SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૩] મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવા વિશ્વા) Є થાય? જલથી ઉત્પન્ન થનારા કમળો અગ્નિમાંથી કેમ ઉત્પન્ન થાય? બ્રહ્મપુરાણમાં પણ લખે છે કે, ‘પ્રાણીની હિંસા કરનારા પુરુષો વેદ ભણવાથી, દાન દેવાથી, તપ કરવાથી કે યજ્ઞો કરવાથી પણ કદી સદ્ગતિ પામતા નથી.’ સાંખ્ય મતવાળા કહે છે કે षट्त्रिंशदंगुलायामं विंशत्यंगुल विस्तृतम् । दृढं गलनकं कार्यं, भूयो जीवान् विशोधयेत् ॥ १॥ ભાવાર્થ-‘છત્રીશ આંગળ લાંબું અને વીશ આંગળ પહોળું એવું ગણું રાખવું અને તે વડે વારંવાર જીવોને શોધવા અર્થાત્ પાણી ગાળવું.’' વળી લિંગપુરાણમાં કહ્યું છે કે— त्रिंशदंगुलमानं તુ, विंशत्यंगुलमायतम् । तद्वस्त्रं द्विगुणीकृत्य, गालयित्वोदकं पिबेत् ॥ १॥ तस्मिन् वस्त्रे स्थितान् जंतून्, स्थापयेज्जलमध्यतः । एवं कृत्वा पिबेत्तोयं, स याति परमां गतिम् ॥२॥ ભાવાર્થ—ત્રીશ આંગળ લાંબું અને વીશ આંગળ પહોળું વસ્ર બેવડું કરી તે વડે જળને ગાળીને પછી પીવું. તે વસ્ત્રને લાગેલા જીવોને પાછા જળની મધ્યમાં નાખવા. એમ કરીને જે જળ પીએ તે સદ્ગતિને પામે છે.’’ ઉત્તરમીમાંસામાં પણ કહ્યું છે કે– लूतास्य तंतु गलिते, ये बिंदौ संति जंतवः । सूक्ष्मा भ्रमर मानास्ते, नैव मांति त्रिविष्टपे ॥१॥ कुसुंभकुंकुमांभोवन् निचितं सूक्ष्म जंतुभिः । तद् दृढेनापि वस्त्रेण, शक्यं नो शोधयेज्जलम् ॥२॥ ભાવાર્થ‘કરોળીઆના મુખમાંથી નીકળેલા તંતુઓથી ગળેલા જળના બિંદુઓમાં જે જંતુઓ છે તે એટલા બઘા સૂક્ષ્મ છે કે જો તે દરેકને ભ્રમર જેવડી કાયાવાળા કરીએ તો ત્રણ જગતમાં સમાય નહીં.(જો કરોળીઆની લાળમાં—જે મુખમાંથી તાજી જ પડેલી છે તેમાં આટલા જીવ હોઈ શકે તો પાણીમાં હોવા સ્વાભાવિક જ છે.)'' વળી ‘‘કસુંબાના તથા કુંકુમના જળની અંદર એવા સૂક્ષ્મ ત્રસ જંતુઓ રહેલા છે કે ઘાટા વસ્ત્રથી ગળાતાં છતાં પણ તેને શોધવાં અશક્ય થઈ પડે છે. અર્થાત્ તેમાંથી પણ તે બહાર નીકળી આવે છે.’’ ઉપર પ્રમાણે સર્વ ધર્મશાસ્ત્રોમાં કહેલ છે તેથી સર્વ ધર્મ દયામૂળ છે, અને એ જ ધર્મ પ્રમાણ છે, માટે હે રાજન્! ભ્રાંતિને છોડીને દયા ધર્મમાં સ્થિર થા. આ પ્રમાણેના હેમચંદ્રાચાર્યના વચનોથી જૈન ધર્મને સત્ય માનતાં રાજાએ ફરીવાર પૂછ્યું કે, “હે ભગવન્! કેટલાક કહે છે કે, જૈન લોકો વેદબાહ્ય છે માટે તે નમવા યોગ્ય નથી. તે વિષે આપ શું કહો છો?’’ સૂરિ બોલ્યા–રાજન્, વેદ કર્મમાર્ગના પ્રવર્ત્તક છે અને અમે નિષ્કર્મ માર્ગી છીએ, તેથી વેદ શી રીતે પ્રમાણ થાય? ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે, ‘‘વેદ અવેદ છે, લોક અલોક છે અને યજ્ઞ અયજ્ઞ છે, કારણ કે વેદમાં અવિદ્યા કહેલી છે.’ વળી રુચિ પ્રજાપતિના સ્તોત્રમાં પુત્રનું પિતા પ્રત્યે વચન છે કે, “વેદમાં કર્મમાર્ગ છે તે અવિદ્યા છે તો હે પિતામહ, તમે મને કર્મમાર્ગનો ઉપદેશ કેમ કરો છો?’’ જો વેદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy