SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૨] હિંસકની હિંસા પણ વર્ય (૩૯ તેની અંદર પ્રતિમા જોઈ વિચારમાં પડ્યો કે, “આ તે કયું આભૂષણ હશે? આ આભૂષણ કંઠે, મસ્તકે કે હૃદયમાં ક્યાં પહેરાતું હશે? અથવા મેં પૂર્વે આવું ક્યાંક જોયેલું છે.' એવો વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે જાણ્યું કે “અહો! આ ભવથી ત્રીજે ભવે હું સામાયિક નામે કૌટુંબિક હતો. મારે બંઘુમતી નામે સ્ત્રી હતી. મેં વૈરાગ્ય પામી પ્રિયા સહિત દીક્ષા લીધી હતી. એક વખતે સાધ્વીઓના સમૂહમાં મારી સ્વરૂપવતી સ્ત્રીને જોઈને પૂર્વના અનુરાગથી હું તેને અભિલાષી થયો. મેં તેની આગળ મારો અભિપ્રાય જણાવ્યો. તે સાધ્વીએ જાણ્યું કે, આ સાધુ જરૂર તેના તથા મારા વ્રતનો ભંગ કરશે, તેથી તે અનશન લઈ મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. તેની પાછળ હું પણ તેના દુઃખથી અનશન લઈ મૃત્યુ પામી દેવતા થયો. દેવલોકનું સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને વ્રતની વિરાધનાથી અહીં અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું. મારા ઘર્મગુરુ અભયકુમારને ઘન્ય છે, કે જેણે દૂર રહીને પણ મને પ્રતિબોધ કર્યો.' પછી આર્દ્રકુમારે અભયકુમારના દર્શન કરવાને ઉત્સુક થઈ પોતાના પિતાને કહ્યું કે, “પિતાજી! રાજગૃહનગર જોવાની મારી ઇચ્છા છે.” તે સાંભળી આÁકરાજાએ તેને ના પાડીને અટકાવ્યો અને તે નાસી ન જાય તે માટે તેની સંભાળ રાખવા પાંચસો સુભટોને તેની પાસે રાખ્યા. તથાપિ છેવટે આર્દ્રકુમાર સર્વ સુભટોને છેતરી વહાણમાં બેસી આર્ય દેશમાં આવતો રહ્યો, અને તે પ્રત્યેકબુદ્ધ આર્દ્રકુમારે આર્ટસ્ બિંબ અભયકુમાર ઉપર પાછું મોકલી આપ્યું. પછી “હજુ તારે ભોગાવલીકર્મ બાકી છે.' એમ કહી દેવતાએ તેને અટકાવ્યો, તથાપિ તેણે સાહસથી વ્રત ગ્રહણ કર્યું. (દીક્ષા લીધી.) અન્યદા વિહાર કરતાં કરતાં આર્તમુનિ વસંતપુર નગરના ઉદ્યાનમાં આવેલા કોઈ દેવાલયમાં કાયોત્સર્ગ કરીને રહ્યા. એ અરસામાં બંઘુમતીનો જીવ તે નગરવાસી કોઈ શ્રેષ્ઠીને ઘેર શ્રીમતી નામે પુત્રીપણે ઉત્પન્ન થયો હતો. તે સખીઓ સાથે એ જ ઉદ્યાનમાં રમવાને આવી ચડી. સર્વ બાલિકાઓ પરસ્પર ઉપહાસ્યમાં કહેવા લાગી કે, “સખીઓ! મનગમતા વરને વરો.” એટલે બધી ઇચ્છા પ્રમાણે વર ઘારવા લાગી. તે વખતે શ્રીમતી બોલી કે, “હું તો આ મુનિને વરીશ.” તે વખતે આકાશવાણી થઈ કે, “મુગ્ધ! તું યોગ્ય વરને વરી છે.” એમ કહેવા સાથે દેવતાએ દુંદુભિના નાદપૂર્વક ત્યાં રત્નોની વૃષ્ટિ કરી. તે વખતે દુંદુભિની ગર્જનાથી ભય પામી શ્રીમતી મુનિને પગે વળગી પડી. આર્તમુનિ અનુકૂળ ઉપસર્ગનો સંભવ જાણી ત્યાંથી ચાલ્યા ગયા. પછી રાજાના પુરુષો તે વૃષ્ટિનું દ્રવ્ય લેવા આવ્યા. તેમને અટકાવીને દેવતાએ કહ્યું કે, “ એ દ્રવ્ય તમારું નથી, પણ એ તો શ્રીમતીના વિવાહને માટે આપ્યું છે. પછી તેના પિતાએ તે ગ્રહણ કર્યું. શ્રીમતીએ તે મુનિને જ વરવાનો પોતાનો વિચાર જણાવ્યો. પિતાએ પુત્રીને કહ્યું કે, “વત્સ! ભ્રમરની જેમ ભમતા એ મુનિ તને શી રીતે મળશે? અને કદી મળશે તો પણ ઘણા મુનિઓમાં “આ તે જ છે' એમ તારાથી કેમ ઓળખાશે? માટે હવે બીજા વરને વરવું કબૂલ કર.” શ્રીમતી બોલી–“પિતાજી! આમ બોલવું યુક્ત નથી. નીતિમાં કહ્યું છે કે, सकृजल्पंति भूपालाः, सकृद्वदंति सज्जनाः। सकृत् कन्या प्रदीयंते, त्रीण्येतानि सकृत्सकृत् ॥ ભાવાર્થ-રાજાઓ એક વાર જ બોલે, સજ્જનો એક વાર જ વદે અને કન્યા એક વાર જ અપાય–આ ત્રણ વાનાં એક વાર જ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy