SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૪] હિંસાના અભાવથી વિરતિ ૧૩ पंचेंद्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिःश्वासमथान्यदायुः ।। प्राणाः दशैते भगवद्भिरुक्ता-स्तेषां वियोगीकरणं तु हिंसा ॥१॥ ભાવાર્થ-પાંચ ઇંદ્રિયો, મન, વચન, કાયા એ ત્રણ પ્રકારનું બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે. તે દશ પ્રાણનો વિયોગ કરાવવો તે હિંસા કહેવાય છે. તે હિંસાનો ત્યાગ કરવાથી અને બીજો કષાય જે અપ્રત્યાખ્યાની તેની ચોકડી ક્રોધ, માન, માયા, લોભ દૂર થવાથી પાંચમે ગુણઠાણે રહેલ શ્રાવક દેશવિરતિ કહેવાય છે. આત્મહિતેચ્છુ પુરુષોએ તે અવશ્ય કરવા યોગ્ય છે. અહીં કોઈ શંકા કરે કે, “ગૃહસ્થોને ત્રસજીવોની હિંસા નિષિદ્ધ છે, સ્થાવરની હિંસા નિષિદ્ધ નથી, તો શું તેઓએ તેની હિંસા યથેચ્છ કરવી?” તેના ઉત્તરમાં કહે છે કે, “મોક્ષની ઇચ્છાવાળા દયાળ ઉપાસકોએ સ્થાવર જીવોની હિંસા પણ નિરર્થક કરવી નહીં.” એકલા ત્રસજીવોની હિંસાનો નિષેધ કરવાથી સંપૂર્ણપણે અહિંસા ઘર્મ પ્રાપ્ત થાય એમ નથી. પરંતુ શરીર તથા કુટુંબાદિકના પ્રયોજને સ્થાવર હિંસાની ગૃહસ્થને જરૂર પડે છે. પણ તેવા પ્રયોજન વિના સ્થાવરની હિંસા કરનારાનું વ્રત મલિન થાય છે. એથી શ્રાવકોએ અનિષિદ્ધ એવી સ્થાવર હિંસામાં પણ યતના કરવી જોઈએ. જેમ કે પાણીનો સંખારો સારી રીતે જાળવીને તેમાં રહેલાં જીવો ન હણાય તેમ યોગ્ય સ્થાને (જળાશયમાં) નાખવો અને ઘણા પણ થોડા અને સમ્યક પ્રકારે શોઘીને ઉપયોગમાં લેવા, નહીં તો અનુકંપા ન હોવાથી અતિચાર લાગે. તે વિષે કહ્યું છે કે, “ત્રસ જીવના રક્ષણને માટે શુદ્ધ જળ ગ્રહણ કરવું અને ઈઘણ તથા ઘાન્યને શોધીને ઉપયોગમાં લેવું.” વળી પૃથ્વી વગેરેમાં જીવપણું આગમને વિષે કહ્યું છે તે આ પ્રમાણે : अद्दामलग पमाणे, पुढविकाये हवंति जे जीवा । ते पारेवयमित्ता, जंबुद्दीवे न मायंति ॥१॥ एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जइ सरिसवमित्ता, जंबुद्दीवे न मायंति ॥२॥ ભાવાર્થ-“લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયને વિષે જેટલા જીવો છે તેનું દરેકનું શરીર જો પારેવા જેવડું કરીએ તો તેઓ આ જંબુદ્વીપમાં સમાય નહીં. એક જળના બિંદુમાં શ્રી જિનેંદ્રોએ જેટલા જીવો કહેલા છે તેનું દરેકનું શરીર જો સરસવ જેવડું કરીએ તો તે આ જંબુદ્વીપમાં સમાય નહીં.” તે પાંચ પ્રકારના પૃથ્વીકાય જીવોની જઘન્ય ને ઉત્કૃષ્ટ બન્ને પ્રકારે અવગાહના એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડી જાણવી. અને તેવા અનંત જીવોના એકઠાપણાથી આશ્રિત એવું એક શરીર તે સૂક્ષ્મ નિગોદનું* એક શરીર થાય, તેવા અસંખ્ય શરીર એકત્ર કરીએ ત્યારે એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર થાય, તેથી અસંખ્યગુણું એક સૂક્ષ્મ તેઉકાયનું શરીર થાય; તેવા અસંખ્ય દેહ એકઠા કરીએ ત્યારે એક સૂક્ષ્મ અપકાયનું શરીર થાય; તેથી અસંખ્યગુણું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર થાય; તેથી અસંખ્યગુણું એક બાદર વાયુકાયનું શરીર થાય; તેથી અસંખ્યગુણું બાદર અગ્નિકાયનું શરીર; તેથી અસંખ્યગુણું બાદર જલકાયનું શરીર; તેથી અસંખ્યગુણું એક બાદર * સૂક્ષ્મ વનસ્પતિકાય તે સૂક્ષ્મ નિગોદ તેનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy