SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૧] સાતમા વ્રતની અંતર્ગત અનંતકાયનું સ્વરૂપ ૧૭૯ લૌકિક શાસ્ત્રમાં (૩૮૧૧૭૨૯૭૦) આટલી સંખ્યાનો એક ભાર કહેલો છે. બીજે ઠેકાણે ત્રણ ક્રોડ એકાશી લાખ બાર હજાર એકસોને સિત્તેર (૩૮૧૧૨૧૭૦) આટલી સંખ્યાનો એક ભાર કહેલો છે. એક એક જાતિના એક એક પત્રાદિકની જુદી જુદી ગણતરી કરતાં અઢાર ભાર વનસ્પતિ થાય છે એમ કહેલું છે. તે આ પ્રમાણે— ચાર ભાર પુષ્પ, આઠ ભાર ફળ ને છ ભાર વેલો—એમ ત્રણે મળીને અઢાર ભાર વનસ્પતિ થાય છે, એમ શેષનાગે કહેલું છે; અથવા પક્ષાંતરે એમ પણ કહ્યું છે કે—ચાર ભાર કટુ, બે ભાર તિક્ત, ત્રણ ભાર મિષ્ટ, ત્રણ ભાર મધુર, એક ભાર ક્ષાર, બે ભાર કષાય, એક ભાર વિષસહિત, બે ભાર વિષરહિત–એમ અઢાર ભાર છે; અથવા છ ભાર કંટક, છ ભાર સુગંધી અને છ ભાર ગંધરહિત—એમ પણ અઢાર ભાર કહેલા છે. વળી એમ પણ કહ્યું છે કે, ચાર ભાર પુષ્પ વગરની વનસ્પતિ, આઠ ભાર ફળ વગરની વનસ્પતિ અને છ ભાર ફળ અને ફૂલવાળી વનસ્પતિ—એમ અઢાર ભાર વનસ્પતિ છે. જે અનંતકાય છે તે અભક્ષ્ય છે. કદી તે અચિત્ત થયેલ હોય તો પણ તે ગ્રહણ કરવા યોગ્ય નથી. તેમાં જે સૂંઠ વગેરે છે તે ગ્રાહ્ય છે. આ પ્રમાણે અનંતકાયનું સ્વરૂપ જાણીને તે સાતમા વ્રતમાં ત્યાગ કરવા યોગ્ય છે. માટે તે અનંતકાય વસ્તુનું ભક્ષણ કરવું નહીં. એ વિષે ધર્મરુચિની કથા છે, તે આ પ્રમાણે— ધર્મરુચિની કથા વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. તેમને ધર્મરુચિ નામે એક પુત્ર થયો હતો. એક વખતે કોઈ તાપસ પાસે દીક્ષા લેવાની ઇચ્છાથી રાજા પુત્રને રાજ્ય ઉપર બેસાડવાને ઉદ્યુક્ત થયો. તે ખબર સાંભળી ધર્મરુચિએ પોતાની માતાને પૂછ્યું કે, ‘માતા! મારા પિતાજી શા માટે રાજ્યનો ત્યાગ કરે છે?” માતાએ કહ્યું, ‘“પુત્ર! આ રાજ્યલક્ષ્મી શા કામની છે? આ રાજ્યલક્ષ્મી ચપળ, નરકાદિ સર્વ દુઃખના હેતુરૂપ, સ્વર્ગ તથા મોક્ષના માર્ગમાં ભોગલરૂપ, પરમાર્થે પાપરૂપ અને આ લોકમાં માત્ર અભિમાન કરાવનારી છે; એથી તારા સુજ્ઞ પિતા તેનો ત્યાગ કરી સર્વ સુખનો સાધક ઘર્મ કરવાને ઉદ્યુક્ત થયા છે.” તે સાંભળી ધર્મરુચિએ કહ્યું કે, ‘હે જનની! જ્યારે એવી રાજ્યલક્ષ્મી છે ત્યારે શું હું મારા પિતાને એવો અનિષ્ટ છું કે તે સર્વ દોષની ભૂમિરૂપ રાજ્યલક્ષ્મી મને વળગાડે છે?’ આ પ્રમાણે કહી તેણે પણ પિતાની સાથે દીક્ષા લીઘી અને સઘળી તાપસક્રિયા તે યથાર્થપણે પાળવા લાગ્યો. એક વખતે અમાવાસ્યાને આગલે દિવસે (ચૌદશે) એક તાપસે ઊંચે સ્વરે આઘોષણા કરી કે, ‘હે તાપસો! આવતી કાલે અમાવાસ્યા હોવાથી અનાકુટ્ટી છે. માટે આજે દર્ભ, પુષ્પ, સમિધ, કંદ, મૂળ તથા ફળ પ્રમુખ લાવી મૂકવા યોગ્ય છે.’ તે સાંભળી ધર્મરુચિએ ગુરુ થયેલા પિતાને પૂછ્યું, ‘પિતાજી! આ અનાકુટ્ટી એટલે શું?” તેમણે કહ્યું, ‘પુત્ર! લતા વગેરેને છેદવાં નહીં તે અનાકુટ્ટી કહેવાય છે. તે અમાવાસ્યાનો દિવસ કે જે પર્વ ગણાય છે તે દિવસે ન કરવું. કારણ કે છેદનાદિ ક્રિયા સાવદ્ય ગણાય છે.’ તે સાંભળી ધર્મરુચિ ચિંતવવા લાગ્યો કે, ‘મનુષ્યાદિકના શરીરની જેમ જન્માદિ ધર્મના યુક્તપણાને લીધે વનસ્પતિમાં પણ સજીવપણું સ્ફુટપણે પ્રતીત થાય છે. અમુક દિવસે અનાકુટ્ટી પાળવાથી એ દિવસે હિંસાથી બચાય છે પણ કાલ માટેની હિંસા આજે જ થઈ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy