SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ વળી દ્રવ્યના અર્થીએ અતિ ક્લેશ કે ક્રોધ કરવો નહીં. કારણ કે ક્ષમાગુણ લક્ષ્મીની વૃદ્ધિ કરનારો છે. કહ્યું છે કે, ૧૯૮ होममंत्रबलं विप्रे, नीतिशास्त्रबलं नृपे । राजाबलमनाथानां वणिग्पुत्रे क्षमाबलं ॥ १ ॥ ભાવાર્થ-‘બ્રાહ્મણોને હોમ ને મંત્રનું બળ હોય છે, રાજાને નીતિશાસ્ત્રનું બળ હોય છે, અનાથજનોને રાજાનું બળ હોય છે અને વણિકને ક્ષમાનું બળ હોય છે.’’ વળી કહ્યું છે કે ‘અર્થ(ઘન)નું મૂળ પ્રિય વચન અને ક્ષમા છે; કામનું મૂળ વિત્ત, શરીર અને વય છે. ધર્મનું મૂળ દાન, દયા અને દમ (ઇંદ્રિયદમન) છે; અને મોક્ષનું મૂળ સર્વ અર્થની નિવૃત્તિ છે.’ એવી વાર્તા છે કે એક વખતે લક્ષ્મી અને દારિત્ર્યને પરસ્પર પોતાને રહેવાની જગ્યા વિષે વિવાદ થયો. તેઓ બન્ને ઇન્દ્રની પાસે ગયા. પ્રથમ દારિદ્રયે ઇન્દ્રને કહ્યું કે, ‘આ લક્ષ્મી મારાથી બીએ છે, તેથી તે સર્વ ઠામે ભમ્યા કરે છે; અને હું નિર્ભય છું, તેથી જ્યાં જઉં છું ત્યાં સ્થિર થઈને રહું છું.’ ઇન્દ્રે લક્ષ્મીને પૂછ્યું કે, ‘તું ક્યાં રહે છે?’ લક્ષ્મી બોલી— गुरवो यत्र पूज्यंते, वित्तं यत्र नयार्जितं । અવંતીનહો યંત્ર, તંત્ર શ! વસામ્યહં શી ભાવાર્થ-‘જ્યાં ગુરુ—વડીલની પૂજા થાય છે, જ્યાં ન્યાયથી દ્રવ્ય મેળવાય છે અને જ્યાં પરસ્પર કલહ થતો નથી, ત્યાં હે શક્ર! હું વસું છું.’ પછી ઇન્દ્રે દારિદ્રચને પૂછ્યું, ‘તું ક્યાં રહે છે?’ એટલે તે બોલ્યું– द्युतपोषी निजद्वेषी, धातुवादी सदालसः । ગાયવ્યયમનાતોષી, તંત્ર તિામ્યહ હરે! ॥શા ભાવાર્થ-‘જ્યાં જુગારનું પોષણ થાય, જ્યાં સ્વજનનો દ્વેષ થાય, (પરસ્પર એકબીજાનું અપમાન કરતા હોય), જ્યાં ધાતુવાદ (સુવર્ણસિદ્ધિ આદિ) થતો હોય, જ્યાં સદા આળસ રહેલું હોય અને જ્યાં આવક અને ખર્ચની તપાસ થતી ન હોય ત્યાં હે હરિ! હું વસું છું.’” પછી ઇન્દ્રે કહ્યું કે—‘જ્યાં ક્લેશ કંકાસ ન હોય ત્યાં લક્ષ્મીએ રહેવું અને તે સિવાય બીજે સ્થળે દારિદ્રયે રહેવું.’ આ પ્રમાણે ઠરાવ કરી આપીને તેમનો વિવાદ ભાંગી નાખ્યો. આ વાર્તા સાંભળીને તેમાંથી એટલો સાર લેવો કે ‘ઉત્તમ શ્રાવકે શાંતિથી જ કાર્ય સાધવું, ક્લેશથી નહીં.' કહ્યું છે કે, જેઓ ઘણા તીક્ષ્ણ અને ઘણાં નિષ્ઠુર હોય છે તેઓ પણ મૃદુતા રાખવાથી વશ થાય છે. જુઓ! કઠોર એવા દાંત દાસની જેમ મૃદુતાવાળી જિલ્લાની ઉપાસના કરે છે.” કોઈની પાસે લેણું માગવું હોય તો તે પણ કોમળ અને ઘીરા વચનથી માગવું, કઠોર વચન વડે માગવાથી ધર્મ અને યશની હાનિ થાય છે. કદી જો કોઈ મોટા માણસ સાથે દ્રવ્યની લેવડદેવડ થઈ ગઈ હોય તો તેની સાથે નરમાશ વડે જ કાર્ય સિદ્ધ કરવું, કલહ વગેરે કરવા નહીં. કહ્યું છે કે, “ઉત્તમ માણસ સાથે પ્રણિપાતથી (નમસ્કારથી) કામ લેવું અને સરખાની સાથે પરાક્રમથી કામ લેવું.’’ વળી વ્યાપારીએ સર્વત્ર ક્રયવિક્રય નિમિત્તે પારકા ગ્રાહક વાળવામાં, નામામાં વિપરીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy