SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૮] માયા-કપટનું ફળ ૨૦૧ સારી રીતે લેખું કરી બાદશાહ પાસે આવીને કહ્યું કે “સાહેબ! મારી પાસે ચોરાસી હજાર દ્રવ્ય છે.” બાદશાહે વિચાર્યું કે, “મેં તેની પાસે થોડું દ્રવ્ય છે એમ સાંભળ્યું હતું અને આ શાહુકારે તો વઘારે કહ્યું, માટે તે બરાબર સત્ય કહે છે. આથી ખુશ થઈ રાજાએ મહણસિંહને પોતાનો કોશાધ્યક્ષ બનાવ્યો; તેથી જે સત્ય હોય તે જ કહેવું.” અસત્ય કહેવાથી દંભ કર્યો કહેવાય છે, અને તેથી કીર્તિ અને લક્ષ્મીની હાનિ થાય છે, માટે શ્રાવકે દંભ છોડી દેવો. આ પ્રસંગ ઉપર ઘર્મબુદ્ધિની કથા છે તે આ પ્રમાણે– ધર્મબુદ્ધિ તથા પાપબુદ્ધિની કથા ભીમપુર નામના નગરથી પાપબુદ્ધિ અને ઘર્મબુદ્ધિ નામે બે મિત્ર દ્રવ્ય કમાવાને માટે દેશાંતર ગયા હતા. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરી પાછા પોતાને ઘેર ત્વરાથી આવતા હતા. કહ્યું છે કે, “વિદ્યા પ્રાપ્ત કરીને ઘેર આવનારા શિષ્યોને અને દેશાંતરથી દ્રવ્ય પેદા કરીને ઘરે આવનારા વ્યવહારીઓને એક કોશ પણ સો યોજન જેટલું લાગે છે.” આ પ્રમાણે ઉતાવળે ચાલતાં તેઓ પોતાના ગામ પાસે આવ્યા એટલે બોજો વઘારે હોવાથી તેઓ કેટલુંક દ્રવ્ય ગામની બહાર દાટીને ઘેર આવ્યા. કહ્યું છે કે, “પ્રાજ્ઞ પુરુષે કોઈને અલ્પ દ્રવ્ય પણ બતાવવું નહીં, કારણ કે દ્રવ્ય જોવાથી મોટા મુનિનું મન પણ ચબિત થાય છે.” વળી કહ્યું છે કે, “જેમ જળમાં માંસ પડે તો મત્સ્ય ખાઈ જાય છે, પૃથ્વી પર હોય તો હિંસક પ્રાણી ખાઈ જાય છે અને આકાશમાં હોય તો ગીઘ વગેરે ખાઈ જાય છે, તેમ દ્રવ્યવાનના દ્રવ્ય વિષે પણ જાણી લેવું.” એક વખતે પેલા બે મિત્રમાંથી પાપબુદ્ધિ રાત્રે જઈને દાટેલું દ્રવ્ય કાઢી લઈ તે ખાડો કાંકરાથી પૂરી ઘેર આવ્યો. અન્યદા ઘર્મબુદ્ધિએ પાપબુદ્ધિ પાસે આવીને કહ્યું કે, “હું દ્રવ્ય વિના દુઃખી થાઉં છું, માટે ચાલો, પેલું દ્રવ્ય કાઢી લાવીએ.' પાપબુદ્ધિ બોલ્યો-“ચાલો જઈએ.” પછી બન્ને દ્રવ્ય લેવા ગયા. ત્યાં ખાડો ખોદીને જોતાં દ્રવ્ય રહિત જોઈ પેલો દાંભિક પાપબુદ્ધિ કપટથી માથું કૂટવા લાગ્યો અને બોલ્યો-“અરે! ઘર્મબુદ્ધિ! આમાંથી તું જ ઘન કાઢી ગયો છે.” ઘર્મબુદ્ધિએ કહ્યું કે, “મેં લીધું નથી પણ તેં લીધું છે, અને આ ખોટી માયા કરે છે; મેં તો દંભવૃત્તિ કરવાના પચખાણ લીધા છે.” આ પ્રમાણે વાદ-વિવાદ કરતાં બન્ને રાજદ્વારમાં ફરિયાદે ગયા. બન્ને પરસ્પર એકબીજાના દૂષણ કહેવા લાગ્યા. તે સાંભળી ન્યાયાધિકારીઓએ કહ્યું કે, “તમે બન્ને દિવ્ય કરી બતાવો.” એટલે પાપબુદ્ધિ બોલ્યો કે-“તમે અમારો ન્યાય બરાબર કર્યો નહીં. કેમકે ન્યાયમાં પ્રથમ દિવ્ય હોય જ નહીં. કહ્યું છે કે પ્રથમ તો વાદ-વિવાદ સાંભળીને ન્યાય આપવો, અને જો તે બરાબર ન જણાય તો પછી સાક્ષીઓ લઈને ન્યાય આપવો, અને જો સાક્ષીનો અભાવ હોય તો પછી છેવટે દિવ્ય કરાવવું–એમ વિદ્વાનો કહે છે. આ વાતમાં તો અમારે જ્યાં દ્રવ્ય હતું, તે વનની દેવી સાક્ષી છે, તે જે ચોર હશે તેનું નામ આપશે.” અધિકારીઓએ કહ્યું, “તે વાત સત્ય છે. કહ્યું છે કે, જો વાદવિવાદમાં એક ચંડાળ પણ સાક્ષી મળે તો ત્યાં દિવ્ય કરાવવું નહીં; તો જ્યાં દેવતા સાક્ષી હોય ત્યાં તો વાત જ શી કરવી?” આ પ્રમાણે ન્યાયાધિકારીઓએ માન્ય કરીને ઠરાવ્યું કે, કાલે સવારે ત્યાં જઈ વનદેવતાને પૂછવું.' પાપબુદ્ધિ ઘેર આવ્યો અને રાત્રે પોતાના પિતાને કોઈ ખીજડાના વૃક્ષના કોટરમાં ગોપવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy