહીં. જો રાત્રે તેમ કરે તો ઘરમાં રહેલા ગરોળી વગેરે હિંસક જીવો જાગ્રત થઈ મક્ષિકા વગેરેના ભક્ષણનો આરંભ કરે અને પડખે પાડોશીઓ હોય તે જાગી પોતપોતાના આરંભકાર્ય કરવામાં પ્રવર્તે. તેમજ રસોઈ કરનારા, ઘોબી અને મચ્છીમાર વગેરે પણ પરંપરાએ પોતપોતાના કુવ્યાપારમાં પ્રવર્તે. તે વિષે શ્રીવીર ભગવંતે જયંતિના પ્રશ્નોત્તરમાં કહ્યું છે કે, “અઘર્મી પુરુષો સૂતા ભલા અને ઘર્મી પુરુષો જાગતા ભલા.' આ વિષે નીચે પ્રમાણે એક પ્રબંધ વૃદ્ધોના મુખેથી સાંભળેલો છે. મચ્છીમાર ચોરની કથા કોઈ સાઘુ રાત્રે પોતાના શિષ્યોને પૂર્વગત વાચના આપતા હતા. તે પ્રસંગમાં એક વખતે તેમણે પોતાના શિષ્યને “અમુક ચૂર્ણ ઔષધિ વગેરેના પ્રયોગથી સંમૂર્છાિમ મસ્યાદિક જીવોની ઉત્પત્તિ થાય છે' એમ કહ્યું. તે વાત ત્યાંથી ચાલ્યા જતા એક ચોરી કરવા નીકળેલા મચ્છીમારે સાંભળી, અને તે ચૂર્ણને પ્રયોગ મનમાં ઘારી લઈને તે ઘેર ગયો. પછી તેણે તે પ્રમાણે કર્યું, એટલે ઘણાં મત્સ્યોની ઉત્પત્તિ થઈ, તેથી હર્ષ પામીને તે માછી નિત્ય તે જ પ્રયોગથી પોતાના કુટુંબનું પોષણ કરવા લાગ્યો. એવી રીતે કરતાં ઘણો કાળ વહી ગયો. એક વખતે તે વિદ્યાચોર માછી તે મુનિની પાસે આવ્યો, અને મુનિને નમસ્કાર કરીને બોલ્યો કે–“હે સ્વામી! તમારા પ્રસાદથી હું સહકુટુંબ સુખે જીવું છું અને તે રીતે દુકાળ વગેરે સંકટના વખતમાં અનેક જીવોનો ઉપકાર થશે.” મુનિ બોલ્યા-કેવી રીતે?” માછીએ કહ્યું કે-“પૂર્વે તમે રાત્રે શિષ્યોની આગળ ચૂર્ણપ્રયોગથી જીવોત્પત્તિ કહી હતી, તે મારા સાંભળવામાં આવી હતી. ત્યારથી તે પ્રયોગ વડે હું સુખે જીવું છું.' તે સાંભળી મુનિ મનમાં પોતાના પ્રમાદદોષની નિંદા કરતા સતા પરંપરાએ અત્યંત પાપની વૃદ્ધિ થવાનો નિશ્ચય જણાવાથી તે મચ્છીમાર પ્રત્યે બોલ્યા- “હું તને બીજો તેથી પણ શ્રેષ્ઠ ઉપાય બતાવું * જેનો સ્વામી પરદેશ ગયેલો છે એવી. ૨ ચૌદ પૂર્વેમાં કહેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy