SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ આપે છે કે, “જે ક્રોઘ કરીને વઘ વગેરે કરે છે, તે સમયે તેને નિરપેક્ષપણું થઈ જાય છે, વ્રત નિયમ સાંભરતા નથી. તેને પ્રસંગે જીવ મૃત્યુ ન પામવાથી તેનો નિયમ રહે છે, પણ કોપવડે નિર્દયપણું કરવાથી તેના વ્રતનો ભંગ થાય છે. એટલે દેશથી ભંગ અને દેશથી પ્રતિપાલન થવાથી પૂજ્ય પુરુષો તેને અતિચાર ગણે છે.” માટે જેમ આ અતિચારો ન લાગે તેમ પ્રવર્તવું. આ વ્રત ઉપર શ્રી કુમારપાળનો પ્રબંધ નીચે પ્રમાણે છે. શ્રી કુમારપાળ પ્રબંધ એક વખતે ઉદયનમંત્રીએ પાટણમાં મહોત્સવ સહિત શ્રી હેમચંદ્રસૂરિને પ્રવેશ કરાવ્યો. અન્યદા સૂરિએ મંત્રીને કહ્યું કે, તમારે રાજાને એકાંતમાં કહેવું કે, આજે તમારે નવી રાણીને મહેલે સુવા ન જવું; કારણ કે રાત્રે ત્યાં વિઘ્ન થવાનું છે. કદી રાજા તમને પૂછે કે, તેવું કોણે કહ્યું? તો તે અતિ આગ્રહ કરે તો તમારે મારું નામ આપવું. પછી મંત્રીએ તેમ કર્યું. રાજાએ તે વચન માન્ય કર્યું. તે રાત્રે વિદ્યુત (વીજળી) પડવાથી તે રાણીનો મહેલ બળી ગયો અને રાણી મૃત્યુ પામી. આ ચમત્કાર જોઈ રાજાએ મંત્રીને પૂછવાથી હેમચંદ્રાચાર્યને ત્યાં આવ્યા જાણી તરત બોલાવ્યા. સૂરિ સભામાં આવ્યા એટલે રાજા આસન છોડી તેમના ચરણમાં પડીને બોલ્યો કે, “હે ભગવન્! હું તમને મુખ બતાવી શકું તેમ નથી કેમકે, પ્રથમ તમે સ્તંભતીર્થ (ખંભાત)માં મારી રક્ષા કરી હતી, અને અહીં પણ જીવિતદાન આપ્યું છે, માટે હવે મારું રાજ્ય લઈને મને અનૃણી કરો.” આચાર્ય બોલ્યા કે, “હે રાજ! અમારે નિઃસંગને રાજ્યનું શું કામ છે? જો તમે કૃતજ્ઞ થઈને પ્રત્યુપકાર કરવાને ઇચ્છતા હો તો તમારું મન શ્રી જૈનઘર્મમાં જોડી દો. કહ્યું છે કે, પ્રાણીને ઘર, સ્ત્રી, પુત્રો, સેવકો, બાંઘવો, શહેર, ખાણ, ગામ અને રાજ્ય સંપત્તિ વગેરે પગલે પગલે પ્રાપ્ત થાય છે પણ વિદ્વાનોએ પૂજેલા નિર્મલ તત્ત્વજ્ઞાનપર રુચિ પ્રાપ્ત થતી નથી.” તે સાંભળી રાજાએ કહ્યું, “સ્વામી! તમારે કૃપા કરી પ્રતિદિન સભામાં મને પ્રતિબોઘ કરવા આવવું, કે જેથી અનેક બ્રાહ્મણાદિ વર્ગે સ્થાપિત કરેલા પક્ષના વિનાશથી મારી બુદ્ધિ સમ્યગુ ઘર્મમાં જોડાય.” પછી શ્રી હેમચંદ્રસૂરિ પ્રતિદિન રાજસભામાં જવા લાગ્યા અને બ્રાહ્મણોની સાથે વિવાદ કરીને સ્યાદ્વાદ મતનું સ્થાપન કરવા લાગ્યા. એક દિવસ રાજાએ સભામાં પૂછ્યું કે “સર્વઘર્મમાં શ્રેષ્ઠ ઘર્મ ક્યો?” સૂરિ બોલ્યા- “ભોજરાજાની આગળ સરસ્વતીએ આ સંવાદ વિષે શ્લોક કહ્યો છે તે સાંભળવા યોગ્ય છે. તેમાં કહ્યું છે કે, સૌગત ઘર્મ સાંભળવા યોગ્ય છે, આહંતુ ઘર્મ કરવા (આચરવા) યોગ્ય છે, વૈદિકઘર્મ વ્યવહારને માટે યુક્ત છે અને પરમશિવ મત ધ્યાન કરવાયોગ્ય છે.” રાજાએ ફરીથી પૂછ્યું કે ભગવન્! વેદમાં લખે છે કે, “જે ઔષધિઓ, પશુઓ, વૃક્ષો, તિર્યંચો અને પક્ષીઓ યજ્ઞને માટે નિઘન (વિનાશ) પામે તે પુનઃ ઉન્નત પદને પામે છે. આ પ્રમાણે વેદોક્ત હિંસાને કેટલાક ઘર્મ માને છે તે વિષે આપ શું કહો છો? સૂરિ બોલ્યા-રાજનું! એ સત્ય વચન નથી. સ્કંદપુરાણના અઠ્ઠાવનમા અધ્યાયમાં કહ્યું છે કે, વૃક્ષોને છેદી, પશુઓને હણી, રુધિરનો કાદવ કરી અને અગ્નિમાં તિલ વૃતાદિ હોમી સ્વર્ગ મેળવે છે તે આશ્ચર્ય છે. જો યજ્ઞને માટે પશ સર્જેલા છે એમ સ્મૃતિ કહેતી હોય તો સ્માર્તઘર્મીઓ તેમનું માંસ ભક્ષણ કરનારા રાજાઓને કેમ વારતા નથી? વળી જો બ્રહ્માએ યજ્ઞને માટે પશુઓ બનાવ્યા છે તો વાઘ વગેરેના હોમથી દેવતા સંતુષ્ટ કેમ થતા નથી?” હે રાજનું, અહિંસાથી ઉત્પન્ન થનારો ઘર્મ તે હિંસાથી શી રીતે પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy