SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સંભ ૫ પૃથ્વીકાયનું શરીર અને તેથી અસંખ્યગુણું એક બાદર નિગોદનું* શરીર થાય. અહીં બાદરા પૃથ્વીકાયના શરીરની સૂક્ષ્મતા બતાવે છે- જેમ કોઈ યુવાન પુરુષ એરણ ઉપર હીરો મૂકી તે પર પ્રયત્નથી ઘણનો ઘા કરે તો તે હીરાનો ભંગ થતો નથી, પણ તે ઊલટો એરણમાં પેસી જાય છે. તેવા હીરાને ચક્રવર્તીની સ્ત્રી (રત્ન) પોતાને હાથે મર્દન કરી તેનું ચૂર્ણ કરીને સ્વસ્તિક પૂરે છે. તે સ્ત્રીરત્ન પણ પૃથ્વીકાયના પિંડને એક નિસાતરા (ચટણી વાટવાના પથ્થર) પર મૂકી મર્દન કરે ત્યારે તેમાંના કોઈ જીવને પીડા થાય, કેઈને બિલકુલ પીડા ન થાય, કોઈનું મરણ થાય અને કોઈને અલ્પ પણ દુઃખ ન થાય. એટલી બઘી પૃથ્વીકાય જીવોની સૂક્ષ્મતા છે. વળી જેમ કોઈ મોટા નગરમાં કોઈના ઘરમાંથી ચોરે દ્રવ્ય લૂંટ્યું તો તેની વાર્તા તેના પાડોશી જાણે છે પણ કોઈ તો મૂળથી જાણતા નથી. તેવી રીતે લવણ વગેરે પૃથ્વીકાયને માટે જાણી લેવું. તે જ પ્રમાણે સ્થાવર એવા વનસ્પતિકાયમાં પણ સિદ્ધાંતને અનુસાર જીવત્વ જાણવું. તેઓ વધે છે, પત્ર આવે છે, પુષ્પિત થાય છે, ફલ આપે છે, પોતપોતાને પત્ર, પુષ્પ, ફળ આવવાનો કાળ જાણે છે, ઇંદ્રિયોના અર્થને ગ્રહણ કરે છે, ગીતાદિકની અસર થાય છે, બકુલાદિના વૃક્ષોમાં તેવું દેખાય છે. વળી તેને જન્મ, વૃદ્ધિ અને જરા પ્રાપ્ત થાય છે, તેથી વનસ્પતિને જીવપણું કેમ ન હોય? હોય જ. તે વિષે કહ્યું છે કે, વનસ્પતિ' એ જીવ છે, કારણ કે તેમાં મનુષ્યની જેમ જન્મ, જરા અને વૃદ્ધિ વગેરે ગુણો છે. જળ પણ સજીવ છે તે ભૂમિમાંથી દેડકાની જેમ સ્વાભાવિક રીતે પ્રગટે છે. અગ્નિ પણ સજીવ છે, કારણ કે બાળકની જેમ આહારથી (કાષ્ઠ આદિથી) તેની વૃદ્ધિ જોવામાં આવે છે. પવન પણ સજીવ છે, તે ગાયની જેમ બીજાની પ્રેરણાથી આડો અથવા નિયતપણે ગમન કરે છે. તેમજ વૃક્ષ પણ સજીવ છે, જો તેની સર્વ વચા ઉખેડી નાખે તો ગર્ભની જેમ તે વિનાશ પામે છે. આ પ્રમાણે આગમવાક્યથી તથા યુક્તિથી તે સ્થાવરનું જીવપણું જાણીને તેમજ તથા પ્રકારે દયારૂપ ઘર્મને સમજીને શ્રાવકે સ્થાવર જીવની પણ નિરર્થક હિંસા કરવી નહીં–એ તાત્પર્યાર્થ છે. હવે પ્રથમ વ્રતની સ્તુતિ કરે છે. सर्वव्रतेष्विदं मुख्यं सर्वज्ञैः परिभाषितम् । पालनीयं प्रयत्नेन सर्वपापापहं नरैः॥१॥ ભાવાર્થ-“સર્વ વ્રતોમાં સર્વજ્ઞ પ્રભુએ એ વ્રતને મુખ્યવ્રત કહેલું છે. તેથી સર્વ પાપને નાશ કરનારું તે વ્રત મનુષ્યોએ યત્નવડે પાળવું.” આ વિષય પર શ્રી જિનદાસ શ્રાવકનો પ્રબંઘ છે. તે પ્રાકૃત મુનિ પતિચરિત્રમાંથી અહીં લખીએ છીએ: શ્રી જિનદાસ શ્રાવકની કથા ચંપા નગરીમાં જિનદાસ નામે શ્રાવક રહેતો હતો. ગુરુમુખથી ઘર્મદેશના સાંભળીને તેણે સમતિમૂલ બાર વ્રત ગ્રહણ કર્યા. એક વખતે તેણે દયાવડે એક બળદને નિલંછન (ખસી કરવા)થી મુકાવ્યો. કહ્યું છે કે *સાઘારણ વનસ્પતિ તે બાદર નિગોદ. તે એક શરીરમાં અનંતા જીવો હોય છે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy