SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ (૧૮) આમ ગોરસ એટલે કાચા (ઊના કર્યા વિનાના) દૂઘ, દહીં ને છાશ-તેમાં જો દ્વિદળ (દાલ થાય તેનું કઠોળ) મિશ્ર થાય તો તેમાં કેવળીગમ્ય સૂક્ષ્મ જંતુઓ ઊપજે છે. શાસ્ત્રમાં દિલનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે–“જેને પીલવાથી તેલ નીકળે નહીં અને પીલતાં બે દળ (દાળ) જુદા પડે તે દ્વિદળ કહેવાય છે. એરંડી રાઈ વગેરેને પીલવાથી બે દળ થાય છે પણ તેમાંથી તેલ નીકળે છે માટે તે દ્વિદળ ન કહેવાય.” આવાં કઠોળની સાથે ટાઢાં દૂઘ, દહીં કે છાશ ખાવાં નહીં. તે વિષે પરશાસ્ત્રમાં પણ લખે છે કે गोरसं माषमध्ये तु, मुद्गादिसु तथैव च । भक्ष्यमाणं भवेबूनं, मांसतुल्यं च सर्वदा ॥१॥ અડદ અને મગ વગેરે કઠોળમાં ગોરસ મેળવીને ભક્ષણ કરે તો તે ખરેખર માંસતુલ્ય થાય છે. તેથી ઘોળવડાં એટલે કાચા દહીંમાં નાખેલા વડાં અભક્ષ્ય છે. પણ જો પ્રથમ કાચી છાશ કે દહીંને ગરમ કરીને પછી તેમાં દ્વિદળ નિષ્પન્ન પદાર્થ નાખે તો તે દોષયુક્ત નથી એમ વૃદ્ધા પાસેથી સાંભળ્યું છે. આ વાતને કેટલાક ઢુંઢિયાદિક માનતા નથી પણ તે તેમનો દુરાગ્રહ છે. વિચારસંસક્ત નિર્યુક્તિમાં કહ્યું છે કે, “જો બિયા જાતના વૃક્ષની યષ્ટિ અને અંકોલ વૃક્ષની ઘાણી કરાવીને તેમાં સેલડી પીલે તો સંમૂર્ણિમ માછલાંઓ ઉત્પન્ન થાય છે.” તેવી રીતે અહીં પણ જાણવું. વળી કહ્યું છે કે “મગ તથા અડદ વગેરે દ્વિદળ કાચા ગોરસમાં પડતાં તત્કાળ ત્રસ જીવ ઉત્પન્ન થાય છે, તેમજ બે દિવસ ઉપરાંતના દહીંમાં પણ ત્રસ જીવ ઊપજે છે.” કોઈ ઠેકાણે તિવિષુરિં' એટલે ત્રણ દિવસ પછી એવો પાઠ છે, પણ તે યોગ્ય લાગતો નથી. કારણ કે બે દિવસ પછીનું દહીં અભક્ષ્ય છે એમ શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે. આટલા ઉપરથી કાચા ગોરસ સાથે દ્વિદળ મિશ્ર થવાથી તેમાં અનેક સૂક્ષ્મ જીવ ઊપજે છે એમ સિદ્ધ થાય છે, તેથી તે અભક્ષ્ય જાણવું. એ પ્રથમ શ્લોકનો અર્થ થયો. (૧૯) હવે તુચ્છ ફળ એટલે મહુડાં, લીંબુ, બોર, કોઠા વગેરે. ઉપલક્ષણથી તુચ્છ પુષ્પ તથા પત્રનું ગ્રહણ કરવું. અહીં પુષ્પ તે કેરડા વગેરેના લેવા અને પત્ર તે વર્ષાકાળમાં થતી તાંદળજા વગેરેની ભાજી લેવી; તથા કોમળ મગ-ચોળાની સીંગો પણ ગ્રહણ કરવી, કારણ કે તેમાં પણ ઘણા જીવો હણાય છે અને તૃપ્તિ થતી નથી. (૨૦) હવે વૃતાક કે જે કામોદ્દીપક અને નિદ્રાવર્ધક હોવાથી દૂષિત છે, તે વિષે લૌકિકશાસ્ત્રમાં પણ લખે છે કે-“શિવ પાર્વતીને કહે છે, હે પ્રિયે! વૃતાક, કાલીંગડા અને મૂળા વગેરેનું ભક્ષણ કરનાર મૂઢ પુરુષ અંતકાળે મને સંભારશે નહીં.” વળી “શાસ્ત્રને જાણનાર પુરુષે વૃતાક, ધોળા વૃતાક, મૂળા અને રાતા મૂળા વર્જવા એમ મનુએ કહેલું છે.” આ પ્રમાણે મહાભારતના શાંતિપર્વના પ્રથમ પાદમાં લખે છે. (૨૧) વળી રસથી ચલિત એટલે બેસ્વાદ થયેલાં વાસી, દ્વિદલ, પુડલા, વડા અને રાંઘેલાં કુર વગેરે. તે સિવાય બીજું પણ કોહેલું સર્વ અન્ન ત્યજી દેવું. કારણ કે તે બહુ જીવ સંસક્ત થઈ જાય છે. વળી કહ્યું છે કે, “તેવા અન્નનો સંચય કરવાથી મિથ્યાત્વ વધે છે, વાપરવાથી વિરાઘના થાય છે અને તેમાં ઉંદર વગેરે ઘણી જાતના સંમૂર્છાિમ જીવો ઊપજે છે ઇત્યાદિ ઘણા દોષ થાય છે.” એનો ભાવાર્થ એવો છે કે, તેવું અન્ન જો રાત્રે વાસી રાખ્યું હોય તો તે જોઈને બીજા મિથ્યાત્વ પામે છે અને કેટલાક નિંદા કરે છે કે, “જુઓ આ શ્રાવક! કેવો સંચય કરનારા છે!” વળી તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy