SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ વ્યાખ્યાન ૧૨૬ શુદ્ધ વ્યાપાર શુદ્ધ વ્યાપાર કેવી રીતે થાય? તે કહે છે निंदायोग्यजनैः सार्धं कुर्यान्न क्रयविक्रयौ । द्रव्यं कस्यापि नो देयं, साक्षिणं भूषणं विना ॥१॥ ભાવાર્થ-“નિંદા કરવા યોગ્ય લોકોની સાથે ખરીદી કે વેચાણનું કામ કરવું નહીં અને સાક્ષી રાખ્યા વિના કે ઘરેણા વિના કોઈને દ્રવ્ય આપવું નહીં.” વિશેષાર્થ-નિંદા કરવા યોગ્ય લોકો જેવા કે નટ, ધૂતારા, વેશ્યા, કલાલ, કસાઈ, માછી, વાગરિક (વાઘરી), રાજદ્રોહી અને પૂજારા વગેરે, તેમની સાથે ગૃહસ્થ ક્રયવિક્રય (ખરીદી કે વેચાણ) ન કરવા. તેમજ શસ્ત્રધારી પુરુષોની તથા રાજા વગેરેની સાથે અલ્પ પણ વ્યવહાર કરવાથી પ્રાય કાંઈ પણ ગુણ થતો નથી; કેમકે જેને પોતાના હાથે દ્રવ્ય આપીને પાછું માગતાં ભય ઉત્પન્ન થાય તેની સાથે વ્યવહાર કરવાથી શું શુભ ફળ થાય? કહ્યું છે કે, “બ્રાહ્મણ સાથે અને શસ્ત્રથારીની સાથે શ્રેય ઇચ્છનાર વણિકે કદી પણ વ્યવહાર કરવો નહીં.” વળી જે જુગાર અને સુવર્ણસિદ્ધિ ઘાતુર્વાદ વગેરેથી દ્રવ્યની ઇચ્છા કરે છે, તેઓ મેશના કૂચડાથી પોતાનું ઘર ઘોળું કરવાને ઇચ્છે છે. કદી તેવા પ્રકારથી કે અશુદ્ધ વ્યવહાર કરવાથી લાભ પ્રાપ્ત થાય તો તે લાભ લાંબો કાળ રહેતો નથી અને માણસને લાલચુ, પરવશ અને પાંગળો બનાવી મૂકે છે. કહ્યું છે કે, “ખોટા માપ અને ખોટા તોલથી જે કાંઈ દ્રવ્ય ઉપાર્જન થાય છે તે તપેલા પાત્ર ઉપર મૂકેલાં જળના બિંદુની જેમ નાશ પામતું જોવામાં પણ આવતું નથી.” અર્થાત્ અતિ ત્વરાથી નાશ પામે છે. વળી ઘણા લોકોની સાક્ષી વગર કોઈને દ્રવ્ય આપવું નહીં, તેમજ ન દીઠેલું અને પરીક્ષા કર્યા વગરનું કરિયાણું લેવું નહીં; અને લેવું ત્યારે પણ ઘણા લોકોના સમુદાય સમક્ષ લેવું કે જેથી કદી વાંઘો પડે તો તે જોનારા સાક્ષીઓ સહાય આપે. સાક્ષી રાખીને આપેલું દ્રવ્ય વા કોઈ વસ્તુ પુનઃ કાળાંતરે પણ પ્રાપ્ત થાય છે. તે ઉપર એક વણિકનું દ્રષ્ટાંત કહેવાય છે તે આ પ્રમાણે ધૂર્ત વણિકનું દ્રષ્ટાંત કોઈ ઘનાઢ્ય ઘૂર્ત વણિક વિદેશ જતો હતો. માર્ગે ચાલતાં એક અરણ્ય આવ્યું. તેમાં ચોર લોકોની ઘાડ મળી. તેણે વણિકને જુહાર કરી તેની પાસેથી દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું, “કોઈ સાક્ષી રાખીને બધું દ્રવ્ય ખુશીથી લો, કોઈ અવસરે મને પાછું આપજો અને મને મારશો નહીં.” ચોરોએ વિચાર્યું કે, “આ વણિક મુગ્ધ (ભોળો) જણાય છે. પછી તેમણે કોઈ બિલાડાને સાક્ષી રાખી તેનું સર્વ દ્રવ્ય લઈને તેને છોડી મૂક્યો. તે વણિક અનુક્રમે તે ચોર લોકોના ગામઠામ વગેરે જાણી લઈને પોતાને ગામે ગયો. કેટલેક કાળે તે ચોર લોકો ઘણી વસ્તુઓ લઈને વેચવા માટે તેના ગામમાં આવ્યા. વણિકે તેમને ઓળખીને પોતે આપેલું દ્રવ્ય માગ્યું. ચોરોએ આનાકાની કરવા માંડી એટલે પરસ્પર કલહ થઈ પડ્યો. ન્યાયાધીશ આગળ તેઓ ગયા. ન્યાયાધીશે પૂછ્યું કે, “આ વાતમાં કોઈ સાક્ષી છે?” એટલે પેલો વણિક કોઈ કાળા બિલાડાને લઈ આવી પોતાની કાખમાં રાખીને બોલ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy