SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૯]. ઘર્મ, અર્થ, કામનો અન્યોન્ય સંબંઘ ૨૦૫ આ પ્રમાણે તે મહાપુરુષને યુક્ત છે; પણ વ્યવહારમાં રહેલા ગૃહસ્થને કેટલીક વખત કામપીડા વડે પરસ્ત્રી વગેરેનો ઉપદ્રવ થાય છે. કોઈ ઘર્મ અને કામને જ સેવે છે, અર્થને સેવતા નથી. અર્થાત્ દ્રવ્યોપાર્જન કરવાની ચિંતા કરતા નથી; પણ એવી રીતે ઘર્મ અને કામને સેવનારને કરજ વધે છે અને માનની હાનિ થાય છે. તેથી ગૃહસ્થ પ્રયત્નથી ઘન ઉપાર્જન કરવું. કહ્યું છે કે-“એવું કોઈ પણ કાર્ય નથી કે જે અર્થ વિના સિદ્ધ થાય, તેથી મતિમાન પુરુષે યત્નથી અર્થને સાધવો.” આ સંબંધમાં એક વાર્તા છે કે ધનદ શેઠની કથા-“એક ઘનદત્ત નામે મિથ્યાત્વી શ્રેષ્ઠી હતો. તે ઘર્મબુદ્ધિથી બ્રાહ્મણોને દાન આપતો અને વારંવાર જ્ઞાતિનું પોષણ કરતો. વળી કન્યાદાન, ગોદાન, ઇત્યાદિ દાન આપતો. તેમાં તેણે એક લાખ દ્રવ્ય ખર્ચી નાખ્યું અને નવું ઘન ઉપામ્યું નહીં. વળી કામની લોલુપતામાં પણ તેનું ઘણું ઘન ગયું. તેથી તે નિર્ધન થઈ ગયો અને અપમાનને પ્રાપ્ત થયો. પછી તે પોતાનો ઘર્મ વેચવાને માટે સાથવાનું ભાતું લઈને દેશાંતરે ચાલ્યો. માર્ગે કોઈ વનમાં ભોજન કરવા બેઠો. તેવામાં કોઈ માસક્ષમણી મુનિ ત્યાં પધાર્યા. ઘનદત્તે તેને દાન આપ્યું. પછી તેણે પોતાના ઘારેલા કોઈ ગૃહસ્થને ઘેર જઈ પૂર્વકૃત દાનપુણ્ય ઘર્મને વેચવાની વાત સમજાવી અને રસ્તામાં મળેલા મુનિના દર્શનની તથા મુનિને ભિક્ષા આપ્યાની વાત પણ કરી. તે ગૃહસ્થ ઘનદત્તને કહ્યું કે, “ભાઈ તે આજે જે મુનિને દાન આપ્યું છે તે જ સાચું દાન તમારાથી થયું છે. એમ હું મારા પૂર્વજોના બોઘથી જાણી શકું છું માટે જો પેલા મુનિદર્શનનું ફળ તું મને આપે તો હું તને મુખે માગ્યું દ્રવ્ય આપું.” તે વાત ઘનદત્તને જરાય ન ગમી એટલે તેનો જવાબ પણ ન આપતાં તત્કાળ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. માર્ગમાં અરણ્યની અંદર ઉંબરાના ફળ પડ્યા હતા, તે પોટકીમાં બાંધીને ઘેર આવ્યો. મુનિદાનના પુણ્યથી મુનિની ભક્તિ કરનાર વનદેવતાના પ્રસાદ વડે તે સર્વ સ્વર્ણમયી થઈ ગયા. પછી તે આવક પ્રમાણે ખર્ચ કરવા લાગ્યો અને ઉત્તમ શ્રાવક થયો.” આ વાર્તા સાંભળીને ગૃહસ્થ યથાયોગ્ય આચરણ સ્વીકારવું. કોઈ અર્થ અને કામની જ સેવા કરે છે, ઘર્મને સેવતા નથી, સાગરશ્રેષ્ઠી અને ઘવળશ્રેષ્ઠીની જેમ; પરંતુ એવા અઘર્મીનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. કોઈ ઘર્મ, અર્થ અને કામ-એ ત્રણેને સેવતા નથી. પણ તેઓ એ ત્રણથી અતીત એવા ચોથા વર્ગ (મોક્ષ)ના આરાધક હોય છે. તેથી તેવા મુનિમહારાજોને એ ભાંગાના સ્વામી પોતાની મેળે જાણી લેવા. કોઈ ઘર્મ, અર્થ અને કામ-એ ત્રણેને સેવે છે. એ ભાંગાના સ્વામી અભયકુમાર અને સુલતા સતી વગેરેને જાણી લેવા. આ પ્રમાણે સાંભળીને ત્રણ વર્ગમાંથી કોઈને પણ બાઘા કરવી તે ગૃહસ્થને યોગ્ય નથી. કહ્યું છે કે, “જે ગૃહસ્થના ઘર્મ, અર્થ અને કામની સેવા વગર શૂન્ય દિવસો જાય છે તે લુહારની ઘમણની જેમ શ્વાસ લે છે છતાં જીવંત નથી એમ સમજવું.” જો દૈવયોગે ત્રણ વર્ગમાં પરસ્પર પ્રતિબંઘ થવાનો સંભવ લાગે તો ઉત્તર ઉત્તરને પીડા થતાં પૂર્વ પૂર્વની બાઘાનો ત્યાગ કરવો. જેમકે, કામને બાઘા થતી હોય તો ઘર્મ અને અર્થને બાઘા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy