SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ રાત્રિભોજનને વર્જતા નથી તેઓ એડકાસ તથા મરૂકની જેમ બહુ દુઃખ પામે છે. તે એડકાક્ષનો પ્રબંઘ આ પ્રમાણે છે એકાક્ષની કથા-દશાર્ણપુરમાં ઘનશ્રી નામે એક શ્રાવકની પુત્રી હતી, તેને ઘનદેવ નામે પતિ હતો. ઘનશ્રીએ માંડમાંડ સમજાવી એક દિવસ ઘનદેવને રાત્રિએ દિવસેરિમનું પ્રત્યાખ્યાન કરાવ્યું. તે જ રાત્રિએ કોઈ વ્યંતરદેવી ઘનદેવની પરીક્ષા કરવા માટે તેની બહેનનું રૂપ લઈ ભોજન આપવા આવી. ઘનશ્રીએ ઘણો વાર્યો તો પણ ઘનદેવ ભોજન કરવા બેઠો. તત્કાળ દેવીએ લપડાક મારીને તેના લોચન બહાર કાઢી નાખ્યા. પછી તેની પત્ની ઘનશ્રીએ કાયોત્સર્ગ કરીને કોઈ દેવીને આરાથી, એટલે તે દેવીએ આવીને કોઈએ તરતમાં મારેલા ઘેટાના નેત્ર લાવી તેને લગાડી દીઘા, તેથી તે દેખતો થયો; અને ત્યારથી એડકાક્ષ (એડક-ઘેટું, અક્ષ=આંખ) નામથી પ્રસિદ્ધ થયો. મરૂકની કથા શ્રાદ્ધદિનત્યબૃહવૃત્તિથી જાણી લેવી.” આ પ્રમાણે રાત્રિભોજન સંબંધી દેશના સાંભળી પેલા શ્રાવકમિત્રે તો કુલાચારને લીધે ઘણા નિયમો ગ્રહણ કર્યા. બીજા ભદ્રિકમિત્રે બહુ વિચારીને એક પ્રસ્તુત નિયમ ગ્રહણ કર્યો અને જે મિથ્યાત્વી હતો તે તો જરા પણ પ્રતિબોઘ પામ્યો નહીં. પેલા બન્ને મિત્રનું કુટુંબ અનુક્રમે તે નિયમમાં તત્પર થયું. હવે જે શ્રાવક હતો તે ક્રમેક્રમે શિથિલ થતો ગયો. કોઈ કોઈ વાર તજવા યોગ્ય એવી દિવસની આદ્યની તથા અંતની બે બે ઘડીમાં પણ ખાવા લાગ્યો અને છેવટે રાત્રે પણ ભોજન કરવા લાગ્યો. એક વખતે તે શ્રાવક અને ભદ્રિક બન્ને કોઈ રાજકાર્યમાં જોડાયા. સવારે જમ્યા વિના ગયેલા તે સાયંકાળે ઘેર આવતાં ભોજનનું અસુર (મો) થઈ ગયું. સૂર્ય અસ્ત પામ્યો. પછી તેમના સંબંધી અને મિત્રોએ ઘણો આગ્રહ કર્યો તો પણ ભદ્રિકે ભોજન કર્યું નહીં; અને પેલો શ્રાવક “હજુ ક્યાં પૂરેપૂરી રાત્રી પડી છે?” એમ બોલતો અંઘકારમાં પણ નિઃશંકપણે ભોજન કરવા બેઠો. શાસ્ત્રમાં કહ્યું છે કે रयणीभोजने जे दोषा, ते दोषा अंधयारंमि । __ जे दोषा अंधयारंमि, ते दोषा संकडंमि मुहे ॥१॥ ભાવાર્થ-“રાત્રિભોજનમાં જે દોષ છે તે દોષ અંઘકારમાં જમવાથી લાગે છે અને અંધકારમાં ભોજન કરવાથી જે દોષ લાગે છે તે દોષ સાંકડા મુખવાળા પાત્ર વડે ખાવાપીવાથી લાગે છે.” આ પ્રમાણે કહ્યું છે, તો પછી રાત્રિએ અંધકારમાં જમતાં મહાન દોષ લાગે તેમાં તો શું કહેવું? હવે પેલો શ્રાવક ભોજન કરવા બેઠો. તેના ભોજનમાં તેના મસ્તકમાંથી જૂ પડી, તેનું ભક્ષણ કરવાથી તેને જલોદરનો વ્યાધિ થયો, જેથી તે પંચત્વ પામ્યો. ત્યાંથી તે માર્જર યોનિમાં આવ્યો. તે ભવમાં અશુભ ધ્યાન વડે મૃત્યુ પામી પહેલી નરકે ગયો. પેલો મિથ્યાત્વી પણ રાત્રે સર્પના વિષવાળા અને જમવાથી મૃત્યુ પામી માર્જર થયો અને ત્યાંથી પહેલી નરકમાં ઉત્પન્ન થયો. ભદ્રિકનો જીવ મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. જે શ્રાવકનો જીવ હતો તે પહેલી નરકમાંથી નીકળી એક નિર્ધન બ્રાહ્મણને ઘેર શ્રીપુંજ નામે પુત્ર થયે; અને જે મિથ્યાદ્રષ્ટિ હતો, તે પણ નરકમાંથી નીકળી તેનો જ અનુજ બંધુ થયો. અહીં ભદ્રિકના જીવે અવધિજ્ઞાન વડે તેમની ઉત્પત્તિ જાણી ત્યાં આવી નિયમભંગનું ફળ જણાવીને તેમને પ્રતિબોધ આપ્યો. તે ઉપરથી તે બન્નેએ સર્વ અભક્ષ્યના નિયમો ગ્રહણ કર્યા. તે બન્નેના માતાપિતા બ્રાહ્મણ અને મિથ્યાત્વી હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy