SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ ૫ થાય.” રાજાને તે વિચાર પસંદ પડ્યો. અન્યદા રાજાએ હરિબળને બોલાવીને કહ્યું કે, “હે સાત્ત્વિક શિરોમણિ! તમારા સિવાય બીજો કોણ અગ્નિમાર્ગે જઈને યમરાજને મારે ઘેર તેડી લાવે?” તે સાંભળી હરિબળે વિચાર્યું કે, “રાજાને આવી બુદ્ધિ મંત્રીથી પ્રાપ્ત થઈ છે.” પછી તે તો રાજાની આજ્ઞા પ્રમાણ કરીને ઘેર આવ્યો અને વિચારવા લાગ્યો કે, “ખલ પુરુષોને ઉપકાર કરવાથી ઊલટો મહાદોષ ઉત્પન્ન થાય છે, શું અનુકૂળ વર્તવાથી મનગમતું ભોજન ખાવાથી) રોગ અતિશય કોપ નથી કરતા? કરે જ છે. માટે હવે ખલને યોગ્ય શિક્ષા જ કરવી.” પછી રાજાએ એક ચિતા રચાવી. હરિબળ પણ તરત પેલા દેવને સંભારીને ત્યાં આવ્યો અને જાજ્વલ્યમાન અગ્નિમાં પ્રવેશ કર્યો. તત્કાલ તેની કાયા સુવર્ણવત દેદીપ્યમાન થઈ અને તે પોતાને ઘેર આવ્યો, પણ કોઈએ તેને જોયો નહીં. એ સમયે રાજા પણ નિર્ભયપણે હરિબળને ઘેર આવ્યો અને તેની સ્ત્રીઓની પાસે કામભોગની યાચના કરી. ત્યારે તે સ્ત્રીઓ બોલી કે–“હે સ્વામી! આપને સેવકની સ્ત્રીઓ પાસે આવું વાક્ય બોલવું ઘટિત નથી. કારણ કે આ તો પહેરેગીરોએ જ ચોરી કરવી, રક્ષકોએ જ ઘાડ પાડવી, જળમાંથી જ લાય ઉત્પન્ન થવી અને સૂર્યથી જ અંઘકાર ઉત્પન્ન થવા જેવું છે.” આવી રીતે અનેક યુક્તિથી સમજાવ્યો તથાપિ તેણે પોતાનો આગ્રહ મૂક્યો નહીં, એટલે તે બન્ને સ્ત્રીઓએ મળીને રાજાને દ્રઢ બંધનથી બાંધી લીધો અને તેના અવયવ જર્જરિત કરી દીઘા. પછી દયા લાવીને તેને છોડી મૂક્યો એટલે પ્રાતઃકાળે તે લગ્નથી પોતાના અંતઃપુરમાં પેસી ગયો. હવે હરિબળે વિચાર્યું કે, “કોઈ વાર આ દુષ્ટ મંત્રી આવા દંભ કરીને મને મારી નાખશે, માટે હું જ દંભ કરીને તેને યમરાજનો અતિથિ કરું. કહ્યું છે કે व्रजंति ते मूढधियः पराभवं, भवंति मायाविषु ये न मायिनः । प्रविश्य ही नंति शठास्तथाविधा-नसंवृतांगान्निशिता इवेषवः ॥१॥ ભાવાર્થ-જે માયાવીની સાથે માયાવી થતા નથી તે મૂઢ લોકો પરાભવને પામે છે. કારણ, તેવા શઠ લોકો, કવચ વગરના શરીરવાળા પુરુષોને જેમ તીક્ષ્ય બાણ પરાભવ કરે છે તેમ અંદર પેસીને હેરાન કરે છે.' આ પ્રમાણે વિચારી હરિબળ કોઈ પુરુષને યમરાજનો છડીદાર બનાવી તેની સાથે રાજસભામાં આવ્યો. રાજા તેને જોઈ વિસ્મય પામ્યો. તેણે હરિબળને યમરાજનું સ્વરૂપ પૂછ્યું. એટલે હરિબળે સ્વબુદ્ધિ પ્રમાણે તેનું વર્ણન કરી બતાવ્યું. પછી જણાવ્યું કે, “હે સ્વામી!હું યમરાજનું વર્ણન વચનથી શું કરી શકું? કારણકે મોટા મોટા યોગદ્રો પણ તેના ભયથી યોગાભ્યાસ કરે છે. વઘારે શું કહું! ત્રણે ભુવન તેની સેવા કરે છે. હે રાજેન્દ્ર!મેં જ્યારે સારી યુક્તિથી તેને આમંત્રણ કર્યું ત્યારે તેમણે પોતાનો છડીદાર મારી સાથે આપીને કહ્યું કે, મારી સમૃદ્ધિ જોવાને માટે તારા રાજાના મંત્રીને આની સાથે મોકલજે, પછી હું તેની સાથે આવીશ.” હરિબળે આ પ્રમાણે કહ્યું એટલે પેલા કૃત્રિમ છડીદારે પણ કહ્યું કે, “હે મંત્રી! સત્વર ત્યાં પઘારો.” તે વખતે રાજા પણ જલતા અગ્નિમાં પ્રવેશ કરવાને ઉત્સુક થઈ ગયો. તે જોઈ સ્વામીદ્રોહના ભયથી હરિબળે કહ્યું કે, “મહારાજ! પ્રથમ તમારા આવવાના ખબર આપવા મંત્રીને મોકલો, પછી આપ પધારજો.” એટલે મંત્રી રાજાની વઘામણી દેવા માટે ઉત્સુક થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy