SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ વ્યાખ્યાન ૧૩૨] અનર્થદંડના બીજા ભેદો કુરુષ અને ઉકુડ મુનિની કથા કુણાલાનગરીના દરવાજાની પાળ પાસે કુરુડ અને ઉકુરુડ નામના બે મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા. તેમના પ્રભાવથી “તેઓને જળનો ઉપસર્ગ ન થાય' તેમ ઘારી મેઘ નગરની બહાર વરસતો હતો. તે હકીક્ત જાણીને લોકોએ એકઠા થઈ તેમને ઉપદ્રવ કરવા માંડ્યો અને કહેવા લાગ્યા કે, “તમારા બન્નેના મહિમાથી નગરમાં વરસાદ થતો નથી, તેથી અમને ઘણો પરિતાપ રહે છે, અને એ અમારે મોટા અરિષ્ટ–વિઘ્નરૂપ છે. માટે તમે અહીંથી નીકળો.” આ પ્રમાણે વારંવાર કહેવાથી તે બન્નેના ધ્યાનમાં ભંગ થયો અને તેમને તે લોકોની ઉપર રૌદ્રધ્યાન ઉત્પન્ન થયું. તેથી તે બન્ને આ પ્રમાણેનો શ્લોક બોલ્યા वर्ष मेघ! कुणालायां, दिनानि दश पंच च । नित्यं मुसलधाराभिर्व्यथा रात्रौ तथा दिने ॥१॥ • ભાવાર્થ-“હે મેઘ! કુણાલાનગરીમાં મુશળઘારાએ જેવો રાત્રીએ તેવો જ દિવસે એમ પંદર દિવસ સુધી રોજ વરસ” આટલું કહેતા જ મેઘ વરસવા લાગ્યો. તે એટલો વરસ્યો કે તેના જળપ્રવાહમાં આખું નગર તણાઈને સમુદ્રમાં ચાલ્યું ગયું. તેમાં તે બન્ને મુનિ પણ અશુભ ધ્યાનમાં વર્તતા સતા તણાઈ ગયા. એ પ્રમાણે તે બન્ને મુનિ દ્રવ્યથી અને ભાવથી ડૂબીને નરકે ગયા. “આર્નાદિ અપધ્યાનથી મેઘની વૃષ્ટિ કરાવીને ક્ષમારહિતપણે આખા નગરને તણાવી તે બન્ને મુનિ અનર્થદંડ વડે નરકગતિને પ્રાપ્ત થયા.” વ્યાખ્યાન ૧૩૦ અનર્થદંડના બીજા ભેદો (૨) અનર્થદંડનો બીજો ભેદ પાપકર્મનો ઉપદેશ કરવો તે છે, જેમ કે, “ક્ષેત્રમાં ખોદો, હળ વગેરે તૈયાર કરો, બળદને પલોટો (દમ), શત્રુઓને મારો, કન્યાનો વિવાહ કરો.' ઇત્યાદિ બીજાને ઉપદેશ દેવો તે પાપોપદેશ છે. આગમમાં સાંભળ્યું છે કે, “કૃષ્ણ વાસુદેવ અને ચેડા મહારાજાને પોતાના બાળકોનો પણ વિવાહ ન કરવાનો નિયમ હતો.” (૩) અનર્થદંડનો ત્રીજો ભેદ હિંસામાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ આપવી તે છે. હિંસામાં ઉપયોગી ઉપકરણો જેવાં કે ગાડું, શસ્ત્ર, ઘંટી, સાંબેલું, ખારણીઓ, દાતરડું, કરવત, છરી, કાંકરી, કોદાળી, રેચક ઔષધ, વ્રણના કૃમિ અને ગર્ભનો નાશ કરે તેવાં મૂળિયાં તથા ક્ષાર વગેરે કોઈને આપવા તે મહા પાપબંઘના હેતુ છે. તે વિષે એક વાર્તા છે કે, દ્વારિકાનગરીમાં ઘવંતરી અને વૈતરણી નામે બે વૈદ્ય હતા. તેમાં ઘવંતરી ઘણા સાવદ્ય કર્મ કરતો અને વૈતરણી પણ ઔષઘાદિમાં ઘણી જીવહિંસા કરતો, તથાપિ તે કોઈ પણ યોગી મુનિને નિર્દોષ ઔષઘ આપતો. એક વખતે કૃષ્ણ વાસુદેવે નેમિનાથ પ્રભુને પૂછ્યું “હે સ્વામી! વૈદ્યોની શી ગતિ થાય? લોકમાં કહેવત છે કે – कवि चितारो पारधी, वळी विशेषे भट्ट । गांधी नरक सधावीआ, वैद्य देखाडे वट्ट ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy