SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ વ્યાખ્યાન ૭૧] અનુબંઘ હિંસા છે, તેથી તે કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી જિતશત્રુ રાજા પ્રતિબોઘ પામ્યો. તેથી અશ્વને નિર્ભય કરી પોતાના નગરમાં યજ્ઞો કરાવવાનો જ અટકાવ કર્યો. તે અશ્વ પ્રભુ પાસે અનશન અંગીકાર કરી આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી તત્કાળ અહીં આવીને તે દેવે પ્રભુના સમવસરણને સ્થાને એક જિનપ્રાસાદ રચાવી તેમાં મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા અને તેની આગળ અશ્વની મૂર્તિ સ્થાપન કરી, ત્યારથી ત્યાં અશ્વાવબોઘ નામે તીર્થ થયું. કેટલેક કાળે તે જ વનમાં એક વડના વૃક્ષ ઉપર સમળી રહેતી હતી. તેને કોઈ સ્વેચ્છે બાણ મારી વીંઘી નાંખી. તે પ્રભુના પ્રાસાદ પાસે પડી. અંત સમયે કોઈ મુનિએ તેને નવકાર મંત્ર સંભળાવવાથી તે સિંહલરાજાની પુત્રી થઈ. અન્યદા ભૃગુપુરથી કોઈ શ્રેષ્ઠી ત્યાં ગયો, તે છીંક આવતાં નવકારમંત્રનું પહેલું પદ “નમો રિહંતા' બોલ્યો. તે સાંભળી રાજપુત્રીને જાતિસ્મરણ થયું. પછી માતાપિતાને પૂછી ભૃગુપુરે આવી તેણે તે ચૈત્યનો ઉદ્ધાર કર્યો. ત્યારથી એ તીર્થ “શકુનિકાવિહાર” (સમળીવિહાર) એ નામથી વિખ્યાત થયું. - ત્યાર પછી અનુક્રમે પરમહંત શ્રી કુમારપાળ રાજાના મંત્રી ઉદયનના પુત્ર, શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરનાર, ગિરનાર પર્વત ઉપર સુગમ પાજ બંઘાવનાર અને બીજા પણ અનેક પુણ્યકાર્ય કરનાર શ્રીવાભટ કવિના અનુજ બાંધવ અંબડ પ્રથાને પિતાના પુણ્યને અર્થે તે તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. તે સમળીવિહાર તીર્થમાં તેણે મંગલદીપકના લૂંછણા વખતે યાચકોને બત્રીશ લાખ સોનૈયા દાનમાં આપ્યા હતા એમ વૃદ્ધપુરુષો કહે છે. ઉપર પ્રમાણે શ્રી શાંતિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી, પારેવા અને અશ્વનું રક્ષણ કરવાથી પૃથ્વી પર મહાન કીર્તિના ભાજન થયા છે. તે બન્ને પ્રભુ મને શિવસુખના આપનારા થાઓ. વ્યાખ્યાન ૭૧ અનુબંધ હિંસા હવે હિંસાનું કારણ પ્રમાદ છે તે કહે છે. शरीरी म्रियतां मा वा, ध्रुवं हिंसा प्रमादिनः । सा प्राणव्यपरोपेऽपि, प्रमादरहितस्य न॥१॥ ભાવાર્થ-“પ્રાણી મરણ પામે અથવા ન પામે પણ નિશ્ચયે પ્રમાદીને હિંસા લાગે છે, અને પ્રાણનો કદી નાશ થાય તો પણ પ્રમાદરહિત એવા પુરુષને હિંસા લાગતી નથી.” જો કોઈ સાધુ પ્રમાદથી એટલે ઉપયોગ વગર ચાલે તો તેને જીવનો વઘ ન થાય, છતાં પણ હિંસા લાગે છે, અને જે સાધુ અપ્રમાદથી એટલે ઉપયોગથી ચાલે તો, તેનાથી કદી જીવવઘ થઈ જાય તો પણ તેને ભાવથી હિંસા લાગતી નથી. જેમ નદી વગેરે ઊતરતાં ઉપયોગથી ચાલતા સાધુને અપૂકાય જીવની વિરાઘના તીવ્ર બંઘ આપનારી થતી નથી તેમ. કોઈ ઘાંચીનો જીવ કોટી પૂર્વના આયુષ્યવાળો હોય અને તે પ્રતિદિન વિશ ઘાણીઓ વડે તિલ પીલે, તે આખી જિંદગીમાં પણ તેટલા તિલ પીલવા સમર્થ ન થાય કે જેટલા જીવ નદી ઊતરતાં જળના એક બિંદુમાં હણાય છે. વળી જો જળ સેવાળવાળું હોય તો તેમાં અનંત જીવનો પણ વિનાશ થાય છે. નદી ઊતરનાર મુનિ જો પ્રમાદી હોય તો તેની હિંસા તેને લાગે છે, અન્યથા લાગતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy