SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ ઉદ્યાનમાં રહ્યો હોય તો પણ નાગરિક જ છે. તે કદી નગરના ઘર્મનો ત્યાગ કરતો નથી, પણ જો નગરના ઘર્મનો સર્વથા ત્યાગ કરે તો તે નાગરિક જ ન કહેવાય. તે જુદો જ કહેવાય. તેમ અહીં ત્રણ જીવ પણ જ્યારે સ્થાવરપણાને પામે છે, ત્યારે તે જુદો જ કહેવાય છે, તેથી કદી કોઈ કારણે તેની હિંસા થાય તો તેથી કરી ગૃહી શ્રાવકને વ્રતનો ભંગ થતો નથી એથી હે શિષ્ય! તારો પક્ષ અયુક્ત છે. આ વિષે વિશેષ જાણવું હોય તો “શ્રી સૂયગડાંગ સૂત્ર”ની દીપિકામાંથી જાણી લેવું. આ વ્રત કુમારપાળે મુખ્ય ભાંગાથી સ્વીકાર્યું હતું. તેનો અધિકાર આ પ્રમાણે છે– પ્રથમ અણુવ્રત પર કુમારપાળની કથા એક વખતે પાટણ નગરમાં શ્રી હેમચંદ્રાચાર્ય રાજસભામાં કહ્યું કે धर्मो जीवदयातुल्यो, न क्वापि जगतीतले । तस्मात् सर्वप्रयत्नेन, कार्या जीवदया नृभिः॥१॥ गोपो बब्बूलशूल्यग्रे, प्रोतयूकोत्थ पातकात् । અષ્ટોત્તરશતવારાન, શૂતિવારોપમૃતઃારા ભાવાર્થ-“આ પૃથ્વી ઉપર જીવદયા જેવો બીજો કોઈ ઘર્મ નથી, તેથી મનુષ્યોએ સર્વ પ્રયત્નથી જીવદયા પાળવી. કોઈ એક ગોપે બાવળની શૂળી ઉપર જા પરોવી હતી તે પાપવડે તે એકસો ને આઠ વાર શૂળી ઉપર ચડીને મૃત્યુ પામ્યો હતો.” કેટલાક લોકો કહે છે કે, “જે સ્થાને ગાયો તૃષા રહિત થાય તેવા નવાણ કરાવનાર પોતાના સાત કુળને તારે છે, તેથી સર્વ પ્રયત્નવડે પૃથ્વી ઉપર જળાશયો કરાવવા.” અહીં ગાયોને પાણી પાવામાં જે દયા કહી છે તે અન્ય મત પ્રમાણે છે, કારણકે જળાશય કરાવવાથી પૃથ્વીકાય જીવોની, અકાય જીવોની અને પૂરા વગેરે અનેક ત્રસ જીવોની પણ હિંસા થાય છે. આ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યનો ઉપદેશ સાંભળી કુમારપાળે પ્રાણાતિપાત વિરમણ વ્રત લઈ પોતાના અઢાર દેશોમાં અમારી પળાવી અને બીજા દેશોમાં મૈત્રીવડે તેમજ બળવડે અમારી પળાવી. વળી પોતાના અઢાર લાખ ઘોડા, અગિયાર સો હાથી, એંશી હજાર ગાયો અને પચાસ હજાર ઊંટોને પાણી ગાળીને જળપાન કરાવવાની ગોઠવણ કરી. એક વખતે કુમારપાળ રાજા કાયોત્સર્ગે ઊભા રહેલ તેવામાં પગે મંકોડો ચોંટ્યો. તે વખતે પાસેના સેવકોએ તેને ઉખેડવા માંડ્યો. પણ રાજાએ મંકોડાને વ્યાકુળતા થતી જોઈ, તીક્ષ્ણ કાતરવડે પોતાની ત્વચા ઉખેડી મંકોડાને દૂર કર્યો. વળી તેણે એવો નિયમ લીઘો કે, વર્ષાઋતુના ચાર મહિના પોતાના નગરના દરવાજા બહાર જવું નહીં. એક વખતે આચાર્યે કુમારપાળને જળને ગાળીને પીવા વિષે પુરાણના શ્લોકો આ પ્રમાણે કહી સંભળાવ્યા त्रैलोक्यमखिलं दत्वा, यत्पुण्यं वेदपारगे।। ततः कोटीगुणं पुण्यं, वस्त्रपूतेन वारिणा ॥१॥ ग्रामाणां सप्तके दग्धे, यत्पापं जायते किल । તારં ગાયત્તે રઝન, નીરસ્થાનિતે ઘટે રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy