SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ કિંચિત્ પણ જીવદયા કહેલી છે તો સર્વ શાસ્ત્ર સંમત શુદ્ધ દયાને પાળનારા અમે વેદબાહ્ય શી રીતે કહેવાઈએ? પુરાણમાં લખે છે કે सर्वे वेदा न तत्कुर्युः सर्वे यज्ञाश्च भारत ! सर्वे तीर्थाभिषेकाच, यत्कुर्यात्प्राणिनां दया ॥१॥ ભાવાર્થ-“હે ભારત (યુધિષ્ઠિર)! જે પ્રાણીઓ પર દયા કરવાથી (ઘર્મ) થાય તે સર્વ વેદોથી, સર્વ યજ્ઞોથી અને સર્વ તીર્થાભિષેકથી પણ થતો નથી.” વળી હે રાજનું, “જો વેદમાં દયા ન હોય તો તે વેદ નાસ્તિકના શાસ્ત્રોની જેમ અમારે પ્રમાણભૂત નથી.” આ પ્રમાણે ગુરુમહારાજના વાક્યોથી કુમારપાળ રાજા વેદોને અમાન્ય માનતો થયો. એક વખતે રાજાએ સૂરિને કહ્યું, “ભટ્ટારક, કેટલાક એમ કહે છે કે, જૈન લોકો સૂર્ય જેવા પ્રત્યક્ષ દેવને પણ માનતા નથી તેનું શું સમજવું?” સૂરિ બોલ્યા-રાજન્! સાંભળ. સ્કંદપુરાણે રુદ્ર પ્રણીત કપાલમોચન સ્તોત્રમાં સૂર્યની સ્તુતિ આ પ્રમાણે કરવામાં આવી છે त्वया सर्वमिदं व्याप्तं, ध्येयोऽस्ति जगतां रवे! ॥ त्वयि चास्तमिते देव, आपो रुधिरमुच्यते ॥ त्वत्करैरेव संस्पृष्टा, आपो यांति पवित्रताम् ॥ | ભાવાર્થ-“હે સૂર્યદેવ, તમારાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, તમે જ જગતમાં ધ્યાવવા યોગ્ય છો; જ્યારે તમે અસ્ત પામો છો ત્યારે જળ રુધિર કહેવાય છે; તમારા કિરણો વડે ધૃષ્ટ થવાથી જળ પવિત્ર થાય છે.” આવા પ્રમાણ વાક્યોથી રાત્રે અન્નજળનો ત્યાગ કરનારા અમે જ તત્ત્વથી તો સૂર્યને માનીએ છે. વળી કહ્યું છે કે पयोदपटलैश्छन्ने, नाभूति रविमंडले । अस्तंगते तु भुंजाना, अहो! भानोः सुसेवकाः ॥१॥ ભાવાર્થ-જ્યારે મેઘના વાદળામાં સૂર્ય ઢંકાઈ ગયો હોય ત્યારે સૂર્યભક્તો ભોજન કરતા નથી અને સૂર્ય અસ્ત પામે છે ત્યારે ભોજન કરે છે તો તે કેવા સૂર્યભક્ત કહેવાય!” રાજાએ ફરી વાર પૂછ્યું કે, “કેટલાક કહે છે કે જૈનો વિષ્ણુને માનતા નથી તેથી તેની મુક્તિ થતી નથી, તે શી રીતે?” હેમચંદ્રાચાર્ય બોલ્યા કે,–“હે રાજન્! તે સત્ય છે પરંતુ ખરેખરા વૈષ્ણવ તો જૈનમુનિઓ જ છીએ. ગીતામાં કહ્યું છે કે पृथिव्यामप्यहं पार्थ! वायावग्नौ जलेऽप्यहम् । वनस्पतिगतश्चाहं, सर्वभूतगतोऽप्यहम् ॥१॥ यो मां सर्वगतं ज्ञात्वा, न च हिंसेत्कदाचन । तस्याहं न प्रणस्यामि, यस्य मां न प्रणस्यति ॥२॥ ભાવાર્થ-હે અર્જુન! હું પૃથ્વીમાં, વાયુમાં, અગ્નિમાં, જળમાં, વનસ્પતિમાં અને સર્વ ભૂતોમાં રહેલો છે. તેથી જે મને સર્વવ્યાપક જાણી હિંસા કરશે નહીં તેનો વિનાશ હું પણ કરીશ નહીં. અર્થાત્ જે મને હણશે નહીં તેને હું પણ હણીશ નહીં.” વળી વિષ્ણુપુરાણમાં પારાશર ઋષિએ કહ્યું છે કે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy