SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ વનસ્પતિકાય જીવોનો, ભૂમિ ખોદવાથી પૃથ્વીકાયનો અને તેને આશ્રયીને રહેલા ત્રસાદિ જંતુઓનો વઘ થાય છે. એ પાંચમો કર્માદાન સંબંધી અતિચાર જાણવો. હવે પાંચ વાણિજ્ય સંબંધી પાંચ અતિચાર કહે છે. ૧ પ્રથમ દંતવાણિજ્ય-એટલે હાથીના દાંત, હંસ વગેરે પક્ષીના રોમ, મૃગોના ચર્મ, ચમરીમૃગના પુચ્છ, સાબર વગેરેના શૃંગ તેમજ શંખ, છીપ, કોડી અને કસ્તૂરી વગેરેના ઉત્પત્તિસ્થાને જઈ તે તે પ્રકારના ત્રસકાય જીવોના અંગાદિ ગ્રહણ કરવા અને તેનો વ્યાપાર કરવોએ “દંતવાણિજ્ય” કહેવાય છે. કદી પોતે તે જીવોની હિંસા ન કરે પણ તેના ઉત્પત્તિસ્થાને વ્યાપારીને આવેલા જોઈ ભીલ વગેરે નીચ લોકો લોભથી તત્કાળ હસ્તી વગેરે જીવોનો વઘ કરે છે અને તેના વ્યાપારીઓને જોઈતી ચીજો લાવી દે છે. તેથી તે ત્યાજ્ય છે. એ છઠ્ઠો કર્માદાન સંબંધી અતિચાર છે. ૨ બીજું લાક્ષાવાણિજ્ય-એટલે લાખ વગેરે હિંસક વસ્તુઓનો વ્યાપાર. લાખમાં ત્રસ જીવો ઘણા હોય છે. વળી તેના રસમાં રુધિરનો ભ્રમ થાય છે. વાવડીની ત્વચા અને પુષ્પ મદિરાનું અંગ છે અને તેનો કલ્ક (કણિયા) ઘણા જીવોની ઉત્પત્તિના હેતુરૂપ છે. ગળી ઘણા જીવોના ઘાતથી થાય છે. મનશિલ અને હડતાલમાં ઘણા માખી વગેરે જીવોની હિંસા થાય છે. પડવાસ ત્રસ જીવોથી વ્યાસ હોય છે. ટંકણખાર, સાબુ અને ક્ષારાદિકમાં પ્રત્યક્ષ મહાદોષ જોવામાં આવે છે. લાખ વગેરેના દોષયુક્તપણા વિષે મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે-“લાખ, ગળી, તિલ, ક્ષાર, કસુંબો, દૂઘ, ઘી, દહીં અને છાશને વેચનારો બ્રાહ્મણ શુદ્ર કહેવાય છે.” આ સાતમો કર્માદાન સંબંધી અતિચાર છે. ૩ ત્રીજું રસવાણિજ્ય-એટલે મઘ, મદિરા, માંસ, માખણ, દૂધ, દહીં, ઘી અને તેલ વગેરે રસ પદાર્થોનો વ્યાપાર કરવો તે. તેમાં પણ પ્રથમ પહેલી યુક્તિથી દોષો જાણી લેવા. દૂઘ વગેરેમાં સંપાતિમ જીવોનો પણ વધે થાય છે. બે દિવસ ગયા પછી દહીં અને છાશમાં મહાન દોષ ઉદ્ભવે છે. તેમાં પણ છાશ તો સોળ પહોરની અંદર પણ ગળીને પીવા યોગ્ય છે. તે વિષે કહ્યું છે કે, “જો છાશ ગળ્યા વગરની ગ્રહણ કરે તો ઘણા દોષ ઉત્પન્ન થાય છે. કારણ કે તેમાં માખણનો યોગ હોય તો તત્કાળ જીવોની ઉત્પત્તિ થઈ આવે છે.” ઘી અને તેલના વ્યાપારમાં પણ ઘણા દોષો છે, તેમાં પણ ત્રસાદિ જીવો અવલિત થતા તરત નાશ પામે છે. ઘીમાં છાશ આદિનો અંશ રહી જતાં તેમાં અગણિત ઇયળો ઊપજે છે. વળી, ઘી અને તેલના વ્યાપારમાં દુર્ગાનથી પણ મહા પાપ લાગે છે. કદી બીજી રીતે આજીવિકા ચાલે તેમ ન હોય તેથી ઘી, તેલ વેચવા વડે આજીવિકા કરવી પડે તો તેમાં અશુભ ધ્યાનનો ત્યાગ કરવો. કહ્યું છે કે, “અભિપ્રાયના વશથી પાપધ્યાન (દુર્ગાન) થાય છે, કાંઈ વસ્તુના દર્શનથી થતું નથી.” આ વિષય ઉપર વિદ્વાનોએ વૃત તથા ચર્મના વ્યાપારીની કથા જાણી લેવી. તે કથા આ પ્રમાણે છે વૃત તથા ચર્મના વ્યાપારીની કથા એક જ નગરના રહેવાસી કોઈ બે વણિક આષાઢ માસમાં પોતપોતાના વ્યાપારને અર્થે દેશાંતર જતાં માર્ગમાં કોઈ ગ્રામે કોઈ શ્રાવિકાને ઘેર જમવા ગયા. શ્રાવિકાએ તેઓને પૂછ્યું કે, ૧. ઉપરથી પડે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy