SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૩] મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવા વિશ્વા) હિંસામાં પણ સાપરાથી અને નિર૫રાથી એમ જીવ આશ્રયી બે ભેદ છે. તેમાં ગૃહસ્થ નિરપરાધીની હિંસાથી નિવૃત્ત થઈ શકે છે, પણ સાપરાધીને માટે તો તેના અપરાઘના નાના મોટાપણા સંબંઘી વિચાર કરવો પડે છે; તેથી તેના ગુરુ અપરાધમાં તેના વધનો સંકલ્પ પણ કરે છે. તેથી પાંચ વસામાંથી અઢી વસા ગયા. તે નિરપરાધીના વધના ત્યાગના પણ બે પ્રકાર છે, સાપેક્ષ અને નિરપેક્ષ. તેમાં ગૃહસ્થ નિરપેક્ષ હિંસાથી નિવૃત્ત થઈ શકે છે, પણ સાપેક્ષ હિંસાથી નિવૃત્ત થઈ શકતો નથી. એટલે નિરપરાધી એવા પણ ભારવહન કરનારા પાડા, બળદ, ઘોડા વગેરેને તેમજ પઠન કરવામાં પ્રમાદી એવા પુત્રાદિકને સાપેક્ષપણે વધ બંઘનાદિ કરે છે; તેથી અઢી વસામાંથી અર્થ જતાં બાકી સવા વસો રહે છે. તેથી ગૃહસ્થ શ્રાવકને સવાવસો દયા કહેલી છે. એ પ્રમાણે શ્રાવકનું પહેલું અણુવ્રત છે. તે પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર ત્યાગ કરવા યોગ્ય છે તે કહે છે– क्रोधाद् बंधश्छविच्छेदो - ऽधिकभाराधिरोपणम् । प्रहारोऽन्नादिरोधश्चा - ऽहिंसायाः પરિઝીર્ત્તિતાઃ || ભાવાર્થ—ક્રોધથી આકરું બંધન બાંધવું, કર્ણાદિકનો છેદ કરવો, અધિક ભાર મૂકવો, પ્રહાર કરવો અને અન્ન તથા જલનો નિરોધ કરવો, એ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચાર છે.’’ તેનું વિવેચન કરે છે કે, રજ્જુ વગેરેથી ગાય વા મનુષ્યને બાંધવા, પોતાના પુત્રોને પણ વિનય શીખવવા માટે તેવી શિક્ષા કરવી, તેમાં ક્રોધથી એટલે પ્રબલ કષાયથી જે બંઘન બાંધવું તે પહેલો અતિચાર છે. શરીરની ત્વચાનો અથવા કાન વગેરેનો ક્રોધથી જે છેદ કરવો તે બીજો અતિચાર છે. ક્રોધથી વા લોભથી વહન કરી શકાય નહીં તેટલો (પ્રમાણથી અધિક) બોજો વૃષભ, ઊંટ, ગઘેડા તથા મનુષ્યાદિકની પીઠ પર આરોપણ કરવો તે ત્રીજો અતિચાર છે. ક્રોધથી નિર્દયપણે ચાબુકાદિવડે પ્રહાર કરવો તે ચોથો અતિચાર છે, અને ક્રોધાદિકથી ભાત-પાણીનો યા ઘાસચારાનો અટકાવ કરવો તે પાંચમો અતિચાર છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે,‘આ વધાદિ પાંચ અતિચાર શી રીતે લાગે? કારણ કે વ્રત ગ્રહણ કરતાં તે બંધન, પ્રહારાદિનો ત્યાગ કરેલો નથી, જેથી તેમ કરવાથી વ્રતના મલિનપણાનો અભાવ છે અને જે વ્રત લીધું છે તે તો અખંડ છે, તેથી તેમાં અતિચાર શી રીતે ઉત્પન્ન થાય?’' ગુરુ તેનું સમાધાન કરે છે કે-‘મુખ્યપણે તો પ્રાણાતિપાતનો જ ત્યાગ કરેલો છે, વધ-બંધનાદિનો ત્યાગ કરેલો નથી, પણ પરમાર્થે તો તેનું પણ પચખાણ કરેલું છે; કારણ કે તે પ્રાણાતિપાતના હેતુ છે.’’ શિષ્ય કહે છે કે ‘જો તેમ છે તો તો તેવી રીતે વ્રત ન પાળવાથી વ્રતનો જ ભંગ થવો જોઈએ, અતિચાર શા માટે લાગે?’’ ગુરુ કહે છે કે ‘“એમ નહીં. વ્રત બે પ્રકારે પળાય છે—અંતવૃત્તિથી અને બહિવૃત્તિથી. તેમાં જ્યારે કોપાદિકને વશ થઈ વધ વગેરેમાં (પ્રહારાદિ કરવામાં) પ્રવર્તે ત્યારે નિર્દયપણાને લીધે અંતવૃત્તિથી વ્રતનો ભંગ થાય છે, પણ આયુષ્યના બળને લીધે તે જીવ મરણ નહીં પામવાથી બહિવૃત્તિથી વ્રત પાળ્યું ગણાય છે. તેથી કાંઈક ભાંગ્યું અને કંઈક ન ભાંગ્યું એમ ભંગાભંગરૂપ અતિચાર ગણાય છે. તે વિષે અન્યત્ર પણ કહ્યું છે કે, “મારે જીવનો વધ કરવો નહીં, એવું જેને વ્રત છે તેને જીવ મૃત્યુ પામ્યા વિના અતિચાર કેમ લાગે?’’ એવી આશંકાનો ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy