SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ संवत्सरेण एकान પ્રથમ અણુવ્રત–પ્રાણાતિપાત વિરમણ યસાપં, कैवर्तस्येह નાયતે | तदाप्नोति, ઊપૂતબનસંગ્રહી શા यः कुर्यात् सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः स योगी स महाव्रती ॥४॥ म्रियते मिष्टतोयेन, કૂતરા क्षारसंभवाः । क्षारतोयेन मिष्टानां न कुर्यात् संकुलं ततः ॥५॥ ભાવાર્થ—“વેદના પારંગત બ્રાહ્મણને સમગ્ર ત્રણ લોક આપવાથી જેટલું પુણ્ય થાય છે, તેનાથી કોટીગણું પુણ્ય વસ્રવડે પાણી ગાળીને પીવાથી થાય છે. વળી સાત ગામ બાળવાથી જેટલું પાપ થાય છે, તેટલું પાપ અળગણ પાણીનો ઘડો વાપરવાથી થાય છે. મચ્છીમારને એક વર્ષમાં જેટલું પાપ લાગે છે તેટલું પાપ ગળ્યા વગરના જળને સંગ્રહી રાખનારને એક દિવસમાં લાગે છે. જે ગળેલા જળથી સર્વ કાર્ય કરે, તે મુનિ, તે મહાસાધુ, તે યોગી અને તે મહાવ્રતી કહેવાય છે. ખારા પાણીના ઉત્પન્ન થયેલા પૂરા મીઠા પાણીમાં મરી જાય છે અને મીઠા પાણીના પૂરા ખારા પાણીથી મરી જાય છે, તેથી ખારું અને મીઠું પાણી એકઠું કરવું નહીં.’’ વ્યાખ્યાન ૬૨] ૫ આવા પુરાણના શ્લોકો સાંભળીને કુમારપાળે તે શ્લોકો લખાવી તેના પત્ર લઈને પોતાના સેવકોને પોતાના રાજ્યમાં દરેક શહેરે અને દરેક ગામે જીવદયાને માટે મોકલાવ્યા. વળી રાજા કુમારપાળે ‘‘કોઈ હિંસા કરે છે કે નહીં?’’ એ જાણવા માટે ગુપ્ત બાતમીદારોને રાખ્યા હતા. તેઓ ગુપ્ત રીતે તેના વિશાળ રાજ્યમાં સર્વત્ર ફરતા હતા. એક વખતે એવું બન્યું કે, કોઈ ગામમાં ‘મહેશ્વર’ નામના કોઈ વણિકના કેશમાંથી તેની સ્ત્રીએ એક જૂ કાઢીને તે શ્રેષ્ઠીના હાથમાં મૂકી, એટલે તે મહેશ્વર શેઠે તેને મારી નાખી. તે રાજાના ગુપ્તચરોના જોવામાં આવ્યું તેથી તત્કાળ તે શ્રેષ્ઠીને જૂના કલેવર સાથે પકડીને પાટણ કુમારપાળ પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું, અરે શેઠ, આવી દુષ્ટ ચેષ્ટા કેમ કરી? શ્રેષ્ઠીએ કહ્યું, મહારાજ, આ જૂ મારા મસ્તકમાં માર્ગ કરીને મારું રુધિર પીતી હતી, તે અન્યાયથી મેં તેને મારી છે. કુમારપાળે કહ્યું, અરે દુષ્ટ, કેશ તો જૂને રહેવાનું સ્થાન છે. ત્યાંથી તે જીવને તેં સ્થાનભ્રષ્ટ કર્યો તેથી તું પોતે જ અન્યાયી છો. કદી તું જીવહિંસાથી ડર્યો નહીં, પણ શું મારી આજ્ઞાથી પણ ડર્યો નહીં? એમ કહી તેનો ઘણો તિરસ્કાર કર્યો. પછી તે મહેશ્વરે જીવિતરૂપ ભિક્ષા માગી એટલે દયાળુ રાજાએ કહ્યું કે, જા, તને છોડી મૂકું છું, પણ તું તારું સર્વ દ્રવ્ય ખર્ચીને આ જૂના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે ‘‘યૂકાવિહાર’’ નામે એક પ્રાસાદ કરાવ, કે જેને જોઈને કોઈ પણ તેવો જીવવધ ન કરે. મહેશ્વર શેઠે તેમ કરવું સ્વીકાર્યું. કહ્યું છે કે– अमारिकरणं તસ્ય, वर्ण्यते किमतः परं । तेsपि कोऽपि यन्नोचे, मारीरित्यक्षरद्वयम् ॥१॥ ભાવાર્થ—“અહો, કુમારપાળ રાજાનાં અમારી કર્તવ્યનું શું વર્ણન કરીએ કે જેના રાજ્યમાં દ્યુતક્રીડામાં પણ કોઈ ‘મારી’ એવા એ બે અક્ષર બોલી શકતું નહીં.’’ એક વખતે રાજા કુમારપાળે સાત વ્યસનને હિંસાના કારણભૂત જાણી માટીના સાત પુરુષોના રૂપ બનાવ્યા. તેમના મુખ ઉપર મિસ લગાડી ગધેડે બેસાડી તેની આગળ કાહલ વગેરે તુચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy