SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૩] મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવા વિશ્વા) परस्त्रीपरद्रव्येषु, जीवहिंसाषु यो मतिम् । न करोति पुमान् भूप! तोष्यते तेन केशवः॥१॥ यस्य रागादि दोषेण, न दुष्टं नृप ! मानसम् । विशुद्धचेतसो विष्णु,-स्तोष्यते तेन सर्वदा ॥२॥ ભાવાર્થ-હે રાજ! જે પુરુષ પરસ્ત્રી, પરઘન અને જીવહિંસામાં બુદ્ધિ કરશે નહીં, તેની ઉપર વિષ્ણુ ભગવાન્ સંતુષ્ટ થશે. હે રાજા! જેનું મન રાગાદિ દોષથી દૂષિત થયું નથી તેવા શુદ્ધ મનવાળા પુરુષ ઉપર વિષ્ણુ સદા સંતુષ્ટ થાય છે.” વળી વ્રજપુરાણમાં યમરાજ અને વિષ્ણુના દૂતોના સંવાદ પ્રસંગે કહ્યું છે કે, જે પોતાના વર્ણાશ્રમ ઘર્મથી ચલિત થતો નથી, શત્રુ અને મિત્રમાં સમાન દ્રષ્ટિ રાખે છે, જે કોઈને મારતો નથી, તેમજ કોઈનું હરી લેતો નથી, તેવા સ્થિર મનવાળા પુરુષને વિષ્ણુભક્ત જાણવો. જેની બુદ્ધિ નિર્મળ છે, જે મત્સર રહિત, પ્રશાંત, પવિત્ર આચરણવાળો અને સર્વ પ્રાણીમાત્રનો મિત્ર છે, તેમજ જેનાં વચન પ્રિય અને હિતકારી છે, તેમજ જે માન માયા રહિત છે તેવા પુરુષના હૃદયમાં જ વાસુદેવ વસે છે.” આ પ્રમાણે વિચારતાં તત્ત્વવૃત્તિ વડે સર્વ જીવના રક્ષકો જૈન જ છે, બ્રાહ્મણો નથી, કેમકે તેઓ તો તેથી વિપરીત ચાલનારા છે. વળી પરમાર્થરૂપે નિત્ય ચિદ્રપપણે તથા જ્ઞાનાત્મપણે જે વ્યાપે તે વિષ્ણુ કહેવાય. આવી વ્યુત્પત્તિથી જિન જ વિષ્ણુ છે, તેથી તેના ભક્તોને મુક્તિ પ્રાપ્ત થાય એવો નિશ્ચય છે.” આ પ્રમાણે અનેક પ્રકારના ઘર્મોપદેશથી રાજાએ ઘર્મનો મર્મ જાણીને અહિંસાદિક બાર વ્રત ગ્રહણ કર્યા. પછી તેણે ચારે વર્ષોમાં “પોતાને માટે તથા બીજાને માટે જે કોઈ જીવહિંસા કરશે તે રાજદ્રોહી ગણાશે.” એવી પાટણ શહેરમાં ઉદ્ઘોષણા કરાવી; એટલું જ નહીં પણ મચ્છીમાર તથા કસાઈ વગેરેનો પણ નિષ્પાપ નિર્વાહ ચાલે તેવી ગોઠવણ કરી સર્વને દયામય કરી દીધા. તે પછી કાશી દેશમાં ઘણા જીવની હિંસા થતી સાંભળીને તે નિવારવાને માટે એક ચિત્રપટ તૈયાર કર્યું. તેમાં અહિંસા અને હિંસાના ફલરૂપ સ્વર્ગ-નરકના ચિત્રો આલેખ્યા. તેની વચમાં શ્રીગુરુ (હેમચંદ્રસૂરિ) ની મૂર્તિ કરાવી અને તેમની આગળ પોતાની નમ્ર મૂર્તિ ચીતરાવી. તે ચિત્ર સાથે બે કોટી સુવર્ણ તથા બે હજાર જાતિવંત અશ્વ વગેરેની મોટી ભેટ આપી પોતાના મંત્રીને ત્યાં મોકલ્યો. વારાણસીનો રાજા જયચંદ્ર સાતસો યોજન ભૂમિ ઉપર રાજ્ય કરતો હતો. તેની પાસે ચાર હજાર હાથી, સાઠ લાખ અશ્વ અને ત્રીશ લાખ પાયદલની સેના હતી. તે ગંગા યમુનાના તીર ઉલ્લંઘી બીજે જઈ શક્તો નહીં તેથી તે પોતાને “પંગુરાજ” કહેવરાવતો હતો. કુમારપાળને મંત્રી ચિત્રપટ વગેરે લઈને ત્યાં ગયો. કેટલેક દિવસે રાજાનું મુખ જોવામાં આવ્યું એટલે તેણે ચિત્રપટ બતાવ્યો, અને તેનું યથાર્થ સ્વરૂપ જણાવતા કહ્યું કે,–“આ મધ્યે રહેલી મૂર્તિ અમારા રાજગુરુની છે, તે ગુરુએ પુણ્ય પાપનું ફળ આ ચિત્રમાં બતાવ્યા અનુસાર દર્શાવ્યું તેથી આ અમારા રાજાએ જીવદયા ઘર્મ સ્વીકાર્યો છે, અને તેમણે પોતાના રાજ્યમાં સર્વત્ર અમારી ઘોષણા કરાવી છે. વળી અમારા રાજાની કુળદેવી પ્રતિવર્ષ ચોવીશ પાડાનું બલિદાન લેતી હતી તેને પણ ગુરુની સહાયથી પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy