SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૧૮] બાવીશ અભક્ષ્યમાંના બાકી અભક્ષ્ય ૧૬૯ તેમણે તેમના કદાગ્રહનો નિગ્રહ કરવાને માટે સર્વથા ભોજન નિષિદ્ધ કર્યું. બન્નેને ઉપરાઉપરી ત્રણ લાંઘણ થઈ. ત્રીજી રાત્રે પેલા સૌઘર્મદેવે તે નગરના રાજાના ઉદરમાં પીડા ઉત્પન્ન કરી. તે અનેક ઉપાયોથી શાંત થઈ નહીં ત્યારે તે દેવે જણાવ્યું કે, “રાત્રિભોજનના નિયમવાળા શ્રીપુજના હસ્તસ્પર્શથી રાજાની પીડા શાંત થશે.” તત્કાળ મંત્રીઓએ શ્રીપુંજને ત્યાં બોલાવ્યો; એટલે તે ઊંચે સ્વરે બોલ્યો કે, “જો મારું વ્રત સત્ય હોય તો રાજાની પીડા શાંત થાઓ.” આ પ્રમાણે કહી તેણે રાજાના શરીરને કરથી સ્પર્શ કર્યો, એટલે તત્કાળ રાજા વ્યથા રહિત થયો. રાજાએ પ્રસન્ન થઈને તેને પાંચસો ગામનું આધિપત્ય આપ્યું. શ્રીપુંજે સર્વસ્થળે પોતાના નિયમનો મહિમા ફેલાવ્યો. અનુક્રમે આયુ પૂર્ણ કરીને શ્રીપુંજ અનુજ બંધુ સાથે સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો, ત્યાંથી ચ્યવી અનુક્રમે તે ત્રણે સિદ્ધિપદને પામશે. व्रतात्तमात्रान्न हि धर्मपूर्णता, निमित्तमुख्यं परिणामसंगतं । सभद्रकोपासकयोः प्रबंधतः, विचार्य तत्त्वं निशिभोजनं त्यज ॥१॥ ભાવાર્થ-“માત્ર વ્રત લેવાથી કાંઈ ઘર્મની પૂર્ણતા થતી નથી, પણ તેમાં દ્રઢતા સાથે શુભ પરિણામ રાખવા તે મુખ્ય છે. આ હકીકત ઉપર ભદ્રક અને શ્રાવક એ બે મિત્રનો પ્રબંઘ છે તે ઉપરથી તત્ત્વને વિચારીને રાત્રિભોજનનો ત્યાગ કરો.” વ્યાખ્યાન ૧૧૮ બાવીશ અભક્ષ્યમાંના બાકી અભક્ષ્ય હવે બાકીના અભક્ષ્ય વિષે કહે છે अनंतकायसंधाने, बहुबीजं च भक्ष्यकम् । आमगोरससमिश्रं च, द्विदलं सूक्ष्मसत्त्वजम् ॥१॥ तुच्छफलं च ताकं, रसेन चलितं तथा । મજ્ઞાતત્વમેતાનિ, હમ દ્વિવિંશતિઃ શા ભાવાર્થ-“(૧૫) અનંતકાય, (૧૬) બોળ અથાણા, (૧૭) બહુબીજવાળાં ફળ, (૧૮) કાચા ગોરસથી મિશ્ર એવા દ્વિદળ કે જેમાં સૂક્ષ્મ જંતુ ઊપજે છે, (૧૯) તુચ્છફળ, (૨૦) વૃતાક, (૨૧) ચલિત રસવાળી વસ્તુઓ અને (૨૨) અજાણ્યા ફળ–એ પ્રમાણે બાવીશ અભક્ષ્ય જાણવા. (૧૫) અનંતકાય એટલે સાઘારણ વનસ્પતિ, તેનું ભક્ષણ અનંત જીવોને ઘાત થવામાં હેતુરૂપ છે, તેથી અભક્ષ્ય છે તેનું વિશેષ સ્વરૂપ આગળ કહેવાશે. (૧૬) સંઘાન એટલે લીંબુ, આંબલી, બીલી વગેરેનું બોળ અથાણું. તે અનેક જીવોની ઉત્પત્તિનું નિમિત્ત છે, તેમજ લવણવાળા શાક રાઈ મિશ્ર કરેલાં ત્રણ દિવસથી વઘારે રહે તો અભક્ષ્ય થાય છે એવો વ્યવહાર પ્રવર્તે છે; પરંતુ ક્ષારમાં નાખેલા લીંબુ વગેરેનો ગંઘ રસ વગેરે બદલાય તો ત્રણ દિવસ તડકે રાખેલા હોય તોપણ તે લીંબુ અનાચિર્ણ (અભક્ષ્ય) થાય એમ વૃદ્ધો કહે છે. (૧૭) બહુબીજ એટલે પંપોટા, અંજીર વગેરે. દાડમ વગેરે ફળોની જેમ અંતરપડ વગરના કેવળ બીજવાળા ફળો, તેઓમાં પ્રત્યેક બીજે જીવનો ઘાત થાય છે. પણ જે ફળ બહુબીજવાળું હોય પણ અંદર પડ હોય જેવા કે દાડમ ટિંડોરા વગેરે, તે અભક્ષ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy