SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ વજાયુધને શરણે આવ્યું. રાજાએ કહ્યું કે ‘ભય પામીશ નહીં.’ તેની પછવાડે તરત જ એક સીંચાણો (બાજ પક્ષી) આવ્યો. તેણે કહ્યું કે ‘હે રાજન્! મને ઘણી ક્ષુધા લાગી છે, તેથી આ પક્ષી મને આપો.' રાજાએ કહ્યું ‘તેને બદલે તું ઉત્તમ અન્ન લે.’ સીંચાણે કહ્યું કે, ‘મને તો માંસ ઉપર જ રુચિ છે.’ રાજા બોલ્યો, ‘ત્યારે હું મારા દેહનું માંસ આપું.' સીંચાણો બોલ્યો કે—‘તો આ પારેવા જેટલું આપો.' પછી રાજાએ ત્રાજવું મંગાવી એક તરફ પોતાની જંધામાંથી છેદીને માંસનો પિંડ મૂક્યો અને બીજી તરફ પારેવાને રાખ્યું. તે વખતે પારેવામાં એટલો ભાર થયો કે છેવટે રાજા પોતે તુલાપર ચઢી બેઠો. આવી વજાયુધ રાજાની દયા માટે હિંમત જોઈ, બે દેવ પ્રત્યક્ષ થઈ બોલ્યા, ‘હે મહાનુભાવ! ઇંદ્રે સભામાં તમારી પ્રશંસા કરી, તે નહીં માનીને અમે બન્ને તમારી પરીક્ષા કરવા આવા રૂપ કરી અહીં આવ્યા હતા.’ પછી તેઓ રાજા ઉપર પુષ્પવૃષ્ટિ કરી સ્વર્ગે ચાલ્યા ગયા. રાજા વજ્રાયુધ ચારિત્ર લઈ નવમા ત્રૈવેયકમાં એકત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ૩૪ શ્રી મુનિસુવ્રતપ્રભુની કથા ભૃગુકચ્છ (ભરુચ) નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે એક વખતે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે અગ્નિમાં હોમવા એક અશ્વ તૈયાર કર્યો. આ ખબર જ્ઞાનથી મુનિસુવ્રતસ્વામીએ જાણ્યા, એટલે તત્કાલ તે અશ્વને બચાવવા માટે પ્રતિષ્ઠાનપુરથી ભરુચ એક રાત્રિમાં સાઠ યોજન વિહાર કરી આવી પહોંચ્યા. ત્યાં એકઠા થયેલા જનસમૂહમાં પ્રભુએ ધર્મદેશના આપવા માંડી. તે અર્થે પ્રભુને જોઈ ઊંચા કાન કર્યા અને વારંવાર પ્રભુ સામું જોવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તત્કાળ પ્રભુ પાસે આવી પૃથ્વી પર મસ્તક મૂકીને પોતાની અવ્યક્ત ભાષામાં બોલ્યો કે, ‘હે વિશ્વરક્ષક! દુઃખાર્તા એવા મારી રક્ષા કરો.’ તે જોઈ રાજાએ પ્રભુને પૂછ્યું કે, ‘આ અશ્વ શું કહે છે?’ પ્રભુ બોલ્યા‘‘રાજન! તેનો પૂર્વભવ સાંભળો— પદ્મિનીપુર નામના નગરમાં જિનધર્મ નામે એક જૈનધર્મી શ્રેષ્ઠી રહેતો હતો. તેને સાગરદત્ત નામે એક શૈવધર્મી મિત્ર હતો. તે સાગરદત્તે પૂર્વે એક શિવાલય કરાવ્યું હતું. એક વખતે તે મિત્રની સાથે સાધુની પાસે ગયો. ત્યાં જિનમંદિર કરાવવાનું મહત્ ફળ સાંભળ્યું, તેથી તેણે એક જિનબિંબ યુક્ત ભવ્ય પ્રાસાદ કરાવ્યો. તે કાર્યથી તેને સમ્યક્દર્શન પ્રાપ્ત થયું. એક વખતે શિવમંદિરમાં વાર્ષિક મહોત્સવ હોઈ શૈવ લોકોએ ઘી વડે શિવલિંગ પૂર્યું, તે જોવા ત્યાંના પ્રબંધકોએ સાગરદત્તને બોલાવ્યો. ત્યાં ઘણી થિયેલો તથા કીડીઓ એકઠી થઈ હતી, તે નિર્દય શૈવલોકોના ચરણન્યાસથી કચરાઈને મરી જતી હતી, તે જોઈને સાગરદત્ત બોલ્યો કે, ‘તમારા પગ વડે હજારો જીવ મરી જાય છે તે તમને ઘટતું નથી.’ ત્યારે તેઓ કોપ કરીને બોલ્યા કે, ‘અરે મૂર્ખ! કુલક્રમથી ચાલ્યા આવેલા ધર્મને છોડી દઈ નવો ધર્મ અંગીકાર કરતાં તું કેમ શરમાતો નથી? માટે ઊઠ, તારે ઘેર ચાલ્યો જા.’ તે સાંભળી લજ્જાથી મ્લાન મુખવાળો થયો સતો પોતાને ઘેર આવીને તે વિચારવા લાગ્યો કે, ‘અરે! મેં કુલધર્મનો ત્યાગ કરી કેવું કામ કર્યું?” આ પ્રમાણેના આર્ત્તધ્યાનથી મૃત્યુ પામી ઘણા ભવ ભમીને હે રાજા! તે સાગરદત્તનો જીવ આ અશ્વ થયો છે અને તે જિનધર્મશેઠ ધર્મપ્રતાપે આ ભવમાં હું મુનિસુવ્રત નામે તીર્થંકર થયો છું. તે મારો પૂર્વ ભવનો મિત્ર હોવાથી મને જોઈને કહે છે કે,‘આ રાજા મને આજે યજ્ઞમાં હોમી દેશે, તેથી મારી રક્ષા કરો, રક્ષા કરો.' હે રાજન્! યજ્ઞનું ફળ નરક જ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy