SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ શ્રીપુર નામના નગરમાં ઘન્ય નામે શ્રેષ્ઠી હતો. તેને સુંદરી નામે સ્ત્રી હતી. તે વ્યભિચારિણી હતી. એક વખતે તેના જારપુરુષે તેને કહ્યું કે, “આજથી તારે મારી પાસે આવવું નહીં, કારણ કે હું તારા સ્વામીથી ભય પામું છું.' સુંદરી બોલી–પ્રિયતમ! એવું બોલો નહીં, થોડા દિવસમાં હું એવું કરીશ કે આપણે નિર્ભય થઈશું. અર્થાત્ મારા પતિને હું મારી નાખીશ.” એક વખતે તે સુંદરીએ પતિને મારી નાખવા ઝેર સાથે દૂધનો પ્યાલો તૈયાર કર્યો. પછી પતિને પીરસવા માટે તે પ્યાલો લેવાને જેવી તે ઘરમાં ગઈ તેવામાં તેને સર્ષે ડસી, એટલે તે પૃથ્વી પર પડીને મૃત્યુ પામી. ઘન્ય શ્રેષ્ઠી તેના પડવાનો અવાજ સાંભળી સંભ્રમથી ભોજન કરતો ઊભો થયો અને “આને શું થયું?” એમ બોલતો તેની પાસે ગયો. તત્કાળ સુંદરીને મૃત્યુ પામેલી જોઈ તેના પર સ્નેહથી તેના દુશ્ચરિત્રને નહીં જાણનારો તે વિલાપ કરવા લાગ્યો. સુંદરી મૃત્યુ પામીને સિંહ થઈ. ઘ શ્રેષ્ઠીએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. અન્યદા કોઈ વનમાં તે ઘન્યમુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા. ત્યાં દૈવયોગે પેલી સુંદરીનો જીવ સિંહ આવી ચડ્યો. તેણે પૂર્વભવના વૈરથી મુનિને મારી નાખ્યા. ઘન્યમુનિ મૃત્યુ પામીને બારમા અય્યત દેવલોકે દેવતા થયા અને તે સિંહ મરીને ચોથી નરકે ગયો. ઘન્યમુનિનો જીવ બારમા સ્વર્ગથી ચવી ચંપાનગરીમાં દત્ત નામના શ્રેષ્ઠીને ઘેર વરદત્ત નામે પુત્ર થયો. તે બાલ્યવયથી જ વિવેકી, દાતાર અને દયાળુ હતો. થોડા વખતમાં તેણે સમકિત રત્ન પ્રાપ્ત કર્યું. સુંદરીનો જીવ ચોથી નરકમાંથી નીકળી અનેક ભવમાં ભમી વરદત્તને ઘેર કામુકા નામે દાસીનો પુત્ર થયો. તે દાસીપુત્ર એવા નામથી પ્રખ્યાત થયો. એ દાસીપુત્ર વરદત્તને શત્રુની જેમ જોવા લાગ્યો, તથાપિ તેને પ્રીતિ ઉત્પન્ન કરવા થોડી થોડી દયા પાળવા લાગ્યો. તેને ઘર્મિષ્ઠ જાણી સંતુષ્ટ થયેલા શ્રેષ્ઠીએ વિચાર્યું કે, “આ મારો ઘર્મબંધુ છે. તે કર્મયોગે નીચ કુળમાં ઉત્પન્ન થયો છે, પણ જૈન સિદ્ધાંત પ્રમાણે પરમાર્થથી કુળની પ્રઘાનતા જોવાતી નથી.” આવું વિચારી તેણે લોકોની સમક્ષ તેને પોતાના ભ્રાતા તરીકે સ્થાપન કર્યો. ત્યારથી લોકોમાં પણ તે શ્રેષ્ઠીભ્રાતા એવા નામથી પ્રસિદ્ધ થયો. દાસીપુત્ર, ઉપરથી કપટવૃત્તિવડે ભક્તિ બતાવતો, પણ અંદરથી ગૃહનો સ્વામી થવા માટે શ્રેષ્ઠીને મારી નાખવા સારુ વિવિઘ પ્રકારના ઉપાયો યોજતો હતો. એક વખતે તેણે શયન સમયે શ્રેષ્ઠીને વિષયુક્ત નાગરવેલનું પાન આપ્યું, પણ વરદત્તે તે સમયે ચોવિહારનું પચખાણ કરેલું હોવાથી તે ઓશીકે મૂકીને સૂઈ ગયો. પ્રાતઃકાળે નવકારનું સ્મરણ કરતો તે દેરાસરે પ્રભુને નમવા ગયો. એ સમયે વરદત્તની સ્ત્રીને તે તાંબૂલપત્ર હાથ આવતાં દાસીપુત્રને આંગણામાં ઊભેલો જોઈ તે બોલી કે–દેવર! આ તાંબૂલ ગ્રહણ કરો.' દાસીપુત્ર તેના રૂપ તથા કંકણાદિ અલંકારમાં મન લગાડી તેની મનોહર વાણીથી મોહ પામી પ્રસન્ન થઈ ગયો હતો, તેથી તે તાંબૂલપત્ર ભક્ષણ કરી ગયો. તત્કાલ વિષપ્રયોગથી ભૂમિ ઉપર પડી આર્તધ્યાને મૃત્યુ પામી તે દાસીપુત્ર આ સમડીરૂપે ઉત્પન્ન થયો છે. તેનું એવું સ્વરૂપ જોઈ સંસારથી વૈરાગ્ય પામી સ્વદ્રવ્યને ઉત્તમ ક્ષેત્રમાં વાપરી વરદત્તે દીક્ષા લીધી, તે આ હું છું અને આ પ્રમાણે મારું પૂર્વ વૃત્તાંત છે.” એ વખતે તે સમડી પોતાનો પૂર્વભવ સાંભળી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી વૃક્ષની નીચે ઊતરી ગુરુના ચરણમાં પડી, અને તેણે પોતાના અપરાઘ ખમાવ્યા. પછી મુનિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy