SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ પછી તે વૃક્ષની આસપાસ સિંદૂર અને તેલ લગાવ્યું. તેણે પોતાના પિતાને શીખવાડ્યું કે, “અહીં જ્યારે વનદેવીને પૂછવામાં આવે ત્યારે તમારે સ્વર બદલાવીને કહેવું કે, “ઘર્મબુદ્ધિ ગોમુખી વાઘ છે, તેણે આવીને ઘન કાઢી લીધું છે.” આમ શીખવીને તે ચાલ્યો ગયો. બીજે દિવસે ઘર્મબુદ્ધિ, પાપબુદ્ધિ, રાજા અને અધિકારી વગેરે લોકો વનમાં ગયા. પછી વનદેવીની પૂજા કરીને પૂછ્યું કે, “હે વનદેવતા! આ દ્રવ્ય કોણે લીધું છે તે કહો.” એટલે ખીજડીના કોટરમાંથી એવો શબ્દ નીકળ્યો કે “ગોમુખો વાઘ ઘર્મબુદ્ધિ દ્રવ્ય લઈ ગયો છે.” પછી અધિકારીઓ ઘર્મબુદ્ધિને કહેવા તત્પર થયા કે, “આ દ્રવ્ય તેં લીધું છે.” તેવામાં ઘર્મબુદ્ધિએ સર્વની સમક્ષ તે ખીજડાના વૃક્ષને અગ્નિ લગાડ્યો, જેથી તે વૃક્ષ બળવા માંડ્યું, એટલે જેનું અઈ અંગ દગ્ધ થયેલું છે અને જેની આંખો ફૂટી ગઈ છે તેવો પાપબુદ્ધિનો પિતા તેના કોટરમાંથી નીકળ્યો. તે જોઈ અધિકારીઓ આશ્ચર્ય પામીને બોલ્યા કે “અરે શ્રેષ્ઠી! આ શું? તે વૃદ્ધાવસ્થામાં આવું પાપ કેમ કર્યું?” શ્રેષ્ઠી બોલ્યો કે-“આ પાપ અને પુત્ર કરાવ્યું.” ત્યારથી તે બન્ને લોકમાં ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ એવા નામથી પ્રસિદ્ધ થયા. રાજાએ દાંભિક પાપબુદ્ધિનું સર્વસ્વ લૂંટી લઈને તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. કહ્યું છે કે मायामविश्वासविलासमंदिरं, दुराशयो यो कुरुते धनाशया । सोऽनर्थसार्थं न पतंतमिक्ष्यते, यथा बिडालो लकुटं पयः पिबन्॥१॥ ભાવાર્થ-“જે દુષ્ટ હૃદયવાળો મનુષ્ય ઘનની આશાથી અવિશ્વાસના વિલાસમંદિરરૂપ માયા આચરે છે, તે દૂઘનું પાન કરવા ઇચ્છતો માર્જર (બિલાડો) જેમ પોતાની ઉપર પડતી લાકડીને જોતો નથી તેમ પોતાની ઉપર આવી પડનારા અનર્થના સમૂહને જોતો નથી.” રાજાએ શુદ્ધઘર્મી ઘર્મબુદ્ધિનાં ઘણાં વખાણ કર્યા અને તે સુખી થયો. “આ બન્ને મિત્ર(ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ)ની વાર્તા સાંભળીને ગૃહસ્થ વ્રતઘારીઓએ દંભ છોડીને વ્યવહાર કરવો, જેથી સૌભાગ્ય અને લક્ષ્મી પ્રાપ્ત થાય.” - ~ વ્યાખ્યાન ૧૨૯ ધર્મ, અર્થ, કામનો અન્યોન્ય સંબંધ શુદ્ધ વ્યાપાર વિષે વિશેષ હિતશિક્ષા કહે છે– बाधां मिथस्त्रिवर्गस्य, न कार्या ह्यास्तिकैनरैः । विश्वस्तघातकार्य च, सुवृत्त्या दूषणं मतम् ॥१॥ ભાવાર્થ-“આસ્તિક પુરુષોએ ઘર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગને પરસ્પર બાઘા થાય તેમ ન કરવું, અને વિશ્વાસઘાતનું કામ પણ ન કરવું; કેમકે તે સવૃત્તિનું દૂષણ છે.” વિશેષાર્થ-ત્રિવર્ગ એટલે ઘર્મ, અર્થ અને કામ–તેને પરસ્પર બાઘા થાય તેમ આસ્તિક પુરુષોએ કરવું નહીં. તે ત્રણમાં નિઃશ્રેયસ (કલ્યાણ) સુખને સાઘનાર તે ઘર્મ કહેવાય છે. સર્વ અર્થ (પ્રયોજન)ની સિદ્ધિ કરે તે અર્થ કહેવાય છે; અને શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોને પ્રીતિ ઉપજાવે તે કામ 1 . ૧. ગોમુખી વાઘ=ઉપરથી ગાય જેવો અને અંદરથી વાઘ જેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy