SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ વખતે તેની માતાએ કહ્યું કે, “વત્સ! તું વાસી ભોજન ક૨ નહીં; કેમકે વાસી ભોજન કરવાથી દેહમાં ઘાઘર, કરોળિયા અને ત્વચાવિકાર વગેરે તથા વાત સંબંધી અનેક રોગો થશે, વળી બુદ્ધિનું હીનપણું થશે. તે સાથે ત્રસ જીવની હિંસા લાગશે. તે સંબંધી વિશેષ દોષો જાણવા હોય તો શ્રી સમયામૃતસૂરિજી પાસે જઈને જાણી લેજે.' તેણે ઉદ્યાનમાં રહેલા તે ગુરુ પાસે જઈને તેના દોષ પૂછ્યા; એટલે ગુરુ બોલ્યા કે, ‘તું સોભાગનગરમાં જા, ત્યાં થાવર નામે એક ચંડાળ છે, તે તને એના દોષ કહેશે.' ગુણસુંદર સોભાગનગરે ગયો. ત્યાં થાવર ચંડાળનું ઘર શોધી તેને વાસીના દોષ પૂછ્યા. થાવરે કહ્યું કે, ‘હું કહીશ.’ પછી તે ચંડાળે એક ગૃહસ્થની દુકાનેથી શાક, દાળ વગેરે સીધું તેને અપાવ્યું. તેણે લીધું અને તે કોઈ કૃપણને ઘેર મૂલ્ય આપીને રંધાવ્યું. જ્યારે તે ભોજન કરવા બેઠો ત્યારે તે કૃપણની સ્ત્રીએ પૂછ્યું કે, ‘તમે ક્યાંથી આવ્યા છો?' ગુણસુંદરે પોતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. તે ઉપરથી તે સ્ત્રીએ તેને પોતાના ભાઈ તરીકે ઓળખ્યો. બીજે દિવસે ગુણસુંદ૨ જવા તૈયાર થયો પણ તે સ્ત્રીએ આગ્રહથી રોક્યો. પછી તેણે પોતાના લુબ્ધ પતિ પાસે શાલિ વગેરે સારું ભોજન રાંધવા માગ્યું; એટલે તેણે કહ્યું કે, ‘વાલ અને તેલ લઈ જઈને ભોજન કરાવ, બીજું નહીં મળે.' પણ તે સ્ત્રીએ તો બીજી દુકાનેથી ઘી, ખાંડ વગેરે લાવી ગુણસુંદરને માટે ઘેબર વગેરે કરવા માંડ્યા. તે વાતની તેના પતિને ખબર પડી, એટલે તે બહુ ખેદ પામ્યો અને ક્રોધથી તેણે વાસી અન્ન ખાધું તેથી તત્કાળ હૃદય ફાટીને મૃત્યુ પામ્યો. સ્ત્રીએ જાણ્યું કે, ‘મેં મારા ભાઈને ભોજન કરવા રાખ્યો તેથી આ બન્યું.' પણ તેણે આ વાત કોઈને જણાવી નહીં; કારણ કે જો તે વાત બહાર પડે તો તે અપુત્ર હોવાથી બધું દ્રવ્ય રાજા લઈ જાય. આવા ભયથી તે વાત કોઈને જણાવ્યા વગર તેણે શ્રેષ્ઠીના શબને ઘરમાં ખાડો ખોદીને દાટી દીધું. પછી તેણે પોતાના બંધુને ગુપ્ત રીતે વાત જણાવી અને કહ્યું કે, “ભાઈ! તું અહીં રહીને તારા બનેવીના ચાર કોટી દ્રવ્યનો વ્યાપાર કર અને શ્રેષ્ઠી વિષે કોઈ તને પૂછે તો તારે કહેવું કે, ‘તે દરિયા વાટે વ્યાપાર કરવા ગયા છે.' જો તેને જીવતો કહીશું તો મારે સૌભાગ્યવતીનો વેષ રખાશે અને જો મૃત્યુ પામેલો કહીશું તો વિધવાપણું ભોગવવું પડશે; તેથી શોક કે રુદન કાંઈ કરવું નહીં; કેમકે તેમ કરવાથી ઊલટું નુકસાન છે.” આવા ગિનીના વચનથી ગુણસુંદર ત્યાં રહી દુકાને બેસીને વ્યાપાર કરવા લાગ્યો. હવે પેલો ચંડાળ ગુણસુંદરને અન્ન અપાવી ઘેર ગયો. ભોજન સમય થતાં તેની સ્ત્રીએ ‘આ આજે જ રાંધ્યું છે’ એમ કઠોર અને અસત્ય વચન કહી, તે ચંડાળને વાસી ભોજન ખાવા આપ્યું. તે સાથે બાવીશ પહોરની છાશ પણ આપી. તે સમયે કાંઈક અંધકાર પણ થયો હતો. ચંડાળે ‘તે વાસી છે' એમ જાણ્યું પણ ક્ષુધાર્ત્ત હોવાથી પોતાના નિયમને ગણ્યા વગર તેણે ખાધું; તેથી શૂલના રોગ વડે ગાઢ નિદ્રામાં મૃત્યુ પામ્યો અને ગુણસુંદરની બહેનના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. (જે રાત્રે શેઠ જીવતા હતા.) કેટલાક દિવસો વીત્યા પછી ગુણસુંદર માતંગના પાડામાં ગયો. ત્યાં થાવર માતંગને ઘેર શોકયુક્ત આક્રંદ સાંભળી તેણે કોઈને પૂછ્યું, એટલે તેણે થાવર ચંડાળનું મરણ જણાવ્યું. તે સાંભળી ગુણસુંદર ખેદ પામ્યો અને ‘અરે! તેને અકસ્માત શું થયું? તેના મરણ પામવાથી મારો સંદેહ ભાંગ્યો નહીં.’ એમ વિમાસવા લાગ્યો. પછી તે સ્વદેશ જવાને તૈયાર થયો, પણ તેની બહેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy