SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે, કેવલજ્ઞાનીના ગમનાગમનથી અને નેત્રના ચલન વગેરેથી પણ ઘણા જીવનો ઘાત થાય છે, પરંતુ તેમને માત્ર યોગ વડે જ બંધ હોવાથી તે પ્રથમ સમયે બાંધે છે, બીજે સમયે અનુભવે છે (વેઠે છે) અને ત્રીજે સમયે નિર્જરે છે. તેઓ અપ્રમાદી હોવાથી તેમને કર્મનો બંઘ બહુ કાળની સ્થિતિવાળો થતો નથી. 39 વળી પ્રથમાંગ(આચારાંગસૂત્ર)માં કહ્યું છે કે, કોઈ મુનિએ અકસ્માત્ કાચું લૂણ વહોર્યું હોય, તે જો લૂણ વહોરાવનાર ગૃહસ્થ પાછું ન લે તો મુનિએ તેને જળમાં ઘોળીને પી જવું. તેમ કરવાથી તેમણે શ્રી જિનેશ્વરની આજ્ઞા પાળેલી હોવાથી તેમને પૃથ્વીકાય જીવની હિંસા ન લાગે. તે જ પ્રમાણે ગૃહસ્થને પણ જિનપૂજા વગેરેમાં હૃદયની અંદ૨ દયાભાવ હોવાથી હિંસા લાગતી નથી. પ્રાચીન પૂજ્યપુરુષોએ હિંસાના ત્રણ પ્રકાર કહેલા છે—સ્વરૂપહિંસા, હેતુહિંસા અને અનુબંધહિંસા. અંતઃકરણમાં દયાના પરિણામ વર્તતાં છતાં બાહ્ય ક્રિયા કરતાં જે હિંસા થાય તે સ્વરૂપહિંસા કહેવાય છે. કૃષિ વગેરેના હેતુ માટે જે હિંસા થાય છે તે હેતુહિંસા કહેવાય છે. અને અંતઃકરણમાં કલુષિત પરિણામ વર્તતાં નિર્દયપણે જે હિંસા કરાય છે તે અનુબંધહિંસા કહેવાય છે. રાજા યશોધરે માતાના વચનથી પિષ્ટમય કૂકડાની પણ હિંસા કરી તો તેથી તે દુરંત દુઃખપરંપરાને પામ્યો હતો, અને બ્રહ્મદત્ત ચક્રી વગેરેને બાહ્યપણે સ્વરૂપહિંસાનો અભાવ છતાં પણ અનુબંધ હિંસાના ધ્યાનથી નરકની પ્રાપ્તિ થઈ હતી. તેનો સંબંધ નીચે પ્રમાણે છે— શ્રી બ્રહ્મદત્ત ચક્રની કથા કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મ નામના રાજાને ચાર મિત્રો હતા—કાશીદેશનો રાજા કંટક, હસ્તિનાપુરનો અધિપતિ કરેણુ, કોશલદેશનો સ્વામી દીર્ઘ અને ચંપાનગરીનો નૃપતિ પુષ્પસૂલ. આ ચારે રાજાઓ પરસ્પર સ્નેહથી એક બીજાના રાજ્યમાં એકેક વર્ષ આવીને રહેતા હતા. એક વખતે બીજા ત્રણે રાજાઓ બ્રહ્મરાજાને ત્યાં આવેલા હતા; તેવામાં અકસ્માત્ બ્રહ્મરાજાને મસ્તકની વેદના ઉત્પન્ન થઈ. એટલે બ્રહ્મરાજા તેઓના ઉત્સંગમાં બ્રહ્મદત્ત નામના પોતાના બાળવયના પુત્રને મૂકીને ‘તમારે આ રાજ્યની વ્યવસ્થા કરવી' એમ કહી મૃત્યુ પામ્યો. પછી તેઓ પોતામાંથી દીર્ઘરાજાને ત્યાં મૂકી પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. દીર્ઘરાજા ત્યાં રહ્યો સતો બ્રહ્મરાજાની સ્ત્રી ચૂલણીની સાથે આસક્ત થયો. તે ખબર જાણી ઘેનુ નામના મંત્રીએ પોતાના પુત્ર વરઘેનુને જણાવ્યું કે, ‘આ વૃત્તાંત તું એકાંતમાં જઈને ચૂલણીના પુત્ર બ્રહ્મદત્તને જણાવજે.’ તેણે બ્રહ્મદત્તને જણાવ્યું, એટલે તે ચતુર કુમાર કોકિલા અને કાગડાને લઈને અંતઃપુરમાં ગયો. ત્યાં તે બન્નેનો સંબંધ કરાવી કાગડાને મારી નાખીને તે બોલ્યો કે, બીજો પણ જે કોઈ આવું કરશે તેને આવી રીતે મારી નાખીશ.' આ હકીકતનો સાર સમજીને દીર્ઘ રાજાએ ચૂલણીને કહ્યું કે, ‘હું કાગ અને તું કોકિલા છે.’ રાણી બોલી કે—‘એવી શંકા કરો નહીં. આ બાળક તે આપણો સંબંધ શું જાણે?' ફરી વળી એક વાર બ્રહ્મદત્તે પાડાનો અને હાથિણીનો સંબંધ કરાવી પૂર્વોક્ત વાક્ય કહીને પાડાને મારી નાખ્યો. તેથી દીર્ઘરાજાએ ‘આ મારું વૃત્તાંત જાણે છે અને અન્યોક્તિ વડે મને શિક્ષા આપે છે' એવું સમજી રાણીને તે વાત જણાવી. એટલે રાણી બોલી કે–‘ત્યારે આપણે પુત્રને મારી નાખીએ. જો આપણે કુશળ હશું તો ઘણા પુત્રો થશે.’ દીર્ઘરાજાએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy