SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ એષણીય અન્નાદિ લઈ પાછા વળતાં માર્ગમાં એક વૃદ્ધ અને અંઘ કોઢીઆને જોયો. તેના મુખ ઉપર માખીઓ બણબણી રહી હતી અને તે પગલે પગલે અલિત થતો હતો. એવા દુઃખના ઘરરૂપ તેને જોઈ ગૌતમસ્વામીએ પ્રભુની પાસે આવીને પૂછ્યું કે “હે ભગવન્! આજે મેં એક એવા મહા દુઃખી પુરુષને જોયો છે કે તેના જેવો વિશ્વમાં બીજો કોઈ દુઃખી પુરુષ હશે?” પ્રભુ બોલ્યા–“હે ગૌતમ! એને કોઈ મોટું દુઃખ નથી. આ જ ગામમાં વિજય રાજાની પત્ની મૃગાવતી નામે રાણી છે, તેનો પ્રથમ પુત્ર લોઢીઆના જેવી આકૃતિવાળો છે, તેના દુઃખ આગળ આનું દુઃખ કોણ માત્ર છે? એ મૃગાપુત્ર મુખ, નેત્ર અને નાસિકાદિથી રહિત છે, તેના દેહમાંથી દુર્ગઘી, રુથિર અને પરુ સ્ત્રવ્યા કરે છે, તે જન્મ લીઘા પછી સદા ભૂમિગૃહમાં જ રહે છે.” આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામી આશ્ચર્ય પામ્યા અને પ્રભુની આજ્ઞા લઈ તેને જોવાની ઇચ્છાએ રાજાને ઘેર ગયા. રાજપત્ની મૃગાવતી ગણઘર મહારાજને અચાનક આવેલા જોઈ બોલી–“હે ભગવન્! તમારું દુર્લભ આગમન અકસ્માત્ કેમ થયું?” ગણઘર ભગવંત બોલ્યા- “મૃગાવતી! પ્રભુના વચનથી તારા પુત્રને જોવા માટે આવ્યો છું.” રાણીએ તરત જ પોતાના સુંદર આકૃતિવાળા પુત્રો બતાવ્યા, એટલે ગણઘર બોલ્યા- હે રાજપત્ની! આ સિવાય તારા જે પુત્રને ભૂમિગૃહમાં રાખ્યો છે તે બતાવ.” મૃગાવતી બોલી કે–“ભગવન્! મુખે વસ્ત્ર બાંઘો અને ક્ષણવાર રાહ જુઓ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું ને તેમાંથી કેટલીક દુર્ગધ નીકળી જાય તેમ કરું.” પછી ક્ષણવારે મૃગાવતી ગૌતમસ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ. ગૌતમસ્વામીએ નજીક જઈને મૃગાવતીના પુત્રને જોયો. તે પગના અંગૂઠા, હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથ વગરનો હતો; જન્મથી નપુંસક, બધિર અને મૂંગો હતો; દુસ્સહ વેદના ભોગવતો હતો; જન્મથી માંડીને શરીરની અંદરની આઠ નાડીમાંથી અને બહારની આઠ નાડીમાંથી રુધિર તથા પરુ અવ્યા કરતું હતું. જાણે મૂર્તિમાન પાપ હોય તેવા તે લોઢકાકૃતિ પુત્રને જોઈ ગણઘર બહાર નીકળ્યા અને પ્રભુની પાસે આવીને પૂછ્યું કે, “હે સ્વામી! આ જીવ કયા કર્મથી નારકીના જેવું દુઃખ ભોગવે છે?' પ્રભુ બોલ્યા “શતદ્વાર નામના નગરમાં ઘનપતિ નામના રાજાને ઈક્કાઈ રાષ્ટ્રકૂટ નામે એક સેવક હતો. તે પાંચસો ગામના અધિપતિ હતો. તેને સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિ હતી. તે ઘણા આકરા કરોથી લોકોને પીડતો હતો અને કાન, નેત્ર વગરે છેદીને લોકોને હેરાન કરતો હતો. એક સમયે તેના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે–શ્વાસ, ખાંસી, જવર, દાહ, પેટમાં શૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, નેત્રભ્રમ, મુખે સોજા, અન્ન પર દ્વેષ, નેત્રપીડા, ખુજલી, કર્ણવ્યાધિ, જલોદર અને કોઢ, કહ્યું છે કે दुष्टानां दुर्जनानां च, पापीनां क्रूरकर्मणाम् । अनाचारप्रवृत्तानां, पापं फलति तद्भवे ॥१॥ ભાવાર્થ-દુષ્ટ, દુર્જન, પાપી, ક્રૂરકર્મ કરનાર અને અનાચારમાં પ્રવર્તનારને તે જ ભવમાં પાપ ફળે છે.” તે રાઠોડે ક્રોઘ અને લોભને વશ થઈ અનેક પાપો કર્યા. તેણે પોતાનો બધો કાળ પાપ કરવામાં જ ગુમાવ્યો. એવી રીતે અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામીને તે પહેલી નરકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy