SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૧] અનુબંધ હિંસા ૩૭ સ્વીકાર્યું. પછી દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને કોઈ એક સામંતની પુત્રી પરણાવી, અને તેમને સૂવાને માટે એક એવું લાક્ષાગૃહ (લાખનો મહેલ) કરાવ્યું કે જે બહારથી પથ્થરનું સુંદર મકાન લાગે. લાખનું બનેલું હોવાથી આગ તરત પકડી લે. આ કાવતરાની ગંઘ ઘેનુ મંત્રીને આવી ગઈ એટલે તેણે ગુસ રીતે તે ઘરની નીચેથી નગર બહાર ઉદ્યાન સુધી એક સુરંગ કરાવી. શુભ દિવસે વરવધૂ અને વરઘેનુકુમારે તે ઘરમાં પ્રવેશ કર્યો, એટલે રાત્રિના બે પહોર જતાં તે ગૃહને ચૂલણીએ અગ્નિ લગાડ્યો. મંત્રીપુત્ર વરઘેનુ પ્રથમથી જ આ જાણતો હતો, તેથી સુરંગને રસ્તે બ્રહ્મદત્તને ઉદ્યાનમાં લઈ ગયો અને ત્યાં સુરંગના દ્વાર ઉપર બે અશ્વ તૈયાર રાખેલા હતા, તેની ઉપર બેસી બન્ને મિત્રો દેશાટન કરવા નીકળી પડ્યા. ભાગ્યવાન્ બ્રહ્મદત્તે પૃથ્વી પર ભમતાં સાર્વભૌમપદની સંપત્તિ પ્રાપ્ત કરી, અને વરઘેનુને સેનાપતિની પદવી આપીને દીર્ઘરાજાની ઉપર મોકલ્યો. તેની પછવાડે પોતે આવીને ચક્રવડે દીર્ઘરાજાનું મસ્તક છેદી નાખ્યું. પછી તેણે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. અનુક્રમે બ્રહ્મદત્ત ચક્રીએ ષટ્યુંડ ભરતને સાધ્ય કર્યો. પૂર્વે જ્યારે બ્રહ્મદત્ત એકાકીપણે ભમતો હતો ત્યારે એક બ્રાહ્મણે તેને જળ પાવ્યું હતું. તે બ્રાહ્મણ બ્રહ્મદત્તને ચક્રવર્તીપદ પ્રાપ્ત થયેલું સાંભળી ત્યાં આવ્યો. તેણે વિચાર્યું કે, ‘આટલા બધા સૈન્ય વચ્ચે તે મને કેમ ઓળખશે?” તેથી તેણે એક જીર્ણ વસ્ત્રનો ધ્વજ કરી જીર્ણ સૂપડું વગેરે લટકાવી જુદું જ રૂપ બતાવ્યું. તેવી વિલક્ષણતા જોઈ રાજાએ સેવક મોકલીને તેને બોલાવ્યો. પછી તેને ઓળખી તેના પર સંતુષ્ટ થઈને વરદાન માગવા કહ્યું, એટલે અલ્પ બુદ્ધિવાળા બ્રાહ્મણે સ્ત્રીના વચનથી દરરોજ અનુક્રમે એકેક ગૃહે ભોજન અને બે સોનામહોરની દક્ષિણા તેને મળે એવી માગણી કરી. રાજાએ તરત જ તેવી ગોઠવણ કરાવી આપી. એકદા તે લુબ્ધ બ્રાહ્મણે ચક્રીને કહ્યું કે, ‘હે રાજન્! એક વાર તમારા ઘરનું ભોજન મને કરાવો.’ ચક્રીએ કહ્યું કે, ‘મારું ભોજન તો મને જ જરે (પચે) તેવું હેાય છે.’ બ્રાહ્મણે ગુસ્સાથી કહ્યું કે, ‘અરે રાજા! શું તું કૃપણ છે કે જેથી મને તારું ભોજન પણ આપી શકતો નથી?” પછી ચક્રીએ તે બ્રાહ્મણને કુટુંબ સહિત પોતાને ઘેર જમાડ્યો, જેથી તે અતિ કામાતુર થઈ ગયો. તેથી તેણે તે રાત્રે પોતાની માતા બહેન વગેરેની સાથે પણ પશુવત્ આચરણ કર્યું. જ્યારે ચક્રીના અન્નનો મદ ઊતરી ગયો ત્યારે તે બહુ લજ્જિત થયો. પછી તેણે વિચાર્યું કે ‘આવું અપકૃત્ય ચક્રીએ જાણીબૂજીને જ કર્યું જણાય છે, માટે તેને શિક્ષા કરવી.' આવા ક્રોધથી એક વખત તે વનમાં ફરતો હતો, તેવામાં કોઈ ગોવાળને ગલોલના પ્રયોગથી પીપળાના પાનને કાણા કરતો જોયો. તે ધાર્યા પાંદડાંમાં ગલોલથી કાણાં પાડતો હતો. તેની અચૂક નિશાનાબાજી જોઈ તે બ્રાહ્મણે તેને મળી કાંઈ દ્રવ્ય આપી તેની પાસે ચક્રવર્તીના બન્ને નેત્ર ફોડી નંખાવ્યા. રાજસેવકોએ તે ગોવાળને પકડ્યો અને કહ્યું કે, ‘અરે દુષ્ટ! આ તેં શું કર્યું?” એટલે તેણે પેલા બ્રાહ્મણને બતાવ્યો, તેથી તે બ્રાહ્મણને કુટુંબ સહિત મારી નાખ્યો. ત્યારથી ચક્રીને બ્રાહ્મણ જાતિ ઉપર રોષ ચઢ્યો. તેથી તેણે મંત્રીને આજ્ઞા કરી કે, ‘પ્રતિદિન અનેક બ્રાહ્મણોના નેત્રો કાઢી મારી પાસે લાવવા.' એટલે મંત્રી તેમ કરવા લાગ્યો. ચક્રી તે નેત્રોને મર્દન કરી ખુશી થવા લાગ્યો. આ પ્રમાણે હંમેશાં કરતાં ઘણા જીવનો વધ થતો જોઈ મંત્રી બીજ વગરના વડગુંદાનો થાળ ભરીને રાજા પાસે મૂકવા લાગ્યો. અંધ ચક્રી તેને પોતાના શત્રુઓના નેત્ર જાણી ક્રોધબુદ્ધિથી ચોળી નાખવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy