SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૫ ક્રોઘ બોલ્યો-“પિતા! મારું પરાક્રમ સાંભળો, હું આખા જગતને અંઘ અને બધિર કરી દઉં, ઘીર અને સચેતનને અચેતન જેવો કરી દઉં; મારા પ્રભાવથી બુદ્ધિમાન પણ કૃત્યાકૃત્ય જોતા નથી, હિતની વાત સાંભળતા નથી અને ભણેલું પણ ભૂલી જાય છે. એ પ્રમાણે લોભ અને દંભે (કપટે) પણ ગર્જના કરી પોતાની ભુજાનો આસ્ફોટ કરીને પોતાનું પરાક્રમ જણાવ્યું. પછી પોતાના શત્રુ ઘર્મરાજા સાથે તેમજ તેને સ્વદેશમાં અવકાશ આપનાર કુમારપાળ સાથે યુદ્ધ કરવા તે સર્વે એકઠા થઈ ગયા. રાજા કુમારપાળે ઘર્મરાજાના મંત્રી સદાગમ (સલ્ફાસ્ત્ર) ની સલાહ પ્રમાણે વર્તીને તેમને ક્ષણવારમાં જીતી લીધા. કુમારપાળનું આવું સાહસ અને બળવાનપણું જોઈ ઘર્મરાજા પ્રસન્ન થયા અને પોતાની પુત્રી કૃપાસુંદરી (દયા) તેને આપી (વાગ્દાન કર્યું. પછી શ્રી હેમચંદ્રસૂરિરૂપ બ્રાહ્મણે (કુળગુરુએ) શ્રી અહંતદેવની સમક્ષ, ઘર્મધ્યાનના ચાર ભેદરૂપ ચોરીમાં નવતત્ત્વરૂપ વેદી ઉપર પ્રબોઘરૂપ અગ્નિ પ્રગટાવી અને તેમાં ભાવનારૂપ ઘી હોમી કુમારપાળને કપાસુંદરી નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું (ફેરા ફેરવ્યા). તે વખતે ચત્તારિમંગલ વગેરે વેદોચ્ચાર કર્યો. પછી ઘર્મરાજાએ પોતાના જામાતાને પાણિમોચન પર્વમાં સૌભાગ્ય, આરોગ્ય, બળ અને અનેક સુખ આપ્યાં. રાજા કુમારપાળે કૃપાસુંદરીને પટરાણી પદ આપ્યું. (આ બધુ આંતરિક ગુણોનું રૂપક સમજવું.) એક વખતે રાજા કુમારપાળને, પોતે પૂર્વે પૃથ્વીમાં ફરતાં એક પાપ કર્યું હતું તે યાદ આવ્યું. તે એવી રીતે બન્યું હતું કે, એક વખતે રાજા દધિસ્થળીને માર્ગે જતો હતો. ત્યાં માર્ગમાં વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લેવા બેઠો. તેવામાં એક ઉંદર દરમાંથી સોનામહોરો કાઢતો જોવામાં આવ્યો. રાજાએ વિચાર્યું કે “આ મૂષક કેટલી મુદ્રા કાઢે છે તે જોઈએ.” ક્ષણવારમાં તેણે એકવીશ મુદ્રા કાઢી, પછી તે ઉપર નૃત્ય કરી અને શયન કરી એક મુદ્રા લઈને પાછો બિલમાં પેઠો. તે વખતે કુમારપાળે ચિંતવ્યું કે, “અહો! આ પ્રાણીને ઘનનો કાંઈ ભોગ નથી, કાંઈ ગૃહકાર્ય કરવાના નથી, કાંઈ પણ રાજાને આપવાનું નથી, બીજાનો કાંઈ સત્કાર કરવાનો નથી. વળી તીર્થયાત્રાદિક સુકૃત કાંઈ કરવાનું નથી, તથાપિ તે લુબ્ધબુદ્ધિથી ઘન ઉપર કેવી પ્રીતિ રાખે છે? તેથી હું માનું છું કે, આ જગતમાં ઘનના જેવું બીજું કાંઈ પણ મોહક નથી.” આ પ્રમાણે વિચારી રાજાએ બાકીની મુદ્રા લઈ લીધી અને દૂર ઊભો રહ્યો. એટલામાં તો ઉંદર બિલમાંથી નીકળ્યો, પણ ત્યાં એક મુદ્રા ન દીઠી એટલે તત્કાળ હૃદય ફાટી જવાથી મૃત્યુ પામ્યો. તે જોઈ રાજા ઘણો ખેદ પામ્યો સતે વિચારવા લાગ્યો કે धनेषु जीवितव्येषु, स्त्रीषु चान्येषु सर्वदा । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यंति यांति च ॥१॥ ભાવાર્થ-“અહો! પ્રાણીઓ ઘનની ઇચ્છામાં, જીવિતમાં, સ્ત્રીમાં અને બીજામાં સદા અતૃપ્ત રહ્યા સતા ચાલ્યા ગયા છે, ચાલ્યા જાય છે અને ચાલ્યા જશે.” આ પ્રમાણે પૂર્વ પાપને યાદ કરીને પાપનું પ્રાયશ્ચિત્ત કરવા સારુ પ્રથમ વ્રત ગ્રહણ કરવાને સમયે તે સ્થળે જઈ ત્યાં ઉંદરિકાવિહાર નામે પ્રાસાદ કરાવ્યો. તે અદ્યાપિ પણ ત્યાં રહેલો છે. એક વખતે શાકંભરી નગરીનો સ્વામી આનાક નામે રાજા જે કુમારપાળની બહેનનો સ્વામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy