SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯]. હિંસક વચન બોલવાનું ફળ આવા અનેક લોકોત્તર ચરિત્રથી સૂરિએ ઘણાના હૃદયને હરી લીધા હતા. જન્મથી આત્મસ્તુતિ તથા મનુષ્યસ્તુતિ વિષે તેમણે નિયમ રાખ્યો હતો, તો પણ તેઓ રાજાને કહેતા હતા કે– किं कृतेन न यत्र त्वं, यत्र त्वं किमसौ कलि । कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किं ॥१॥ ભાવાર્થ-“જ્યાં તું નથી ત્યાં કૃતયુગ હોય તો પણ શા કામનો અને જ્યાં તું છે ત્યાં કલિ હોય તો પણ શું કરવાનો છે? જો તારો જન્મ કલિયુગમાં છે, તો અમારે કલિયુગ હો, કૃતયુગની શી જરૂર છે?' આ પ્રમાણે અનેક દ્રષ્ટાંત પરમાઈત કુમારપાળ વિષે છે. જે કુમારપાળ આવતી ચોવીશીમાં પદ્મનાભપ્રભુના શાસનમાં પ્રથમ ગણધર થશે; તે જિનઘર્મને વધારનારા કુમારપાળે કુલક્રમથી ચાલી આવતી હિંસાને પણ છોડી દીધી હતી. વ્યાખ્યાન ૬૯ હિંસક વચન બોલવાનું ફળ કેટલાક જીવો ક્રોઘથી હિંસાવચન બોલે છે, તેમને માટે શિક્ષા કહે છે. वचोऽपि हिंसाविषयं, महानर्थविधायकम् । अत्र मातृसुतचंद्रासर्गयोश्च निदर्शनम् ॥१॥ ભાવાર્થ-હિંસાયુક્ત વચન બોલવું તે પણ મોટા અનર્થને કરનારું છે. તે વિષે માતા ચંદ્રા અને પુત્ર સર્ગનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે - ચંદ્રા અને સર્ણની કથા વર્ધમાન (વઢવાણ) નગરમાં સઘડ નામે કુલપુત્ર હતો. તેને ચંદ્રા નામે સ્ત્રી હતી. તેમને સર્ગ નામે એક પુત્ર થયો હતો. આ સર્વે દુઃખદાયક સ્થિતિમાં હતા. ચંદ્રા પારકા ઘરનું કામ કરતી હતી, અને સર્ગ વનમાંથી ઈઘણા લાવતો હતો. એક વખતે સર્ગને માટે શીંકા ઉપર ખાવાનું મૂકી ચંદ્રા જળ ભરવા ગઈ. સર્ગ વનમાંથી ઈઘણા લઈને આવ્યો ત્યારે તેણે માતાને જોઈ નહીં અને સુધા તૃષા લાગેલી તેથી ક્રોધે ભરાયો. એટલામાં તેની માતા આવી. તેને જોઈને તે ગુસ્સાથી બોલ્યો-“પાપિણી! આટલી વાર શું શૂળીએ ચડી હતી?” તે સાંભળી ક્રોઘથી ચંદ્રા બોલી કે–“આ શકા પરથી ઉતારીને કેમ ખાધું નહીં? શું તારા હાથ કપાઈ ગયા હતા?’ આ પ્રમાણે બન્નેએ દુર્વચન વડે કર્મ બાંધ્યું. પછી આયુષ્ય પૂર્ણ થવાથી સર્ગનો જીવ મૃત્યુ પામી કેટલાક ભવ ભમીને તામ્રલિસિ નગરીમાં અરુણદેવ નામે એક શ્રેષ્ઠીનો પુત્ર થયો, અને ચંદ્રાનો જીવ પરિભ્રમણ કરીને પાટલીપુરમાં જસાહિત્યને ઘેર દેવણી નામે પુત્રી થયો. તેના પિતાએ તેને અરુણદેવને આપી. તેમનો વિવાહ થયા પછી અરુણદેવ બીજા મિત્રોની સાથે વેપાર કરવા માટે વહાણે ચડ્યો. દૂર જતાં પ્રતિકૂલ વાયુ વડે વહાણ ભાંગ્યું. પુણ્યયોગે પાટિયું મેળવી એક મિત્રની સાથે કાંઠે આવ્યો. અનુક્રમે ફરતો ફરતો પાટલીપુર પહોંચ્યો. ત્યાં મિત્રે અરુણદેવને કહ્યું, “મિત્ર! અહીં તારા સસરાનું ઘર છે, તેથી ચાલ ત્યાં જઈએ.” અરુણદેવ બોલ્યો કે, “આવી સ્થિતિમાં આપણે ત્યાં જવું યુક્ત નથી.' મિત્રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy