SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૮] કુલક્રમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ ૨૯ (બનેવી) થાય, તે પોતાની પત્ની સાથે સોગઠાબાજી રમતો હતો. તેણે હાસ્યથી રમતાં રમતાં કહ્યું કે, “હેમસૂરિ વગેરે મુંડાઓને મારો.” ત્યારે પત્નીએ કહ્યું “સ્વામી! એમ બોલો નહીં, તે આચાર્ય તો મારા ભાઈના ગુરુ થાય છે અને હિંસાને નિવારનારા છે.” રાણીએ આ પ્રમાણે કહ્યા છતાં આનાક રાજા વારંવાર તે પ્રમાણે કહેવા લાગ્યો, ત્યારે રાણી કોપ કરીને બોલી કે–“અરે જાંગડા! જીભને સંભાળી રાખો. હું તમારી સ્ત્રી છું એમ ઘારી મારો કદી ભય ન હોય, પણ શું મારા ભાઈ કુમારપાળનો પણ ભય નથી?' રાણીનાં આવાં વચન સાંભળી આનાકે રોષ કરી પત્નીને પાટુ મારી પત્નીએ કહ્યું, “અરે દુષ્ટ! જો તમારી જીભ મારા ભાઈ પાસે અવળા માર્ગે ખેંચી કઢાવું તો મને રાજપુત્રી સત્ય જાણજો.” આ પ્રમાણે કહીને તે પાટણ ચાલી ગઈ, અને પોતાની પ્રતિજ્ઞા ભ્રાતાને જણાવી. તત્કાળ સૈન્યથી વીંટાયેલા ચૌલુક્ય શાકંભરી ઉપર ચડાઈ કરી. કુમારપાળની મોટી સેના આવેલી સાંભળી આનાક રાજા પણ ત્રણ લાખ ઘોડા, પાંચ સો હાથી અને દશ લાખ પાયદલ લઈ સામો ચાલ્યો. બન્ને લશ્કર ભેળા થયા. પરંતુ ચૌલુક્ય રાજાની મોટી સેના જોઈને આનાકે ઘણું દ્રવ્ય આપી કુમારપાળની મોટી સેનામાં ફાટફૂટ કરી દીધી. પછી જ્યારે સંગ્રામ શરૂ થયો, ત્યારે સામંતોને યુદ્ધ કરવામાં ઉદાસ વૃત્તિવાળા જોઈ રાજા કુમારપાળ મહાવતને પૂછ્યું કે આ સામંતો યુદ્ધ કેમ કરતા નથી?” મહાવતે જણાવ્યું કે, “મહારાજ! તમારા સૈન્યના આગેવાનોને આનાકરાજાએ દ્રવ્ય આપીને ખૂટવ્યા છે.” રાજા બોલ્યો-“હે મહાવત! તું કેવો છું?” તે બોલ્યો-“હું, આ કલહ પંચાનન હાથી અને તમે એ ત્રણ જણ ફર્યા નથી.” આ હકીકત સાંભળી રાજા ચિંતાતુર ચિત્તે યુદ્ધ કરવા તૈયાર થયો. તે વખતે એક ચારણ બોલ્યો कुमारपाल मम चिंत कर, चिंत्युं किमपि न होय । जिणे तुह रज्ज समप्पियु, चिंता करशे सोय ॥१॥ अमे थोडा रिउ घणा, इय कायर चिंतंत । મુક્ત નિહાળિો ગયા, ૩ય વરંત રા. ભાવાર્થ-“હે રાજા કુમારપાળ! મનમાં ચિંતા કરીશ નહીં, ચિંતવેલું કાંઈ થતું નથી, કેમકે જેણે તને રાજ્ય આપ્યું છે, તે જ તારી ચિંતા કરશે. હે ભોળા રાજા! અમે થોડા અને શત્રુ ઘણા છે એમ ચિંતવવું, તે કાયરનું કામ છે; આ આકાશમાં જો કે ઉદ્યોત કરનારા થોડા છે કે ઘણા.” આવા તેના શબ્દ સાંભળી રાજા કુમારપાળ યુદ્ધ કરવા ચાલ્યા. બન્ને વચ્ચે મોટું યુદ્ધ થયું. પ્રાંતે અતુલ બળવાળો કુમારપાળ વીજળીની જેમ ઠેકીને શત્રુના હાથીના ઢંઘ ઉપર ચડી જઈ, હાથીની ધ્વજા છેદી, શત્રુને પૃથ્વી ઉપર પાડી, તેની છાતી ઉપર ચડી બેઠો. પછી કહ્યું કે, “અરે વાચાળ! મારી બહેનના વચન સાંભરે છે? હું તેની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે આ તલવાર વડે તારી જિહ્યા છેદી નાખું? હવે પછી હિંસક વાક્ય બોલીશ?” આ પ્રમાણે બોલવા વડે યમરાજની જેવા દુર્દર્શ કુમારપાળને જોઈ આનાક રાજા કાંઈ પણ બોલી શક્યો નહીં. તે વખતે કુમારપાળની પાસે તેની બહેને આવી પતિરૂપ ભિક્ષા માગી. એટલે કુમારપાળ બોલ્યો કે “અરે જાંગડા! તને બહેનનો પતિ જાણી મૂકતો નથી, પણ દયાઘર્મને અધિક માની જીવતો મૂકું છું. પણ તારે જિલ્લા ખેંચાવાનું આ ચિહ્ન પોતાના દેશમાં ઘારણ કરવું. આજથી તારા દેશમાં વામ અને દક્ષિણ ભાગે જિલ્લાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy