SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ થાય તેમ કરવું. કારણ કે જો ધર્મ અને અર્થ હોય તો કામ પ્રાપ્ત થવો સહેલો છે. અને કામ તથા અર્થને બાધા થતી હોય તો થવા દઈને પણ ધર્મને ઘારણ કરવો. કહ્યું છે કે, ‘‘આવકમાંથી એક ભાગ ભંડારમાં રાખવો, એક ભાગ વેપારમાં રોકવો, એક ભાગ ધર્મમાં અને પોતાના ઉપભોગમાં વાપરવો અને એક ભાગ વડે સર્વનું ભરણ-પોષણ કરવું.'' વળી સિંદૂરપ્રકરણમાં પણ કહ્યું છે કે, पशोरिवायुर्विफलं त्रिवर्गसंसाधनमंतरेण, નરમ્ય | तत्रापि धर्मं प्रवरं वदंति, न तं विना यद् भवतोऽर्थकामौ ॥ १ ॥ ભાવાર્થ—“ધર્મ, અર્થ અને કામનું સાધન કર્યા વગર પશુની જેમ મનુષ્યનું આયુષ્ય નિષ્ફળ છે, તેમાં પણ ધર્મને સર્વથી શ્રેષ્ઠ કહેલો છે; કારણકે ધર્મ વિના અર્થ તથા કામ સિદ્ધ થતાં નથી.’’ “આ પ્રમાણે ધર્મ, અર્થ અને કામની પરસ્પર અબાધાથી શુદ્ધપણે આરાધના કરનાર સુબુદ્ધિપુરુષ અનુક્રમે સ્વર્ગ અને મોક્ષનું સુખ પ્રાપ્ત કરે છે.’’ --- વ્યાખ્યાન ૧૩૦ વિશ્વાસઘાત ઉપરના વ્યાખ્યાનમાં કહેલા શ્લોકના પાછલા બે પદની વિશેષ વ્યાખ્યા કરે છે. “विश्वस्तघातकार्यं च, सुवृत्त्या दूषणं मतं " ભાવાર્થ—કોઈનો વિશ્વાસઘાત કરવો તે શુદ્ધવ્યવહારના દૂષણરૂપ જાણવું.’’ વિશ્વાસીને છેતરવામાં મહા પાપ છે. તે પાપ બે પ્રકારનું છે—ગુપ્ત અને પ્રગટ. ગુપ્ત પાપ પણ બે પ્રકારનું છે—અલ્પ અને મહત્. ખોટા માન-માપા વગેરેનું માપ તે અલ્પ અને વિશ્વાસનો જ ઘાત કરવો એટલે વિશ્વાસે મૂકેલી થાપણ ઓળવી જવી તે મહત્ પાપ છે. પ્રકટ પાપ બે પ્રકારનું છે—કુળાચારથી ચાલ્યું આવતું અને નિર્લજ્જપણા વગેરેથી કરાતું. કુળાચાર વડે ગૃહસ્થોને આરંભ વગેરેમાં પાપ થાય છે અને મ્લેચ્છાદિકને હિંસા આદિમાં પાપ થાય છે, અને નિર્લજ્જપણા વગેરેથી યતિવેશમાં હિંસાદિ પાપ પ્રગટપણે થાય છે તેમ કરવાથી અનંતસંસારીપણું થાય છે; કારણ કે તે પ્રવચનની ઉડ્ડાહ (નિંદા)નું કારણભૂત છે. કુળાચારથી પ્રકટ પાપ કરવામાં થોડો કર્મબંધ છે અને ગુપ્તમાં અતિ તીવ્ર કર્મબંધ છે. કારણ કે તે અસત્યમય હોવાથી તેવી રીતે બીજાને છેતરવામાં મોટું પાપ લાગે છે. તે વિષે વિસેમિરાની કથા છે, તે આ પ્રમાણે– વિસેમિરાની કથા વિશાળાનગરીમાં નંદ નામે રાજા હતો. તેને વિજયપાળ નામે પુત્ર, બહુશ્રુત નામે અમાત્ય અને ભાનુમતી નામે રાણી હતી. રાજા રાણી ઉપર એવો આસક્ત હતો કે તેને સભામાં પણ પાસે બેસાડતો. એક વખતે મંત્રીએ વિજ્ઞપ્તિ કરી કે, ‘“હે દેવ! સભામાં રાણીને પાસે રાખીને બેસવું તે અનુચિત છે. કહ્યું છે કે, ‘રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી જો અતિ પાસે રહ્યા હોય તો વિનાશ *કરે છે અને અતિ દૂર રહ્યા હોય તો ફળ આપતા નથી, તેથી તેમને મઘ્યમ ભાવથી સેવવા.' છતાં જો * ગુરુમાં વિનાશ એટલે તેમનો અવિનય, અનાદર થઈ જાય તે સમજવો. તેથી આત્માને નુકસાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy