SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ કરીશ?” એમ તેની સ્ત્રી ચિંતામાં પડી. એવામાં પેલો બળદ પ્રાતઃકાળ થવાથી આવશ્યક સાંભળવા, પચખાણ લેવા તેમજ શ્રેષ્ઠીના દર્શન કરવા ત્યાં આવ્યો. એટલે પેલી કુટિલ સ્ત્રી શ્રેષ્ઠીનું રુધિર તે બળદના શીંગડા ઉપર ચોપડી બુબારવ કરતી સતી હૃદય પર તાડન કરવા લાગી અને કહેવા લાગી કે, “આ બળદે મારા પતિને મારી નાખ્યો.” તે સાંભળી ઘણા લોકો બળદની નિંદા કરવા લાગ્યા. કારણકે, “જળમાં માછલાના પગલાં જણાય નહીં, આકાશમાં પક્ષીના પગલાં જણાય નહીં અને સ્ત્રીના હૃદયનો માર્ગ જણાય નહીં, તે ત્રણે અમાર્ગમાં માર્ગ છે.” તે વખતે લોકોએ કરેલી પોતાની નિંદા સાંભળીને તે બળદ મસ્તકની સંજ્ઞાથી “મેં નથી માર્યો’ એમ જણાવવા લાગ્યો. પછી લોકો તે બન્નેને રાજા પાસે લઈ ગયા. મંત્રીએ ન્યાય કર્યો કે, “આ બન્નેમાં જે સત્ય હોય તે જિલ્લા વડે તપાવેલા લોઢાના ગોળાને ચાટે.” બળદે તે વાત સંજ્ઞાથી (ઇશારાથી) સ્વીકારી અને તત્કાળ તપાવીને લાવેલા લોઢાના ગોળાને ચાટવા લાગ્યો. તે જોઈ પેલી કુલટા સ્ત્રીનું મુખ શ્યામ થઈ ગયું. તેથી તત્કાળ રાજાએ તેને હદ પાર કરી દીધી. જિનદાસ શ્રેષ્ઠીએ તેવું મહા આકરું દુઃખ પડતાં છતાં પણ પોતાના ઘર્મને મન, વચન, કાયા વડે જરા પણ છોડ્યો નહીં. વળી બળદને ઘર્મવાન્ કર્યો અને પોતાની સ્ત્રીને મોટા અપરાઘવાળી જોઈને મનમાં જરા પણ તેની હિંસા ચિંતવી નહીં. ઉત્તમ જનોએ તેનું યથાશક્તિ અનુકરણ કરવું. વ્યાખ્યાન ૫ કુલકમાંગત હિંસા ત્યાજ્ય હવે કુલક્રમથી ચાલી આવતી હિંસાને છોડનારની સ્તુતિ કરે છે. वंशक्रमागतां हिंसा-मपि त्यजति यो बुधः । स स्याद् हरिबलस्येव, राज्यादिसंपदां पदम् ॥१॥ ભાવાર્થ-“જે પ્રાણ પુરુષ કુલક્રમથી ચાલી આવતી હિંસાને પણ છોડી દે છે, તે હરિબલની જેમ રાજ્યાદિક સંપત્તિનું સ્થાન થાય છે.” શ્રી હરિબલ માછીની કથા કાંચનપુર નગરમાં જિતારી નામે રાજા હતો. તેને વસંતશ્રી નામે લાવણ્ય રૂપવતી પુત્રી હતી. એ ગામમાં એક હરિબળ નામે મચ્છીમાર રહેતો હતો. તે એક દિવસ પોતાની સ્ત્રીના કલહથી ઉદ્વેગ પામી જાળ લઈને નદીને તીરે આવ્યો. ત્યાં એક મુનિને જોઈ તે તેમની પાસે ગયો. તે મુનિ પાસેથી તેણે આ પ્રમાણે ઘર્મદેશના સાંભળી–“મેરુ પર્વતથી શું મોટું છે, સમુદ્રથી શું ગંભીર છે, આકાશથી વિસ્તારવાળું શું છે અને અહિંસા ઘર્મથી બીજો ઘર્મ શો છે? અર્થાત્ તે ચાર વાના જ મોટા છે. જ્યાં સુધી એટલું પણ જાણ્યું નહીં કે બીજાને પીડા કરવી નહીં, ત્યાં સુધી પરાળના પૂળાની જેવા કોટી અક્ષરોના પદને ભણી ગયા તો તેથી શું? કાંઈ નહીં. તે વિષે મહાભારતમાં પણ કહ્યું છે કે यो दद्यात्कांचनं मेलं, कृत्स्नां चैव वसुंधराम् । एकस्य जीवितं दद्याद्, न च तुल्यं युधिष्ठिर! ॥४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy