SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૫] કુલક્રમાગત હિંસા ત્યાજ્ય ચંદ્રહાસ ખગ કોઈ ઉપાયે લાવી આપીશ.' પછી તેની સંમતિથી તે સ્ત્રીએ વિભીષણનું ચંદ્રહાસ ખડ્ગ ગુપ્ત રીતે લાવી આપ્યું. તે સ્ત્રીની બુદ્ધિથી ચમત્કાર પામેલો હિરબળ પેલી અમૃતતુંબી, તે સ્ત્રી અને ચંદ્રહાસ ખડ્ગ લઈ લંકા નગરીની બહાર નીકળ્યો. અહીં હરિબળના ગયા પછી રાજા ગુપ્ત રીતે તેને ઘેર આવ્યો અને વસંતશ્રી પાસે તેના સંગમની પ્રાર્થના કરી. તે ચતુરા દ્વેષ અને ખેદ અંતરમાં ગોપવી બોલી કે, ‘હે રાજા, મારા પતિની શુદ્ધિ આવતા સુધી રાહ જુઓ.' રાજાએ કપટવૃત્તિએ વિચાર્યું કે, “હવે આ સ્ત્રી મારે વશ જ થવાની છે, અને તેનો પતિ તો મૃત્યુ જ પામવાનો છે તેથી થોડા દિવસ રાહ જોવી ઠીક છે.’’ આવું વિચારી તેનું વાક્ય સ્વીકારીને તે પાછો રાજમહેલમાં ગયો. ૧૯ અહીં હરિબળ દેવસાન્નિધ્યે સમુદ્ર ઊતરી કુસુમશ્રીને પોતાના નગરના ઉદ્યાનમાં મૂકી ગુપ્ત રીતે પોતાને ઘેર આવ્યો. ત્યાં વસંતશ્રી પતિની વિરહવ્યથાથી પીડાતી હતી, તેને પ્રત્યક્ષ મળ્યો. બન્નેએ પોતપોતાના વૃત્તાંત જણાવ્યા. પછી હરિબળે રાજાની ઇચ્છાનું મર્દન કરવા માટે રાજાની પાસે પોતાના ખબર મોકલાવ્યા. પછી તેણે પોતે જઈને રાજાને કહ્યું કે, ‘“હું વિભીષણને નોતરી તેની પુત્રી પરણીને આવ્યો છું. તે આ ઉપવનમાં છે અને વિભીષણ કુશળ છે.’’ આવું કર્ણકટુ વચન સાંભળી રાજા વિસ્મય પામ્યો, પણ લોકાપવાદના ભયથી તેને પ્રિયા સાથે મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રાજાએ તેને વૃત્તાંત પૂછ્યું, એટલે તે બોલ્યો, ‘‘હે રાજન! હું અહીંથી ચાલી અનુક્રમે દુસ્તર સાગર પાસે ગયો. ત્યારે સમુદ્ર જોઈને મને ઘણો ઉદ્વેગ થયો. તેવામાં સમુદ્રમાંથી આવતા એક રાક્ષસને મેં દીઠો. તેને જોઈ મેં નિર્ભયપણે લંકામાં જવાનો ઉપાય પૂછ્યો. એટલે તેણે કહ્યું કે, જે પુરુષ અહીં કાષ્ઠભક્ષણ (અગ્નિપ્રવેશ) કરે તેનો જ ત્યાં પ્રવેશ થાય છે.’ એમ સાંભળી ‘સેવકે સ્વામીનું કાર્ય અવશ્ય કરવું જ જોઈએ.' એવું હૃદયમાં ધારી હું ચિતામાં પેઠો; એટલે મારા દેહની ભસ્મ લઈ તેણે વિભીષણ પાસે મૂકી અને મારું વૃત્તાંત જણાવ્યું. પછી વિભીષણે મારી સાત્ત્વિક વૃત્તિથી સંતુષ્ટ થઈ અમૃત છાંટીને મને સજીવન કર્યો અને પોતાની પુત્રી પરણાવી. પછી મેં તેમને તમારું આમંત્રણ જણાવ્યું. ત્યારે તે બોલ્યા કે, “મોટા માણસે પોતાથી ન્યૂન હોય તેને ઘેર જવું તે માનહાનિ છે, તેથી પ્રથમ તારા રાજાએ અહીં આવવું યોગ્ય છે. પછી હું તારા કહેવા પ્રમાણે કરીશ. આ વાતની એંઘાણી તરીકે હું મારું ચંદ્રહાસ ખગ તને આપું છું.'' એમ કહી મને ખડ્ગ આપ્યું. પછી તેમણે પોતાની શક્તિથી પ્રિયા સહિત મને અહીં પહોંચાડી દીધો.’’ આવા યુક્તિવાળા તેના વાક્યને સત્ય માની રાજા મંત્રીની સાથે વિચારમાં પડ્યો કે, ‘અહો! આ તો જીવતો આવ્યો. માટે હવે ફરી વાર કાંઈક છળ કરીને તેને દુઃખમાં પાડીએ.’ કહ્યું છે કે, ‘‘રાજા, સર્પ, પિશુન, ચોર, ક્ષુદ્રદેવતા, શિકારી પ્રાણી, શત્રુ અને ડાકણ તે દુષ્ટ છે તો પણ છળ વિના શું કરી શકે? તે સિવાય તેમનો આરંભ નિષ્ફળ થાય છે.’’ એક વખતે હરિબળે ભવિષ્યમાં થવાના અનર્થનો વિચાર કર્યા વગર મંત્રીઓ સહિત રાજાને ભોજનનું નિયંત્રણ કર્યું. રાજા જમવા આવ્યો ત્યારે તેની સ્ત્રીનું લાવણ્ય જોઈને અત્યંત કામપીડિત થઈ ગયો. પછી તેણે મંત્રીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. એટલે મંત્રીએ કહ્યું કે, ‘હે સ્વામી! યમરાજને આમંત્રણ કરવા જવાને મિષે એને અગ્નિમાં નાખી દઈએ, તો આપણું ઇચ્છિત પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy