SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૩] કર્માદાનના પંદર અતિયાર વ્યાખ્યાન ૧૨૩ કર્માદાનના પંદર અતિચાર अंगारवनशकट भाटकस्फोटजीविका । दंतलाक्षारसकेश - विषवाणिज्यकानि નાશા - यंत्रपीडानिलांछन- मसतीपोषणं તથા 1 વવવાનું સર:શોષ, કૃતિ પંચશ ત્યનેત્ ॥૨॥ ભાવાર્થ—“અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ અને સ્ફોટકકર્મ એ પાંચ પ્રકારના કર્મ વડે આજીવિકા કરવી; દાંત, લાખ, રસ, કેશ અને વિષનો વ્યાપાર કરવો; યંત્રપીડા એટલે ઘાણી વગેરે યંત્રો ચલાવવા; નિર્વાંછન કર્મ કરવું; કુલટા સ્ત્રી વગેરેનું પોષણ કરવું; દાવાનળ મૂકવો અને સરોવરને શોષવું—એ પંદર કર્માદાનનો ત્યાગ કરવો.’ ૧૮૩ હવે પંદ૨ કર્માદાનનું વિવેચન કરે છે—ઉપરના શ્લોકમાં જે નીવિજ્રા (આજીવિકા) શબ્દ છે તે પ્રત્યેક કર્માદાનની સાથે જોડવો. ૧ અંગારકર્મ–એટલે કાષ્ઠ દહન કરીને નવા અંગારા પાડવા—ચૂનો તથા ઈંટની ભઠ્ઠી કરનારા તેમજ કુંભાર, લુહાર, કલાલ, સોની અને ભાડભુંજા વગેરેનું કર્મ તે અંગારકર્મ કહેવાય છે. તેનાથી જે જીવિકા કરવી તે અંગાર જીવિકા કહેવાય છે. એ આજીવિકા મુખ્યત્વે અગ્નિથી ચાલે છે. અગ્નિ દશ તરફ ઘારવાળું (દશધારું) ખડ્ગ છે. કારણ કે તેમાં સર્વ જગતને દહન કરવાની શક્તિ છે, તેવી આજીવિકામાં છજીવનિકાયનો સ્પષ્ટ વધે થાય છે; તેથી એ વ્યાપાર ગૃહસ્થને ત્યાગ કરવા યોગ્ય છે. એ પહેલો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. ૨ વનકર્મ-વનસ્પતિ સંબંધી છેઠેલાં અને વગર છેઠેલાં પત્ર, પુષ્પ, ફળ, કંદ, મૂળ, તૃણ, કાષ્ઠ અને વાંસ વગેરે લાવીને વેચવા; તેમજ બાગ તથા વનકટી વગેરે કરવાં તે ‘વનકર્મ' કહેવાય છે. તેનાથી જીવિકા કરવી તે ‘વનકર્મ જીવિકા' કહેવાય છે. એ આજીવિકા વૃક્ષને આશ્રયીને હોવાથી તેમાં વૃક્ષાદિકના આશ્રિત એવા ત્રસ પ્રમુખ જીવોનો વધ થાય છે. એ બીજો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. Jain Education International ૩ સાડીકર્મ–ગાડાં અને ગાડાંનાં અવયવો—પૈડાં વગેરે કરવાં, ગાડાં ખેડવાં અથવા તે વેચવા, તે ‘શકટકર્મ જીવિકા' કહેવાય છે. ગાડાં ચલાવવા વડે આજીવિકા કરવાથી માર્ગમાં રહેલા ષટ્જવનિકાયનો વધ થાય છે. એ ત્રીજો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. ૪ ભાડીકર્મ–ઊંટ, બળદ, પાડા, ખચ્ચર અને ઘોડા વગેરેના ભાડાં કરવાં એટલે ભાડે આપી ભાર વહન કરાવવું તે ‘ભાટકકર્મ જીવિકા’ કહેવાય છે; તેથી ભારવાહક પ્રાણીઓને બહુ દુઃખ થાય છે. એ ચોથો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. ૫ ફોડીકર્મ–જવ, ગોઘુમ, મગ, અડદ અને ચણા વગેરે ઘાન્યની કરડ કરાવવી, એટલે ઘાન્ય છૂટું પાડવું, સાથવો કરવો, દાળ કરાવવી, શાલિને ખંડાવી ચોખા કરવા, તળાવ વાપી અને કૂવાને માટે પૃથ્વી ખોદાવવી, હળ ખેડવું ખને ખાણમાંથી પાણા કઢાવી ઘડાવવા—એ ‘સ્ફોટકકર્મ’ કહેવાય છે. તેનાથી જીવિકા કરવી તે ‘સ્ફોટક જીવિકા’ છે. તેમાં કણના દલનથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy