SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૮] કુલક્રમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ ૨૭ માછી અને દારૂના પીઠાવાળા હતા તેમના વ્યાપાર બંધ કરાવ્યા અને તેઓની ઉપરના કર માત્ર છોડી દીધા, તેમજ તેઓનો નિષ્પાપવૃત્તિએ નિર્વાહ ચાલે તેવી યોજના કરી આપી. એક વખતે કુમારપાળના શરીરમાં કુળદેવીએ કરેલા કષ્ટને જોઈને વાગ્ભટ્ટ નામના મંત્રીએ કહ્યું કે, ‘સ્વામી! આત્મરક્ષા માટે દેવીને પશુ આપો.’ તે સાંભળી ‘અરે! આ વણિક કેવો નિઃસત્ત્વ છે! મારી ભક્તિમાં ઘેલો થઈ આવાં વચન બોલે છે.' એવું ધારી રાજા બોલ્યો કે, અરે મંત્રી! સાંભળ~ भवे भवे भवेद्देहो, भविनां भवकारणम् । न पुनः सर्ववित्प्रोक्तं, मुक्तिकारि कृपावृतम् ॥ १॥ श्वासश्चपलवृत्तिः स्याज्जीवितं च तदात्मकं । તાતેદું થં મુત્તે, સ્થિરાં મોક્ષરી પામ્ III ભાવાર્થ-આ ભવના કારણરૂપ દેહ ભવે ભવે પ્રાપ્ત થયા કરે છે, પણ સર્વજ્ઞ પ્રભુએ કહેલો દયાધર્મ વારંવાર પ્રાપ્ત થતો નથી. વળી શ્વાસ ચપલ છે અને જીવિત તેને આધીન છે, તો તેને અર્થે મોક્ષને આપનારી એવી સ્થિર દયા હું શા માટે છોડી દઉં?’’ આવી ધર્મદૃઢતાથી તેના દેહમાંથી સર્વ રોગ નાશ પામી ગયા. એક વખતે કુમારપાળ ગુરુને પ્રણામ કરી ઊભા હતા તે વખતે ગુરુ બોલ્યા–‘રાજન્! આવું દેહમાં કષ્ટ છતાં પણ તમે અર્હતના શાસનથી ભ્રષ્ટ થયા નહીં, તેથી આજથી તમને પરમાóનું બિરુદ આપું છું.’ આ પ્રમાણે રાજાના મુખમાં, મનમાં, ઘરમાં, દેશમાં અને નગરમાં સર્વત્ર દયા વ્યાપવાથી હિંસાને કોઈ ઠેકાણે સ્થાન મળ્યું નહીં, તેથી તે પોતાના પિતા મોહની પાસે ગઈ. મોહે ચિરકાળે જોયેલી હિંસાને ઓળખી નહીં, તેથી પૂછ્યું કે–“હે સુંદરી! તું કોણ છે?” તે બોલી−‘પિતાજી! હું તમારી વહાલી પુત્રી હિંસા છું.' મોહે પૂછ્યું કે ‘તું કેમ ગ્લાનિ પામી ગઈ છો?' હિંસા બોલી કે—‘હે તાત! કાંઈ કહેવાની વાત નથી. રાજા કુમારપાળે મને દેશમાંથી કાઢી મૂકી છે.' એ સાંભળી મોહ રોષ પામીને બોલ્યો–‘વત્સે! રુદન કર નહીં, હું તારા વૈરીઓને રુદન કરાવીશ.' આ પ્રમાણે આશ્વાસન આપી મોહે ગર્વથી કહ્યું–‘અરે પુત્રી! આ ત્રણ ભુવનમાં કોઈ એવો નથી કે જે મારી આજ્ઞાનો લોપ કરે.' પછી મોહરાજાએ પોતાના સૈન્યને સજ્જ કર્યું. તેમાં કદાગ્રહ નામે મંત્રી હતો, અજ્ઞાનરાશિ નામે સેનાપતિ હતો, મિથ્યાત્વ, વિષય અને દુર્ધ્યાનરૂપ સુભટો હતા અને હિંસાની સાથે પાણિગ્રહણ કરાવનારા યજ્ઞકર્તા બ્રાહ્મણો પણ હતા. તે સર્વ સૈન્ય ચૌલુક્યવંશી કુમારપાળની સાથે યુદ્ધ કરવા ગયું, પણ પરાભવ પામી પાછું આવ્યું, એટલે મોહ દુઃખથી વિલાપ કરવા લાગ્યો. તે વખતે રાગાદિ પુત્રો તેને કહેવા લાગ્યા–‘પિતાજી! તમારા જેવા ગરુડને ટીટોડીરૂપ કુમારપાળની ઘર્મબુદ્ધિને છેદવામાં આટલો બધો ખેદ કેમ થાય છે?” પછી મોહનો મોટો પુત્ર રાગ બોલ્યો–‘તાત! હું એકલો જ આ ત્રણ ભુવનને જીતી શકું તેવો છું. જુઓ! ઇંદ્ર અહલ્યાનો જાર થયો, બ્રહ્મા પોતાની પુત્રી પછવાડે ગયા અને ચંદ્રે ગુરુની સ્ત્રીને સેવી, એ પ્રમાણે મેં કોને કોને અસ્થાને પગ નથી મુકાવ્યો? મારા બાણને જગતને ઉન્માદ ઉત્પન્ન કરવામાં શો શ્રમ પડે?’ પછી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy