SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૯] ચલિતરસ, ૧૭૧ રીતે વાસી રાખવાથી સંયમની પણ વિરાઘના થાય છે, તેમજ તેવા સાથવા વગેરેને રાખી મૂકવાથી કરોળિયાની જાળ તથા બીજા સૂક્ષ્મ પ્રાણીઓની જાતિ તેમાં ઊપજે છે. પોળી, માલપુવા વગેરે વાસી રાખવાથી તેમાં લાળીઆ જીવ ઉત્પન્ન થાય છે. તેવા આહારની અભિલાષા કરવા ઉંદર આવે છે, અને તેના કરડવાનો અવાજ સાંભળી માર્ગાર વગેરે ત્યાં આવી તેનું ભક્ષણ કરી જાય છે. ઇત્યાદિ ઘણા દોષ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી બૃહત્કલ્પની ટીકામાં કહેલું છે. લાળીઆ જીવ દ્વીંદ્રિય જાતિના છે એમ વૃદ્ધ સંપ્રદાય કહે છે. કેટલાક ઢુંઢકાદિ આ ચલિતરસને અભક્ષ્ય માનતા નથી તે અયુક્ત છે. કારણ કે રોટલી વગેરેમાં તે પ્રત્યક્ષ જણાય છે. ઉપલક્ષણથી કાલાતિક્રમ થયેલા પક્વાન્નને પણ ચલિતરસમાં ગણવું. તે વિષે એમ લખ્યું છે કે, “જે દિવસે પક્વાન્ન કર્યું હોય ત્યારથી વર્ષાકાળમાં પંદર દિવસ સુધી કહ્યું, શીતકાળમાં એક માસ સુધી કહ્યું અને ઉષ્ણતુમાં વિશ દિવસ સુધી કહ્યું. મુનિ ત્યાં સુધી તે ગ્રહણ કરે.” કેટલાક એમ કહે છે કે, જ્યાં સુધી વર્ણ, ગંઘ, રસાદિ બગડ્યું ન હોય ત્યાં સુધી કહ્યું છે. વળી આદ્ર નક્ષત્ર પછી આંબાનો રસ અને બે દિવસ પછીનું દહીં અને છાશ પણ સેવવા યોગ્ય નથી. આ પ્રમાણે ભક્ષ્યાભક્ષ્યનો વિચાર સંપ્રદાયથી જાણી લેવો. (૨૨) વળી અજાણ્ય ફળ એટલે જેની જાતિ કે નામ જાણવામાં ન હોય તેવાં ફળ, પત્ર, પુષ્ય અને મૂળનો ત્યાગ કરવો. તે વિષે બ્રહ્માંડપુરાણમાં લખે છે કે, “અભક્ષ્યનું ભક્ષણ કરવાથી કંઠરોગ વગેરે થાય છે.” શાંતાતપ ઋષિના રચેલા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “અભક્ષ્યનું ભક્ષણ કરવાથી હૃદયમાં કૃમિ ઉત્પન્ન થાય છે.” ઉપર પ્રમાણે સર્વ મળીને બાવીશ પ્રકારના અભક્ષ્ય છે. એ બીજા શ્લોકનો અર્થ કહ્યો. “ઉપર પ્રમાણે સર્વ અભક્ષ્ય પાપરૂપ છે, તેથી શ્રી જિનેંદ્રના આગમના મર્મને જાણનારા વ્રતધારી ગૃહસ્થોએ ઇંદ્રિયોને વશ કરીને તે કદાપિ સેવવા નહીં.” વ્યાખ્યાન ૧૧૯ ચલિતરસ ચલિત રસ એટલે વાસી અન્ન વગેરે અભક્ષ્ય કહ્યું છે, પણ તેનો બાળગોપાળ વગેરે સર્વથી ત્યાગ થવો અશક્ય છે માટે પુનઃ તેનું વિશેષ વર્ણન કરે છે. रसैः चलितं निस्वादं, व्यक्षाणां योनिस्थानकं । पर्युषितं कुत्सितान्नं, भक्षणाद्दःखमासदेत् ॥१॥ ભાવાર્થ-“ચલિતરસ એટલે રસથી ચલિત થયેલું, નિઃસ્વાદ થયેલું, બેઇંદ્રિય જીવોની ઉત્પત્તિનું સ્થાનક, વાસી રહેલું, અથવા કોહી ગયેલું અન્ન ભક્ષણ કરવાથી પ્રાણી દુઃખને પ્રાપ્ત થાય છે.” આ અર્થને દૃઢ કરવા નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે– ગુણસુંદરની કથા કનકપુર નામના નગરમાં જિનચંદ્ર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને શીલવતી નામે પત્ની હતી. તે ઉભયથી ગુણસુંદર નામે એક પુત્ર થયો હતો. તે બાલ્યવયથી ઘર્મરહિત હતો. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy