SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ વાજિંત્રો વગાડતાં તેને પાટણ નગરના ચોરાશી ચૌટામાં ફેરવી લાકડી તથા મુષ્ટિ વગેરેથી તાડન કરાવી તેને પોતાના નગરમાંથી અને પોતાના દેશમાંથી પણ બહાર કાઢી મુકાવ્યા. ઇત્યાદિ ઘણાં વૃત્તાંતો શ્રી જિનમંડનસૂરિએ રચેલા કુમારપાળ ચરિત્રમાંથી જાણી લેવા. श्रीकुमारधरणीभृतःकथं, कथ्यतेऽत्र महिमा प्रमातिगः । यः कृपाव्रतमिहाश्रितः स्वयं, तन्मयं च निखिलं जगद् व्यधात् ॥१॥ ભાવાર્થ-“આ શ્રી કુમારપાળ રાજાની કથાનો મહિમા વચનથી અગોચર છે, તે રાજાએ પોતે દયાવ્રત લઈને સર્વ જગતને પણ દયામય કરી દીધું હતું.' વ્યાખ્યાન ૬૩ મુનિની અપેક્ષા શ્રાવકની દયા (સવા વિશ્વા) હવે ગૃહસ્થ શ્રાવકોને મુનિથી સવાવિશ્વા (સવા વસા)ની દયા હોય છે તે બતાવે છે– __ आद्यव्रते गृहस्थानां, सहपादो विशोपकाः । दया हि दर्शिता पूज्यैः, नाधिका तु प्रकाशिता ॥१॥ ભાવાર્થ-“પૂજ્ય પુરુષોએ ગૃહસ્થ શ્રાવકોને માટે પ્રથમ દયાવ્રતમાં મુનિથી સવાવસા દયા દર્શાવી છે, તેથી અધિક દર્શાવી નથી.” અહીં સવાવસો દયા કેવી રીતે થાય તે ઉપર પ્રાચીન સૂરિઓ આ પ્રમાણે કહે છે थूला सुहमा जीवा, संकप्पारंभओ भवे दुविहा । सावराह निरवराहा, साविक्खा चेव निरविक्खा ॥१॥ ભાવાર્થ-સ્થૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારના જીવો, સંકલ્પ અને આરંભથી એમ બે પ્રકારે હણાય છે. તે જીવો વળી સાપરાધી અને નિરપરાધી એમ બે પ્રકારનાં હોય છે તથા તેની હિંસા સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે થાય છે. તેનો ભાવાર્થ એ છે કે, પ્રાણીઓની હિંસા પ્રાણીના સ્કૂલ અને સૂક્ષ્મપણાથી બે પ્રકારે કહેલી છે. તેમાં સ્કૂલ એટલે ત્રસ જીવો અને સૂક્ષ્મ એટલે એકેંદ્રિય જીવ જાણવા. તેના પૃથ્વીકાય વગેરે પાંચ ભેદ છે, પણ તેમાં તે નહીં કે જે સૂક્ષ્મ નામકર્મના ઉદયથી સર્વ લોકમાં વ્યાપી રહ્યા છે; કારણકે તેના વઘનો અભાવ છે. તેઓ તો પોતાના આયુષ્યના ક્ષય વડે જ મૃત્યુ પામે છે, તેથી તે જીવો સંબંધી અવિરતિજન્ય પાપબંઘ છે, પણ હિંસાજન્ય પાપબંઘ નથી. સાધુઓ તે બન્ને પ્રકારના (સ્કૂલ અને સૂક્ષ્મ જીવના) વઘથી નિવૃત્ત છે, તેથી તેમનામાં વીશ વસાની દયા હોય છે અને ગૃહસ્થને માત્ર સ્કૂલ જીવના વઘથી નિવૃત્તિ છે, કારણ કે તે પૃથ્વી, જલ વગેરેનો સદા આરંભી છે; તેથી દશવસા ઓછા થયા. હવે તે સ્થૂલ જીવનો વઘ પણ બે પ્રકારે છે–સંકલ્પથી અને આરંભથી. તેમાં સંકલ્પથી એટલે “આને હું મારું' એવા મનઃસંકલ્પથી જે હિંસા થાય છે. તેનાથી ગૃહસ્થ નિવૃત્ત થઈ શકે છે. પણ આરંભથી તે નિવૃત્ત થઈ શકતો નથી; કારણ કે ખેતી વગેરેના આરંભમાં ત્રસ જીવનો પણ ઘાત થાય છે. તે સિવાય પોતાનો તથા સ્વજનનો નિર્વાહ થઈ શકતો નથી. એથી દશ વસામાંથી વળી પાંચ ગયા એટલે પાંચ બાકી રહ્યા. હવે સંકલ્પથી ત્રસજીવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy