SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ વ્યવહાર 5ળ ટેવ વ્યાખ્યાન ૧૨૭]. ૧૭ વ્યાખ્યાન ૧૨૭ શુદ્ધ વ્યવહાર શુદ્ધ વ્યવહાર વિષે બીજી વિશેષ હિતશિક્ષા કહે છે– कार्पण्याच्चातिराटित्वं, न 'कुर्यादर्थमर्जकः । मायाबुद्धिं च सर्वत्र, संत्यजेद् व्यवसायवान् ॥४॥ ભાવાર્થ-“દ્રવ્યની વૃદ્ધિ કરવા ઇચ્છનારા વ્યાપારીએ કૃપણપણાને લઈને અતિ રાડિયાપણું કરવું નહીં અને સર્વ ઠેકાણે કપટબુદ્ધિનો ત્યાગ કરવો.” વિશેષાર્થ-દ્રવ્ય ઉપાર્જન કરવા ઇચ્છનારા પુરુષે કૃપણતા કરવી નહીં. કૃપણતા કરવાથી ભુવનભાનુ કેવલીના જીવે સોમદત્તના ભાવમાં પોતાના મામાના પુત્રની પાસે પોતે ઘરેલું દ્રવ્ય માગવા જતાં લાંઘણ કરીને કોટી રત્ન પાછા લીધાં હતાં. પછી શેષ રહેલાં પાંચ રત્નને માટે પોતે લાંઘણ કરી, પણ સામે તેના મામાનો પુત્ર પણ સાત દિવસ સુધી ભૂખ્યો રહ્યો, તેમાં તેના મામાનો પુત્ર મૃત્યુ પામી ગયો. આ વાર્તા લોકમાં પ્રસરી તેથી કોઈ તેની સાથે વ્યવહાર કરતું નહીં. લોકોએ તેનો બહિષ્કાર કર્યો. એક વખતે તે પાંચસો ગાડાં લઈને વનમાં કાષ્ઠ લેવા ગયો. ત્યાં એકાકી વૃક્ષ છેદતાં કોઈ ગુફામાંથી વાઘ નીકળ્યો અને તેનું ભક્ષણ કરી ગયો. ત્યાં મરણ પામીને તે એકેંદ્રિયપણાને પ્રાપ્ત થયો. એવી રીતે કૃપણપણાથી તે સર્વ દિશાઓમાં ઘણું ભમ્યો; પણ પુણ્યથી અથિક દ્રવ્ય તેને પ્રાપ્ત થયું નહીં, માટે ગૃહસ્થ કૃપણપણું છોડી દેવું. અહીં કોઈ શંકા કરે કે, ‘દ્રવ્યને જ્યાં ત્યાં વેરી નાખવાથી તેની સ્થિરતા શી રીતે થાય?” તેના ઉત્તરમાં કહેવાનું કે, “ગૃહસ્થ અચિંત્ય સ્થળમાં તેને રાખવું, પણ અવસરે પણપણું કરવું નહીં.” ઉડાઉપણું અને ઉદારતામાં ફરક છે તેમ કંજૂસાઈ અને કરકસરમાં ફરક છે. ઉદારતા ઇષ્ટ છે પણ ઉડાઉપણું યોગ્ય નથી. તેમ કરકસર કરવી જોઈએ પણ કંજૂસાઈ કર્તવ્ય નથી. કરકસર ગુણ છે અને કૃપણતા દોષ છે. તે વિષે એક વાર્તા કહેવાય છે કે, “કોઈ શ્રેષ્ઠીને ઘેર નવી પુત્રવધૂ આવી. એક વખતે પોતાના સસરાને દીવા ઉપરથી પડેલો તેલનો છાંટો ઉપાનહ ઉપર ચોપડતાં દેખી તે વિસ્મય પામી અને વિચારમાં પડી કે આ તે મારા સસરાનું કાણપણું હશે કે કાંઈ બીજો હેતુ હશે? આવો સંદેહ પડવાથી તેની પરીક્ષા કરવા માટે તેણે ખોટો મિષ કરીને કહ્યું કે, મારું માથું દુખે છે.” પછી સૂઈ જઈને ઘણો પોકાર કરવા લાગી. સસરાએ તેને માટે ઘણા ઉપાય કરવા માંડ્યા પણ મચ્યું નહીં; પછી શેઠે પૂછ્યું કે, “પહેલા તમને આવો દુઃખાવો થતો ત્યારે શો ઉપચાર કરતા હતા?” એટલે તેણે કહ્યું કે, “મને પહેલાં આ પ્રમાણે થતું ત્યારે સાચા મોતીનું ચૂર્ણ કરી તેનો માથે લેપ કરવાથી મારી પીડા શમી જતી.” તે સાંભળી સસરો ખુશી થયો અને તત્કાળ મોતી મંગાવીને વટાવવા માંડ્યા. તે જોઈ પુત્રવધૂ હર્ષ પામી બેઠી થઈ ગઈ અને પોતાને થયેલા સંદેહની વાત કહી બતાવી. તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે, “જે કુમાર્ગે પડેલી એક કોડીને પણ એક હજાર સોનામહોર જેવી ગણી શોધે છે અને અવસરે કોટી દ્રવ્ય વાપરવામાં પણ છૂટો હાથ મૂકે છે, તેનો સંબંધ લક્ષ્મી કદી પણ છોડતી નથી.” આ વાત સાંભળી પુત્રવધૂ નિઃશંક થઈ.” ૧. પાઠાંતર-કર્થચાર્ગવ: ૨.રાડિયાપણું બૂમાબૂમ, રાડારાડી કરવી તે (સંસ્કૃત સાદિકરાડ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy