SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ જાય છે. મહેલ મૂકીને વનમાં આવવાનું પ્રયોજન એ જ છે કે નિષ્પાપ જીવન જીવી શકાય. માટે જો સર્વદા અનાકુટ્ટી થાય તો વઘારે સારું.” આવું ચિંતવનારા ઘર્મરુચિને અમાવાસ્યાને દિવસે તપોવનની નજીકના માર્ગે ચાલ્યા જતા કેટલાક સાઘુઓ જોવામાં આવ્યા. તેણે સાધુઓને પૂછ્યું કે, “શું તમારે આજે અનાકુટ્ટી નથી, કે જેથી આ વનમાં પ્રયાણ કરો છો?” તેઓએ કહ્યું કે, “અમારે તો યાવજીવિત અનાકુટ્ટી છે.” એમ કહી સાધુઓ ચાલ્યા ગયા. તે સાંભળી ઉહાપોહ કરતાં ઘર્મરુચિને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી તેને યાદ આવ્યું કે, “હું પૂર્વ ભવમાં દીક્ષા લઈ મૃત્યુ પામી, દેવલોકનું સુખ અનુભવીને અહીં આવ્યો છું. પૂર્વે મેં સર્વે વનસ્પતિ જીવને અભયદાન આપ્યું હતું, તો હવે આ ભવમાં પણ તેની હિંસા કરવી મને યોગ્ય નથી.” આવું વિચારી તે પ્રત્યેકબુદ્ધ થયો. પછી તેણે બીજા કંદાદિકનું ભક્ષણ કરનારા તાપસોને પણ પચખાણ કરાવ્યા. मेषोष्ट्रहस्त्यादिभवेषु भक्षणं, वल्ल्यादिकानां बहुधा विधायितम् । श्राद्धत्वप्राप्याथ विधेहि रक्षणं, तासां यथा धर्मरुचिमुनींद्रवत् ॥४॥ ભાવાર્થ-“બકરા, ઊંટ અને હાથી વગેરેના ભવમાં વલ્લી પ્રમુખનું બહુ પ્રકારે ભક્ષણ કરેલું છે, તો હવે શ્રાવકપણાને પ્રાપ્ત કરીને હે જીવ! તે વલ્લી વગેરેનું રક્ષણ કર, કે જેથી ઘર્મરુચિ મુનદ્રની જેમ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન ૧૨૨ ભોગના પાંચ અતિચાર ભોગપભોગ વ્રતના વીશ અતિચાર છે, તેમાં પ્રથમ ભોગ સંબંધી પાંચ અતિચાર કહે છે सचित्तस्तेन संबंधः, संमिश्रोऽभिषवस्तथा । दुष्पक्वाहार इत्येते, भोगोपभोगमानगाः॥१॥ ભાવાર્થ-“સચિત્ત, સચિત્તની સાથે સંબંઘવાળું, મિશ્ર, અપક્વ અને દુષ્પક્વ–આ પાંચ પ્રકારની વસ્તુઓનો ઉપભોગ કરવો તે ભોગપભોગ વ્રતના પાંચ અતિચાર છે.” (૧) સચિત્ત તે કંદ વગેરે જાણવા. તેનો નિયમ લેનાર કોઈ મનુષ્ય અનાભોગપણે તેનું ભક્ષણ કરે તે પહેલો સચિત્ત અતિચાર જાણવો. ઘાન્યનું સચિત્તપણું એટલા કાળ સુઘી છે કે જ્યાં સુધીમાં બીજ નિર્જીવ થઈ જાય કે જે વાવવાથી પુનઃ અંકુરિત ન થાય. તે વિષે કહ્યું છે કે, “જવ, ગોઘુમ અને શાલિ એ ત્રણ વર્ષ પછી નિર્જીવ થાય છે, તિલ અને દ્વિદલ–એ પાંચ વર્ષ પછી નિર્જીવ થાય છે, અલસી, કોસંબો, કોદરા વગેરે સાત વર્ષ પછી નિર્જીવ થાય છે, જઘન્યથી અંતર્મુહૂર્ત પછી યોનિ-બીજનો વિધ્વંસ થાય છે તથા સેટુક-કપાસ તે ત્રણ વર્ષ પછી નિર્જીવ થાય છે ઇત્યાદિ સચિત્તનો વિચાર સૂત્રથી જાણીને એના અતિચારનો ત્યાગ કરવો. (૨) સચિત્તની સાથે પ્રતિબદ્ધ વસ્તુ એટલે વૃક્ષાદિકની સાથે સંબંધવાળો તત્કાળ ગ્રહણ કરેલ ગુંદર વગેરે અથવા રાયણ, ખજૂર, કેરી અને ખારેક પ્રમુખ, તેમજ સચિત્ત બીજ જેની અંદર રહેલ છે એવું પાકેલું ફળ તે પક્વ છે, તેથી પ્રાસુક છે માટે હું તેને ભક્ષણ કરીશ અને તેમાં બીજ અપ્રાસુક છે તેથી તેનો ત્યાગ કરીશ. એવી બુદ્ધિથી આખું ફળ મુખમાં નાખે તે સચિત્તપ્રતિબદ્ધ આહારરૂપ બીજો અતિચાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy