SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૬] શુદ્ધ વ્યાપાર ૧૯૩ કે, “આ બિલાડો સાક્ષી છે.” ચોર લોકોએ કહ્યું કે, “અમારે તે સાક્ષી જોવો છે, કે તે કેવો સાક્ષી છે?” વણિકે ચોરોને તે બતાવ્યો, એટલે ચોર લોકો બોલી ઊઠ્યા કે નહીં, આ તો કાળો છે અને તે તો કાબરો હતો.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી તેમના મુખની જ કબૂલાત જાણી ન્યાયાધીશે તેમની પાસેથી બળાત્કારે સર્વ દ્રવ્ય પેલા વણિકને અપાવ્યું. આ દ્રષ્ટાંત ઉપરથી સાક્ષી રાખવાનું ફળ જાણી કોઈને સાક્ષી વિના ગુપ્ત રીતે કાંઈ પણ દ્રવ્ય આપવું નહીં કે મૂકવું નહીં. તેમજ કોઈને અલંકાર (ઘરાણું) લીઘા વિના અંગઉઘારે દ્રવ્ય આપવું નહીં. કારણ કે તેમ કરવાથી કદી પણ મૂળ ઘનનો નાશ થતો નથી. કહ્યું છે કે, “ઘનની રક્ષા કરવામાં પરાયણ એવા પુરુષે નટને, વેશ્યાને, જુગારીને અને જારપુરુષને ઉધારે દ્રવ્ય આપવું નહીં.” તેમાં પણ મુખ્ય રીતે ગૃહસ્થોએ વઘારે કિંમતનું ઘરાણું રાખીને દ્રવ્ય આપવું યોગ્ય છે. નહીં તો માગતી વખતે ક્લેશ, વિરોઘ, ઘર્મની હાનિ, લાંઘણ, ઘરણું ઘાલીને બેસવું અને સોગન ખાવા વગેરે અનેક અનર્થ કરવા પડે છે. તેમાં કદી સોગન ખાવાનો વખત આવે તો પણ જેમતેમ સોગન ખાવા નહીં. તેમાં પણ વિશેષે કરીને દેવ, ગુરુ, જ્ઞાન, ઘર્મ અને તીર્થયાત્રા વગેરેના સોગન ખાવા નહીં. તે વિષે પૂર્વવિદ્વાનો કહે છે-“જે મૂઢ પુરુષો ખોટા કે સાચા ચૈત્યના સોગન લે છે, તે બોધિબીજનું વમન કરે છે અને અનંત સંસારી થાય છે.” વળી જો કદી લાંઘણ કરવાથી કાર્યસિદ્ધિ થાય તેમ લાગે તો પોતે જાતે લાંઘણ કરવી, પણ બીજા બાળ વૃદ્ધ પ્રમુખને લાંઘણ કરાવવી નહીં. કારણ કે ઢઢણઋષિએ એક ક્ષણમાત્ર પંદરસો જીવોને લાંઘણ કરાવી હતી, તેથી તેમને છ માસ સુધી આહાર મળ્યો ન હતો. ઇત્યાદિ અનેક દોષોની ઉત્પત્તિ પોતાની બુદ્ધિથી વિચારીને વઘારે કિંમતનું ઘરાણું રાખીને દ્રવ્ય આપવું. આ વિષયની હિતશિક્ષા માટે પૂર્વમુનિઓએ એક દ્રશંત કહેલું છે, તે આ પ્રમાણે– ભોળા વણિકપત્રનું દ્રષ્ટાંત જિનદત્ત નામના કોઈ શ્રેષ્ઠીને મુગ્ધ (ભોળો) એવા નામે પુત્ર હતો. સ્વભાવે પણ તે મુગ્ધ હતો. પિતાની પાસે પુષ્કળ દ્રવ્ય હોવાથી તે નિશ્ચિત રહેતો હતો. એક વખતે જિનદત્તનો અંતકાળ આવ્યો, એટલે તેણે પોતાના પુત્રમાં ભોળાપણાનો ગુણ જોઈ ગૂઢાર્થ વાક્યોથી આ પ્રમાણે શિક્ષા આપી–“હે વત્સ! ૧ ઘરની આસપાસ દાંતની વાડ કરવી. ૨ બીજાને ઘન આપ્યા પછી માગવું નહીં. ૩ માથે જરા પણ બોજો ઉપાડવો નહીં. ૪ હમેશાં દિવસને સફળ કરવો. ૫ સ્ત્રીને સ્તંભ સાથે બાંધીને મારવી. ૬ મિષ્ટાન્ન ભોજન કરવું. ૭ સુખે શયન કરવું. ૮ પ્રત્યેક ગામે ઘર કરવું. ૯ દુરવસ્થા આવે ત્યારે ગંગા અને યમુનાની વચ્ચે ખોદવું, અને ૧૦ પ્રત્યેક ક્ષેત્રે ઘન વાવવું. જો એ બાબતમાં કાંઈ શંકા પડે તો મારા મિત્ર સોમદત્તને પૂછવું.” આ પ્રમાણે કહી શ્રેષ્ઠી જિનદત્ત મૃત્યુ પામ્યા. ત્યાર પછી પિતાની શિક્ષાના ગૂઢ અર્થથી અજાણ એવો તેનો પુત્ર તે પ્રમાણે કરવાથી થોડા જ સમયમાં નિર્ધન થઈ ગયો, એટલે મૂંઝાઈને પાટલિપુત્ર નગરમાં પિતાના મિત્ર સોમદત્ત શ્રેષ્ઠીને ઘેર ગયો અને શેઠ પાસે જઈને બધી વાત કરી. શ્રેષ્ઠીએ તેને મુગ્ધ જાણી ઘણી વાર ખોટી કરીને પછી ચોળા પ્રમુખનું ભોજન પીરસ્યું. તે સુઘાપીડિત હોવાથી સુખડીની જેમ ખાઈ ગયો. પછી નામું માંડવા વગેરેમાં ઘણી રાત્રિ નિર્ગમન ભાગ ૨-૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy