SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ કરાવી એટલે તે મુગ્ધ બગાસાં ખાવા લાગ્યો અને અંગ મરડવા લાગ્યો, એટલે તેને માંકણવાળો માંચો સૂવા આપ્યો, જેમાં તે તત્કાળ નિદ્રાવશ થઈ ગયો. શ્રેષ્ઠીએ બ્રહ્મમુહર્ત (ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે, તેને જગાડ્યો. મુગ્ધ પ્રાતઃકાળે ઊઠીને પિતાએ કહેલી શિક્ષાનો ભાવાર્થ પૂછો, એટલે શ્રેષ્ઠીએ કહ્યું – સાંભળ, (૧) “ઘરની આસપાસ દાંતની વાડ કરવી,એટલે સર્વની આગળ હિતકારી અને પ્રિય વચન બોલવું, કે જેથી પોતાના મુખમાં રહેલા દાંતની જ પોતાની ફરતી વાડ થાય છે. કહ્યું કે, जिह्वामें अमृत वसे, विष भी उनके पास । एके बोल्ये कोडी गुण, एके कोडी विनाश ॥१॥ જિલ્લામાં અમૃત અને વિષ બન્ને વસે છે. એક વચને ક્રોડોગમે ગુણ થાય છે, અને એક વચને કોટીગમે વિનાશ થાય છે. આ પ્રમાણે પહેલી શિક્ષાનો ભાવાર્થ સમજવો. (૨) “બીજાને ઘન આપ્યા પછી માગવું નહીં એટલે સવાયું કે દોટું ઘરેણું રાખીને જ દ્રવ્ય આપવું કે જેથી તેની પાસે માગવા જવું પડે નહીં. તે પોતાની મેળે જ દેવા આવે. આ પ્રમાણે દ્રવ્ય આપ્યા પછી માગવું નહીં એવી બીજી શિક્ષાનો ભાવાર્થ છે. (૩) “માથે જરા પણ બોજો ઉપાડવો નહીં” એ શિક્ષાનો ભાવાર્થ એવો છે કે, માથા પર કરજ સંબંધી ભાર રાખવો નહીં. તે વિષે શ્રી જિનાગમમાં કહ્યું છે કે જે પ્રમાણે નિર્વાહ થઈ શકે તે પ્રમાણે જ વચન બોલવું અને અર્થે માર્ગે છાંડવો પડે નહીં તેટલો જ ભાર ઉપાડવો.” વળી કરજ કાપવામાં પણ વિલંબ કરવો નહીં. કયો મૂઢ પુરુષ આ લોક અને પરલોકના બોજારૂપ ઋણને ક્ષણમાત્ર પણ ઘારણ કરે? કહ્યું છે કે “ઘર્મના આરંભમાં, કરજ ફિટાડવામાં, કન્યાદાનમાં, દ્રવ્યની પ્રાપ્તિમાં, શત્રુનો ઘાત કરવામાં, અગ્નિને બુઝાવવામાં અને રોગને શમાવવામાં કાળક્ષેપ કરવો નહીં.” તેલનું મર્દન, કરજનું ફિટાડવું અને કન્યાનું મૃત્યુ-એ તત્કાળ તો દુઃખરૂપ લાગે છે પણ પરિણામે સુખરૂપ છે. આ ભવમાં જો કરજ આપે નહીં તો ભવાંતરમાં તેનો સેવક અથવા પાડો થઈને અવતરવું પડે છે. વળી કરજ રાખવાથી બન્નેને પરસ્પર ભવાંતરે વૈરવૃદ્ધિ વગેરે પણ થયા કરે છે. એવી એક કથા છે કે ભાવડ શ્રેષ્ઠીને પૂર્વના ઋણ સંબંઘે એક પુત્ર થયો હતો. તે નઠારા સ્વપ્નથી સૂચવેલો અને મૃત્યુયોગમાં ઉત્પન્ન થયો હતો તેથી શ્રેષ્ઠીએ તેને નદીના તીર ઉપર રહેલા કોઈ વૃક્ષ નીચે છોડી દીધો. તે વખતે તે બાળક પ્રથમ રુદન કરી પછી હસતો હસતો બોલ્યો કે, “હે શ્રેષ્ઠી! હું તમારી પાસે લાખ સોનૈયા માગું છું, તે આપો, નહીં તો તમને અનર્થ પ્રાપ્ત થશે.' એટલે શ્રેષ્ઠીએ તેને પાછો ઘરે લઈ જઈને તેના જન્મોત્સવ વગેરેમાં પુષ્કળ દ્રવ્ય ખર્ચ્યુ. ષષ્ઠીને દિવસે લક્ષ સોનૈયા પૂરા ખર્ચાઈ ગયા, એટલે તે મૃત્યુ પામ્યો. એવી રીતે બીજો પુત્ર ત્રણ લાખ પૂરા ખર્ચ કરાવી મૃત્યુ પામ્યો. ત્રીજો પુત્ર સારા સ્વપ્નાથી સૂચિત આવ્યો. તેણે કહ્યું કે, “મારે તમારા ઓગણીશ લાખ સોનૈયા દેવા છે.” તે પુત્રનું નામ જાવડ પાડ્યું. તેણે માતાપિતાને નિમિત્તે ઘર્મકાર્યમાં તેટલું દ્રવ્ય ખર્ચવાનો નિર્ણય કર્યો. પછી કાશમીર દેશમાંથી નવ લાખ સોનૈયા ખર્ચી શ્રી 28ષભદેવ, પુંડરિકસ્વામી અને ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓ લઈ આવ્યો અને એક લાખ સોનૈયા ખર્ચી તેની પ્રતિષ્ઠા (અંજનશલાકા) કરાવી. તે પછી અઢાર વહાણ વડે વ્યાપાર કરી અસંખ્ય દ્રવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy