SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ કદર્થના થાય છે, તેથી તેનો ત્યાગ કરવો. એ બારમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. (૧૩) તેરમું દવદાન કર્મ–અરણ્યમાં એક ભાગનો દાહ કરવાથી વનચર પ્રાણીઓ સુખે ચરે અને જૂનું ઘાસ બાળવાથી નવા અંકુરાની પેદાશ વધે એટલે ગાય પ્રમુખને ઘણો ચારો થાય અથવા વૃષ્ટિ પહેલાં જ ક્ષેત્રમાં દવ મૂક્યો હોય તો પછી તેમાં ઘણા ઘાન્યની નિષ્પત્તિ થાય. એવી ઇચ્છાથી લોભબુદ્ધિ વડે તે પ્રમાણે કરે. વળી ભીલ વગેરે પુણ્યબુદ્ધિથી કહે છે કે, “અમારા શ્રેયને અર્થે ઘર્મદીપોત્સવી કરવી, એટલે ડુંગર ઉપર દવ સળગાવવો.” વળી કોઈ કૌતુકથી પણ દવ સળગાવે છે; તથા કેટલાક હતાશનીમાં (હોળીમાં) મોટો અગ્નિ સળગાવવાથી ઘણું પુણ્ય માને છે. પરંતુ આવા દવ લગાડવાથી કોટીગમે જીવોનો વઘ થાય છે. પાંચમા અંગ શ્રી ભગવતીજીમાં ગણઘર મહારાજાએ પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! જે માણસ અગ્નિને વઘારે સળગાવે તેને વઘારે પાપ કે જે જળ કે ધૂળ વડે અગ્નિને બુઝાવે તેને વઘારે પા૫?” પ્રભુએ કહ્યું કે, “હે ગૌતમ! જે અગ્નિને વઘારે તે ક્લિષ્ટ કર્મ બાંધે અને જે બુઝાવે તે અક્લિષ્ટતર (ઘણાં હળવાં) કર્મ બાંધે.” તેથી શ્રાવકે દવ મૂકવા સંબંધી કર્મ કરવું નહીં. આ તેરમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. (૧૪) ચૌદમું સરશોષણ કર્મ-સરોવર વગેરેને શોષવામાં જળચર પ્રાણી મત્સ્ય વગેરેનો તેમજ છજીવનિકાયનો વઘ થાય છે, માટે તે કર્મ પણ ત્યજી દેવું. એ ચૌદમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. (૧૫) પંદરમું અસતીપોષણ કર્મ–પૈસા કમાવા માટે દુઃશીલ દાસીઓ રાખવી તેમજ શુક, સારિકા, મોર, માર્જર, કૂકડા, માંકડા, થાન અને ડુક્કર વગેરેનું પોષણ કરવું એ અસતીપોષણ કહેવાય છે. કારણ કે એવા જીવો જો કે અશુભ અન્નપાન, એંઠવાડ વગેરેથી પોષણ પામવા વડે પુષ્ટ થાય છે અને ઉંદર, ઇયળ, સસલા વગેરે જીવોને ખાઈ જાય છે. તેથી આપણને ઉંદર આદિનો ઉપદ્રવ થતો નથી, એમ વિચારી તેમનું પોષણ કરવું નહીં. તેમનું પોષણ કરવાથી પાપની જ વૃદ્ધિ થાય છે; તો પણ તેઓને અભયદાન તો આપવું. એ પંદરમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. આ પ્રમાણે પંદર કર્માદાનનો ત્યાગ કરવો. શ્રી ભગવતીજી અંગમાં શ્રાવકને માટે પંદર કર્માદાનનો સર્વથા નિષેઘ કહેલો છે તે ઉત્સર્ગિક જાણવો. કહ્યું છે કે, “જે પુણ્ય ઘર્મને બાઘા કરનારું હોય અને યશ આપે તેવું ન હોય, તે પુણ્ય ઘણા લાભવાળું હોય તો પણ પુણ્યાર્થી પુરુષોએ ગ્રહણ કરવું નહીં. પરંતુ કદી બીજો ધંધો થઈ શકે તેમ ન હોય, અથવા દુષ્કાળ પડેલો હોય અથવા રાજાની આજ્ઞા થઈ હોય-ઇત્યાદિ કારણોથી જો તે નિંદિત વ્યાપારોને સર્વથા ત્યાગ થઈ શકે નહીં અને તેમાંથી કોઈ કાર્ય કરવું પડે તો શ્રાવક અપવાદરૂપે કરે; પણ પોતાના આત્માની નિંદા કરતો સતો સશુગપણે કરે. મહારાજા સિદ્ધરાજે કરેલા સોરઠદેશના સ્વામી સન દંડનાયકે જેમ તે દેશની પેદાશનું સર્વ દ્રવ્ય રેવતાચલના જીર્ણોદ્ધારમાં પુણ્યરૂપે વાપર્યું હતું તેમ. આ પ્રમાણે પ્રથમ કહેલા ભોગોપભોગ સંબંઘી પાંચ અતિચાર અને કર્માદાન સંબંધી પંદર અતિચાર એમ કુલ વીશ અતિચાર થાય છે. તેનું ઉપર પ્રમાણે સ્વરૂપ જાણી સુજ્ઞ પુરુષોએ તેના ત્યાગપૂર્વક આ સાતમું વ્રત આચરવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy