SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૮]. કુલઝમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ વચનથી અનશન લઈ મૃત્યુ પામીને તે સ્વર્ગે ગઈ. તે જોઈ રાજા વગેરે પણ અહિંસા ધર્મ સ્વીકાર્યો. મુનિ ચારિત્ર પાળીને મોક્ષે ગયા. આ પ્રમાણે દાસીપુત્રના પ્રબંઘથી હિંસાનો સંકલ્પ કરવો તે પણ અતિ દુઃખદાયક છે, એમ જાણી રાગદ્વેષવડે થતી હિંસાને તજી દઈ તે મુનિ ચિકૂપલક્ષ્મી (મોક્ષ લક્ષ્મી)ને પ્રાપ્ત થયા. વ્યાખ્યાન ૬૮ કુલક્રમાગત હિંસા છોડનાર શ્રેષ્ઠ કોઈક અજ્ઞાની એમ કહે છે કે “જે માછી કે વાગરિક જાતના લોકો છે તેઓને બોકડા, કૂકડા વગેરેની હિંસા કરવી તે તો કુલાચાર પ્રમાણે ચાલી આવે છે. તેથી તે કાંઈ પાપનો હેતુ થતી નથી. કારણ કે, તેઓ કહે છે કે, અમને તો ઈશ્વરે આવો જ અવતાર આપ્યો છે, અને અમારા પૂર્વજોએ જે આચર્યું છે તે અમે પણ આચરીએ છીએ તો તેમાં કાંઈ દોષ નથી.” આ પ્રમાણે કહેનારાઓ પ્રત્યે જે શિક્ષા છે, તે નીચે પ્રમાણે છે : कुलक्रमागतां हिंसां, परित्यजति यो बुधः । कुमारपालवद् ज्ञेयः, स श्रेष्ठः श्रावकोत्तमः॥१॥ ભાવાર્થ-જે પ્રાજ્ઞ પુરુષ કુલક્રમથી ચાલી આવતી હિંસાને ત્યજી દે છે તેને કુમારપાળના જેવો શ્રેષ્ઠ અને ઉત્તમ શ્રાવક સમજવો.” આ વિષે કુમારપાળનો પ્રબંઘ છે તે આ પ્રમાણે શ્રી કુમારપાળ રાજાની કથા પાટણ નગરમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામ્યો ત્યારે સંવત ૧૧૬૬ના વર્ષમાં કુમારપાળ રાજા થયો. કહ્યું છે કે, न श्रीः कुलक्रमायाता, शासने लिखिता न च । खड्रेनाक्रम्य भुंजीति, वीरभोग्या वसुंधरा ॥१॥ ભાવાર્થ-“લક્ષ્મી કાંઈ કુલક્રમથી ચાલી આવતી નથી, અને લેખમાં લખાતી નથી, પણ તે તો માત્ર ખથી જ મેળવીને ભોગવાય છે, કારણ કે, પૃથ્વી વીરભોગ્યા જ છે.” તે કુમારપાળ રાજાએ પચાસ વર્ષ પર્યત દેશાંતરમાં ફરવાથી મેળવેલી નિપુણતા વડે રાજનીતિ સ્થાપના કરી હતી. તેણે દિવિજય કરીને અગિયાર લાખ ઘોડા, અગિયારસો હાથી, પચાસ હજાર રથ, બોંતેર સામંત અને અઢાર લાખ પેદલ–એટલી સમૃદ્ધિ એકઠી કરી હતી. તેના દિગ્વિજયનું પ્રમાણ શ્રી વીરચરિત્રમાં આ પ્રમાણે કહેલ છે કે-“કુમારપાળ રાજા પૂર્વમાં ગંગા સુઘી, દક્ષિણમાં વિંધ્યાચળ સુઘી, પશ્ચિમમાં સિંધુ નદી સુઘી અને ઉત્તરમાં તુર્ક દેશ સુધી પોતાની આજ્ઞા પ્રવર્તાવશે.” એક વખતે કુમારપાળ રાજા સભા ભરીને બેઠો હતો તેવામાં શ્રી હેમચંદ્રસૂરિ તેને પ્રતિબોઘ પમાડવા માટે ત્યાં આવ્યા. સૂરિને આવતા જોઈ રાજાએ ઊભા થઈ આસન આપ્યું અને ગુરુએ પૂર્વે કરેલા ઉપકારો સંભારીને તેમને વંદના કરી. પછી રાજાએ પૂછ્યું કે– હે ભગવન્! સર્વ ઘર્મમાં કયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy