SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૯] ઘર્મ, અર્થ, કામનો અન્યોન્ય સંબંઘ ૨૦૩ કહેવાય છે. એ ત્રણમાંથી કોઈ પણ એકને આસક્તિ વડે સેવવાથી બીજાઓને બાઘા થાય છે. અતિમુક્તકુમાર તથા જંબુસ્વામીની જેમ કોઈ એકલા ઘર્મને જ સેવે છે. તે વિષે એક કથા છે. અહમદ બાદશાહની કથા પ્લેચ્છ કુળમાં પણ કેટલાક લઘુકર્મી થાય છે. તે વિષે એક એવી કથા છે કે, અહમદ બાદશાહ દરરોજ સવામણ પુષ્યની શયામાં સૂતો હતો. એક વખતે કોઈ દાસી કૌતુકથી તે શય્યામાં સૂઈ ગઈ. તત્કાળ તે નિદ્રાવશ થઈ ગઈ. તેવામાં બાદશાહ અકસ્માતું રાજસભામાંથી ત્યાં આવી ચડ્યો, અને દાસીને સૂતેલી જોઈ એક ચાબુક મારી. દાસી હસતી હસતી બેઠી થઈ અને પૃથ્વી ઉપર ઊભી રહી. બાદશાહે આગ્રહથી તેને હાસ્ય કરવાનું કારણ પૂછ્યું. એટલે દાસી બોલી–“સાહેબ! આપે મને એક પ્રહાર કર્યો તેથી ફૂલની શય્યામાં થોડી વાર સૂવાનું મારું પાપ તો નષ્ટ થઈ ગયું. પણ આપ હમેશાં અનેક વૃક્ષોના ફુલો મંગાવી તેની શય્યા કરાવીને તે પર નિદ્રા કરો છો, તે પાપનો દંડ કેટલો થશે? તે વિચારતાં મને હાસ્ય આવે છે.” દાસીનાં આવાં વચનો સાંભળીને બાદશાહે તે દિવસથી પુષ્પશધ્યામાં સૂવાનું છોડી દીધું. એક વખતે તે જ બાદશાહ ચતુરંગ સેના લઈ ઉપવનમાં જતો હતો. માર્ગમાં કોઈ ઊંટ મૃત્યુ પામ્યું, તેથી સર્વ સૈન્ય ઊભું રહી ગયું. તે જોઈ બાદશાહે પૂછ્યું કે-“સૈન્ય આગળ કેમ ચાલતું નથી?” અમાત્યે આવીને ઊંટના મૃત્યુની વાત કહી. બાદશાહ મૃત્યુના તત્ત્વ વિષે કાંઈ પણ જાણતો ન હતો; તેથી પૂછ્યું કે, “મૃત્યુ એટલે શું?” અમાત્યોએ કહ્યું, “સ્વામી! જે કાને સાંભળે નહીં, આંખે દેખે નહીં અને ખાય પીએ નહીં તેનું મૃત્યુ થયું કહેવાય.” રાજા તે સાંભળી વિસ્મય પામ્યો; અને મૃત્યુ પામેલા ઊંટ પાસે જઈને કહ્યું કે-“અરે પશુ! ઊઠ, ખાન પાન કર. ક્રોધથી આવી નિદ્રા ન કરીએ.” ત્યારે બીજાઓએ કહ્યું કે–“સાહેબ! આ તો નિર્જીવ થયું છે.” એમ કહી ઘણી યુક્તિઓથી મૃત્યુનું સ્વરૂપ સમજાવ્યું, તે ઉપરથી બાદશાહ પોતે વિચાર કરવા લાગ્યો કે–“અહો! આવું મૃત્યુ અણચિંતવ્યું આવશે ત્યારે આપણી કોણ રક્ષા કરશે?” એમ વિચારી તત્કાળ સર્વનો ત્યાગ કરી પોતાની જાતિના શ્રેષ્ઠ ઘર્મ (ફકીરી)નો સ્વીકાર કર્યો. તે ઉપરથી લોકોમાં પણ આ પ્રમાણે કહેવાય છે सोल सहस्स साहेलियां, तुरी अढारह लख । साहेब! तेरे कारणे, छोड्यां सहेर मुलख ॥१॥ અર્થ-ડે સાહેબ, તારા કારણે બાદશાહે સોળ હજાર બેગમો, અઢાર લાખ ઘોડા આદિ વિપુલ સમૃદ્ધિ તો છોડી, પણ શહેર અને મુલક પણ છોડીને ચાલ્યા ગયા. અન્ય શાસ્ત્રોક્ત આ સંબંઘ ઉપયોગી જાણીને અહીં કહ્યો છે. જેમ તે બાદશાહે અર્થ અને કામનો ત્યાગ કરી અહિંસા, સત્ય વગેરે ઘર્મ સ્વીકાર્યો, તેવી રીતે બીજાઓએ પણ યથાયોગ્ય પ્રવર્તન કરવું. કોઈ મમ્મણશ્રેષ્ઠીની પેઠે એકલા અર્થને જ સાધે છે, પણ તે અયોગ્ય છે. કારણ કે ઘર્મ અને કામને ઉલ્લંઘન કરીને ઉપાર્જન કરેલા ઘનનો ઉપભોગ બીજાઓ કરે છે અને પાપનું ભાજન પોતે થાય છે, જેમ સિંહ હાથીનો વઘ કરનાર પોતે થાય છે પણ તેના મૌક્તિક અને દાંત વગેરેનો સ્વામી બીજો થાય છે તેમ કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy